નવરાત્રીના બીજા દિવસે થાય છે માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની આરાધના?


  • Published By :
  • Published Date : 2024-04-10 14:57:38

નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. શ્વેત વસ્ત્રો ધારણ કરનાર બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. માતાજીના નામનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. બ્રહ્મચારિણી એટલે જેમણે તપનું આચરણ કર્યું છે. માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતાજી એક હાથમાં કમંડળ ધારણ કરે છે અને બીજા હાથમાં માળા ધારણ કરે છે. 


કેવું છે માતા બ્રહ્મચારિણીનું રૂપ?  

માતાજીના દરેક સ્વરૂપ અલગ અલગ સંદેશો આપે છે. શંકર ભગવાનને પતિ તરીકે પામવા માટે માતાજીએ તપ કર્યું હતું. નારદજીએ માતાજીને તપ કરવાનું કહ્યું અને આ જાણ્યા બાદ માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે પામવા માટે હજારો વર્ષ સુધી તપ કર્યું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતાજીએ હજારો વર્ષ સુધી તપ કર્યું. અનેક વર્ષો સુધી માતાજીએ ફળ ખાઈને તપસ્યા કરીતે બાદ અનેક વર્ષો સુધી માત્ર સુકાયેલા બીલિપત્ર ખાધા. માતાજીએ તપ કર્યું તેને કારણે તેમને બ્રહ્મચારિણી તરીકે ઓળખવામાં આવે છે.   


કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની આરાધના? 

दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू|

देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा||

 

સામાન્ય રીતે માતાજીના બીજ મંત્રીથી પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે પરંતુ જો માતાજીના વિશેષ મંત્રથી તેમની આરાધના કરવામાં આવે તો દેવીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. માતા બ્રહ્મચારિણીના મંત્રની વાત કરીએ તો આ ઉપર જણાવેલા મંત્રથી માતાજીની આરાધના કરવી જોઈએ. અથવા તો તેમના બીજ મંત્રની ઉપાસના કરવી જોઈએ. માતા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી છે. જે ભક્ત માના આ સ્વરૂપની આરાધના કરે છે તેને દરેક ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. 


કયું નૈવેદ્ય કરવું જોઈએ માતાજીને અર્પણ? 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજી સમક્ષ અલગ અલગ ભોગ ધરાવવામાં આવે છે. દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. બીજા દિવસે નૈવેદ્ય તરીકે સાકર અર્પણ કરવામાં આવે છે. સાકર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .