નવરાત્રીના બીજા દિવસે થાય છે માતા બ્રહ્મચારિણીની આરાધના, જાણો કયું નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2023-03-23 09:12:09

આજે ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજી સ્વરૂપ એટલે કે બ્રહ્મચારિણી માતાની આરાધના કરવામાં આવે છે. શ્વેત વસ્ત્રો ધારણ કરનાર બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. બ્રહ્મચારિણીનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. એટલે જેમણે તપસ્યાનું આચરણ કર્યું છે તે બ્રહ્મચારિણી છે. માતા બ્રહ્મચારિણી એક હાથમાં કમંડળ ધારણ કરે  છે અને બીજા હાથમાં માળા ધારણ કરે છે. માતાજીની આરાધના કરવાથી સંયમ, ત્યાગ અને સદાચારની પ્રાપ્તિ થાય છે. 

Online Maa Brahmacharini Puja in Navratri l Online Temple


માતાજી શા માટે કહેવાયા બ્રહ્મચારિણી  

શંકર ભગવાનને માતાજી પતિ તરીકે પામી શકે તે માટે નારદજીએ માતાજીને તપ કરવાનું કહ્યું. નારદજીના આ વચન સાંભળ્યા બાદ માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે પામવા હજારો વર્ષ સુધી તપ કર્યું હતું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષ સુધી માતાજીએ ફળ ખાઈને તપસ્યા કરી અને પછીના અનેકો વર્ષ માત્ર સુકાયેલા બીલીપત્ર ખાઈને તપ કર્યું હતું. તપ કરવાને કારણે તેમને બ્રહ્મચારિણી માતા કહેવામાં આવે છે. 

આ મંત્રથી કરવી જોઈએ મા બ્રહ્મચારિણીની પૂજા

दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू

देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ॥

માતા બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આ મંત્ર ન થાય તો  'ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:।' નો જાપ કરવો જોઈએ. મા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી છે. જે ભક્ત માના આ સ્વરૂપની ઉપાસના કરે છે તેને દરેક ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત તપ, વૈરાગ્ય, સંયમ અને સદાચાર તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 

onlineजिंदगी | Online jindagi : जिंदगी कैसी है पहेली हाये कभी तो हसाये, कभी  ये रुलाये | Page 12


બીજા દિવસે નૈવેદ્ય શું કરવું જોઈએ અર્પણ?

નવરાત્રીના દિવસો દરમિયાન માતા સમક્ષ અલગ-અલગ ભોગ ધરાવવામાં આવે છે. દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. બીજા દિવસે  નૈવેદ્ય તરીકે સાકર અર્પણ કરવામાં આવે છે. સાકાર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.