નવરાત્રીના બીજા દિવસે થાય છે માતા બ્રહ્મચારિણીની આરાધના, જાણો કયું નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2023-03-23 09:12:09

આજે ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજી સ્વરૂપ એટલે કે બ્રહ્મચારિણી માતાની આરાધના કરવામાં આવે છે. શ્વેત વસ્ત્રો ધારણ કરનાર બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે. બ્રહ્મચારિણીનો અર્થ સમજીએ તો બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. એટલે જેમણે તપસ્યાનું આચરણ કર્યું છે તે બ્રહ્મચારિણી છે. માતા બ્રહ્મચારિણી એક હાથમાં કમંડળ ધારણ કરે  છે અને બીજા હાથમાં માળા ધારણ કરે છે. માતાજીની આરાધના કરવાથી સંયમ, ત્યાગ અને સદાચારની પ્રાપ્તિ થાય છે. 

Online Maa Brahmacharini Puja in Navratri l Online Temple


માતાજી શા માટે કહેવાયા બ્રહ્મચારિણી  

શંકર ભગવાનને માતાજી પતિ તરીકે પામી શકે તે માટે નારદજીએ માતાજીને તપ કરવાનું કહ્યું. નારદજીના આ વચન સાંભળ્યા બાદ માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે પામવા હજારો વર્ષ સુધી તપ કર્યું હતું. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષ સુધી માતાજીએ ફળ ખાઈને તપસ્યા કરી અને પછીના અનેકો વર્ષ માત્ર સુકાયેલા બીલીપત્ર ખાઈને તપ કર્યું હતું. તપ કરવાને કારણે તેમને બ્રહ્મચારિણી માતા કહેવામાં આવે છે. 

આ મંત્રથી કરવી જોઈએ મા બ્રહ્મચારિણીની પૂજા

दधाना करपद्माभ्यामक्षमाला कमण्डलू

देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ॥

માતા બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આ મંત્ર ન થાય તો  'ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:।' નો જાપ કરવો જોઈએ. મા બ્રહ્મચારિણી જ્ઞાન અને તપની દેવી છે. જે ભક્ત માના આ સ્વરૂપની ઉપાસના કરે છે તેને દરેક ક્ષેત્રમાં વિજય તથા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત તપ, વૈરાગ્ય, સંયમ અને સદાચાર તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 

onlineजिंदगी | Online jindagi : जिंदगी कैसी है पहेली हाये कभी तो हसाये, कभी  ये रुलाये | Page 12


બીજા દિવસે નૈવેદ્ય શું કરવું જોઈએ અર્પણ?

નવરાત્રીના દિવસો દરમિયાન માતા સમક્ષ અલગ-અલગ ભોગ ધરાવવામાં આવે છે. દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. બીજા દિવસે  નૈવેદ્ય તરીકે સાકર અર્પણ કરવામાં આવે છે. સાકાર અર્પણ કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.