નવરાત્રીના ત્રીજા નોરતે થાય છે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની પૂજા


  • Published By :
  • Published Date : 2023-03-24 08:36:20

નવરાત્રીના દિવસો દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં  આવે છે. માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે નવ દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટા મસ્તક પર ઘંટ આકારનો અર્ધચંદ્ર ધારણ કરે છે માટે તેઓ ચંદ્રઘંટા નામે ઓળખાય છે. માં ચંદ્રઘંટાની પૂજા કરવાથી સાધક સાહસિક અને નિર્ભય બને છે. 

Goddess Chandraghanta (Third Day Navratri Devi): Story, Beej Mantra in  English & Hindi - Rudra Centre


શા માટે માતાજીનું નામ પડ્યું ચંદ્રઘંટા

માતાજીના સ્વરૂપની વાત કરીએ તો તેમની દસ ભૂજાઓ છે. દેવી હાથોમાં કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશુળ અને ગદા જેવા અસ્ત્ર-શસ્ત્રો ધારણ કરે છે. માતાજી સિંહની સવારી કરે છે. એવું માનવામાં આવે છે કે દૈત્ય સેનાનો સંહાર કરવા માતા દુર્ગાએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી તમામ કષ્ટોનો નાશ થાય છે. ઉપરાંત તેમની ઉપાસના કરવાથી મણિપૂર ચક્ર જાગૃત થાય છે. 


ત્રીજા દિવસે કયો રંગ અને ભોગ કરવો અર્પણ

નવરાત્રીના નવ દિવસો દરમિયાન રંગોનું પણ વિશેષ મહત્વ રહેલું છે. royal blue color માતા ચંદ્રઘંટાને પ્રિય હોવાથી ત્રીજા દિવસે તેનું મહાત્મય વધી જાય છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતાજીને દૂધ અર્પણ કરવામાં આવે છે. દૂધ અર્પણ કરવાથી ધન વૈભવ તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ સાધકને થાય છે. નવરાત્રીના ત્રીજા નોરતે માતાજીને દુધ અર્પણ કરવું જોઈએ.  


કયા મંત્રથી કરવી દેવીની ઉપાસના 

માતા ચંદ્રઘંટાની આરાધના કરવા માટેનો આ છે મંત્ર- 

पिण्डजप्रवरारूढ़ा ण्डकोपास्त्रकेर्युता। प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥

જો કોઈ સાધક તેમના મંત્રની ઉપાસના ન કરી શકે તો તેમનો બીજ મંત્રની ઉપાસના કરી શકે છે.  ऐं श्रीं शक्तयै नम: નો 108 વાર જપ કરવાથી ચંદ્રઘંટા પ્રસન્ન થાય છે. ઉપરાંત શક્ય હોય તો ચંડીપાઠનું પઠન કરવાથી પણ માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.