માતા કુષ્માંડાની થાય છે નવરાત્રીના ચોથા દિવસે આરાધના, જાણો કયા મંત્રથી કરવી જોઈએ આરાધના અને કયું નૈવેદ્ય કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2024-04-12 12:54:25

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડા માતાની આરાધના કરવામાં આવે છે. માતા કુષ્માંડાને નવ દુર્ગાનું ચોથું સ્વરૂપ માનવામાં આવે છે.. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે બહ્માંડની રચના કુષ્માંડા માતા દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. માતા કુષ્માંડા વાઘ પર સવારી કરે છે. એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડાની આરાધના કરવાથી સાધકની તમામ મુશ્કેલીઓનો અંત આવે છે. માતા કુષ્માંડાની આરાધના કરવાથી સાધકને રોગો, શોક અને તમામ દોષોથી મુક્તિ મળે છે... 


કેવું છે માતા કુષ્માંડાનું રૂપ? 

નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે, બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે, ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે જ્યારે ચોથા નોરતે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે.. માતા કુષ્માંડાના સ્વરૂપની વાત કરીએ તો માતાજીને આઠ ભુજાઓ છે. પોતાના હાથમાં માતાજી વિવિધ અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરે છે.. માતા કુષ્માંડાએ પોતાના હાથમાં કમળ, ગદા, કમંડળ, ધનુષ, બાણ, ચક્ર, તેમજ અમૃત કળશ ધારણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સમસ્ત જગ્યા પર અંધકાર છવાઈ ગયો હતો ત્યારે માતા કુષ્માંડાએ પોતાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પતિ કરી હતી. 


કયા મંત્રનો કરવો જોઈએ જાપ? 

નવરાત્રી દરમિયાન માતાજીના મંત્રોનું જો પાઠ કરવામાં આવે તો તેની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે. નવરાત્રી દરમિયાન કરવામાં આવતા પાઠનું ફળ અનેક ઘણું મળતું હોય છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અને જો આ શક્ય નથી તો માતા કુષ્માંડાને સમર્પિત મંત્રનો જાપ કરવો જોઈએ... આ મંત્રથી કરવી જોઈએ માતા કુષ્માંડની આરાધના - 


सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च |

हस्तापद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे||


અર્થાત - જે માતાએ પોતાના હાથમાં અમૃત કળશ ધારણ કરેલો છે તે માતાને અમે નમન કરીએ છીએ, માતા કુષ્માંડાની આરાધના કરવાથી ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે ઉપરાંત મુશ્કેલીઓનો પણ અંત આવે છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. ચોથા દિવસે માલપુઆનો ભોગ માતાજીને અર્પણ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે માતાજીને પીળા રંગના પુષ્પ વધારે પ્રિય છે.. ત્યારે માતાજીની કૃપા તમામ પર વરસતી રહે તેવી આશા...



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.