માતા કુષ્માંડાની થાય છે નવરાત્રીના ચોથા દિવસે આરાધના, જાણો કયા મંત્રથી કરવી જોઈએ આરાધના અને કયું નૈવેદ્ય કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2024-04-12 12:54:25

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડા માતાની આરાધના કરવામાં આવે છે. માતા કુષ્માંડાને નવ દુર્ગાનું ચોથું સ્વરૂપ માનવામાં આવે છે.. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે બહ્માંડની રચના કુષ્માંડા માતા દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. માતા કુષ્માંડા વાઘ પર સવારી કરે છે. એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડાની આરાધના કરવાથી સાધકની તમામ મુશ્કેલીઓનો અંત આવે છે. માતા કુષ્માંડાની આરાધના કરવાથી સાધકને રોગો, શોક અને તમામ દોષોથી મુક્તિ મળે છે... 


કેવું છે માતા કુષ્માંડાનું રૂપ? 

નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે, બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે, ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે જ્યારે ચોથા નોરતે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે.. માતા કુષ્માંડાના સ્વરૂપની વાત કરીએ તો માતાજીને આઠ ભુજાઓ છે. પોતાના હાથમાં માતાજી વિવિધ અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરે છે.. માતા કુષ્માંડાએ પોતાના હાથમાં કમળ, ગદા, કમંડળ, ધનુષ, બાણ, ચક્ર, તેમજ અમૃત કળશ ધારણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સમસ્ત જગ્યા પર અંધકાર છવાઈ ગયો હતો ત્યારે માતા કુષ્માંડાએ પોતાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પતિ કરી હતી. 


કયા મંત્રનો કરવો જોઈએ જાપ? 

નવરાત્રી દરમિયાન માતાજીના મંત્રોનું જો પાઠ કરવામાં આવે તો તેની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે. નવરાત્રી દરમિયાન કરવામાં આવતા પાઠનું ફળ અનેક ઘણું મળતું હોય છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અને જો આ શક્ય નથી તો માતા કુષ્માંડાને સમર્પિત મંત્રનો જાપ કરવો જોઈએ... આ મંત્રથી કરવી જોઈએ માતા કુષ્માંડની આરાધના - 


सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च |

हस्तापद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे||


અર્થાત - જે માતાએ પોતાના હાથમાં અમૃત કળશ ધારણ કરેલો છે તે માતાને અમે નમન કરીએ છીએ, માતા કુષ્માંડાની આરાધના કરવાથી ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે ઉપરાંત મુશ્કેલીઓનો પણ અંત આવે છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. ચોથા દિવસે માલપુઆનો ભોગ માતાજીને અર્પણ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે માતાજીને પીળા રંગના પુષ્પ વધારે પ્રિય છે.. ત્યારે માતાજીની કૃપા તમામ પર વરસતી રહે તેવી આશા...



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.