નવરાત્રીના ચોથા દિવસે થાય છે માતા કુષ્માંડાની પૂજા, જાણો કયું નૈવેદ્ય અને મંત્રથી કરવી જોઈએ આરાધના.


  • Published By :
  • Published Date : 2023-03-25 10:50:12

નવરાત્રીના દિવસો દરમિયાન નવ દુર્ગાના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. માતા કુષ્માંડા માતા દુર્ગાનું ચોથું સ્વરુપ છે. શાસ્ત્રો પ્રમાણે માતા કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે. વાઘ મા કુષ્માંડાનું વાહન છે. માતા કુષ્માંડાને આઠ ભૂજાઓ છે, જેમાં વિવિધ અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે. માએ કમંડળ, ધનુષ, બાણ, કમળ, માળા, ગદા, ચક્ર અને અમૃત કળશ ધારણ કર્યો છે. જ્યારે સમસ્ત જગ્યા પર અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ પોતાના ઉદરથી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી હતી. મા કુષ્માંડાની ઉપાસના કરવાથી બધી મુશ્કેલીઓનો અંત આવે છે. કુષ્માંડા દેવીની આરાધના કરવાથી સાધકને રોગો, શોક અને તમામ દોષોથી મુક્તિ મળે છે.  


કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની પૂજા-

નવરાત્રી દરમિયાન કરેલા પાઠોનું વિશેષ ફળ મળતું હોય છે. દિવસ પ્રમાણે માતાજીના મંત્રનો જાપ કરવાથી મા પ્રસન્ન થઈ જાય છે. માતા કુષ્માંડાને પ્રસન્ન કરવાનો મંત્ર -   


सुरासम्पूर्ण कलशं रुधिराप्लुतमेव च।

दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥


અર્થાત - જે માતાએ પોતાના હાથોમાં અમૃત કળશ ધારણ કરેલો છે તે માતાને અમે નમન કરીયે છીએ. આ મંત્રનો જાપ કરવાથી માતાજી સાધકને તમામ ભયમાંથી મુક્તિ આપે છે અને મનોવાંચ્છિત ફળ આપે છે. તેમજ જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનો અંત માતાજીની ઉપાસના કરવાથી આવે છે.

મેંદાના માલપુઆ બનાવવાની રીત » Rasoiniduniya

કયું નૈવેદ્ય કરવો અર્પણ 

માતાજીને પ્રિય એવી નવરાત્રી દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા અલગ-અલગ દિવસે વિવિધ ભોગ માતાને અર્પણ કરવામાં આવે છે. જેથી માતા જલ્દી  પ્રસન્ન થાય છે. ત્યારે નવરાત્રીના ચોથા દિવસે માલપુઆનો ભોગ લગાવવામાં આવે છે. માતાજીને લાલ ચૂંદડી, લાલ સાડી. લાલ બિંદી તેમજ લાલ બંગડી અર્પણ કરવાથી મા પ્રસન્ન થાય છે. માતા કુષ્માંડાને પીળું કમળ વધારે પસંદ હોય છે.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .