Navratriના આઠમા નોરતે થાય છે માતા મહાગૌરીની આરાધના, જાણો કયું નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2023-10-22 13:42:14

આજે નવરાત્રીનો આઠમો દિવસ છે. આઠમના દિવસે માતાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમાં પણ નવરાત્રીની આઠમનો મહિમા અનેરો હોય છે. નવરાત્રી દરમિયાન નવ દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે અને આઠમાં નોરતે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આઠમું સ્વરૂપ માતા મહાગૌરીનું છે. મહાગૌરી માતા વૃષભ પર સવારી કરે છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજી ત્રિશૂલ ધારણ કરે છે, બીજા હાથમાં તે ડમરૂ ધારણ કરે છે. ત્રીજા હાથમાં તેમણે અભય મુદ્રા ધારણ  કરી છે, અને ચોથા હાથથી માતાજી આશીર્વાદ ભક્તોને આપે છે. તેઓ સુખ અને સમૃદ્ધિ વધારનારા છે. તેઓ સદૈવ પોતાના સંતાન રૂપી ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે.



સાધકોને મનોવાંચ્છિત ફળની થાય છે પ્રાપ્તિ

ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માતાજીએ કઠોર તપ કર્યું હતું. કઠોર તપને કારણે તેમનો વર્ણ શ્યામ થઈ ગયો હતો. જ્યારે ભગવાન શંકરે તેમનો સ્વીકાર કર્યો હતો. તપસ્યા પૂર્ણ થઈ અને તે સમયે માતા પાર્વતી પર ગંગાજળનો  અભિષેક કર્યો. તે બાદ માતા પાર્વતીજીને અતિ કાંતિમય સ્વરૂપની પ્રાપ્તિ થઈ. અને તેઓ શુભ્રવર્ણા બન્યા. માતાજી સ્વયં શ્વેત વર્ણના છે, જેને કારણે તેઓ મહાગૌરી નામે પ્રસિદ્ધ થયા. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે તેમની પૂજા કરવાથી ગ્રહપીડા દૂર થાય છે. ઉપરાંત સાધકને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જે ભક્ત માતાજીની આ સ્વરૂપની આરાધના કરે છે તેને માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. 

આ મંત્રનો કરવો જોઈએ જાપ

નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ મંત્રોનો જાપ કરવામાં આવતો હોય છે. દરેક માતાજીને સમર્પિત મંત્ર હોય છે. દરેક દેવીને પ્રસન્ન કરવાનો વિશેષ મંત્ર હોય છે. માતા મહાગૌરીને આ મંત્રના ઉચ્ચારણથી પ્રસન્ન કરી શકાય છે.   

श्वेत वृषे समारूढा श्वेताम्बरधरा शुचि:|

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा||


અર્થાત જે માતા સફેદ વૃષભ પર સવાર છે, જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. જે પ્રસન્નતા પ્રદાન કરનારી છે. તેવા માતા મહાગૌરી અમારૂ કલ્યાણ કરો.  નવરાત્રીના દિવસો દરમિયાન અલગ અલગ ભોગ અર્પણ કરવાનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રીના દિવસો પ્રમાણે ભોગ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. આઠમા નોરતે શ્રીફળ માતાજીને અર્પણ કરવામાં આવે છે.  



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?