Navratriના છેલ્લા નોરતે થાય છે માતા સિદ્ધિદાત્રીની આરાધના, તેમની આરાધના કરવાથી સાધકને સિદ્ધિઓની થાય છે પ્રાપ્તિ!


  • Published By :
  • Published Date : 2023-10-23 09:20:54

આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે એટલે કે નવરાત્રીનું છેલ્લું નોરતું. નવરાત્રીના નવમાં નોરતે માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે, નવરાત્રીના આઠ નોરતા દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા આપણે કરી. પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની, બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની, ત્રીજા નોરતે ચંદ્રઘંટા માતાની, ચોથા નોરતે કુષ્માંડા માતાની, પાંચમા નોરતે સ્કંદમાતા, કાત્યાયની પૂજા છઠ્ઠા નોરતે, કાલરાત્રિની પૂજા સાતમા નોરતે જ્યારે મહાગૌરીની પૂજા આઠમા નોરતે શ્રદ્ધા સાથે ભક્તોએ કરી. ત્યારે આજે નવ દુર્ગાના અંતિમ સ્વરૂપ એવા માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રી સાધકને સિદ્ધિ અપાવનારી છે. 


કેવું છે માતા સિદ્ધિદાત્રીનું રૂપ?

માતા સિદ્ધિદાત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતાજી કમળ પર બિરાજમાન છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજીએ ગદા ધારણ કરી છે. એક હાથમાં કમળ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ શંખ જ્યારે ચોથા હાથમાં માતાજીએ ચક્ર ધારણ કર્યું છે. માતાજીના આ સ્વરૂપની પૂજા કરવાથી માતાજી ભક્તો પર અસીમ કૃપા કરે છે, ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા લક્ષ્મીની જેમ સિદ્ધિદાત્રી માતા કમળ પર બિરાજમાન હોય છે. માતા સિદ્ધિદાત્રી તમામ સિદ્ધિઓ અપાવનારી છે. માન્યતા અનુસાર માતાજી પાસે આઠ સિદ્ધિઓ રહેલી છે. અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ નામની સિદ્ધિઓ માતાજી પાસે રહેલી છે. 


કયા મંત્રના જાપથી મળશે માતાજીની વિશેષ કૃપા?

નવરાત્રી દરમિયાન પાઠ પૂજા કરવાથી માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રી દરમિયાન શક્ય હોય તો ચંડીપાઠના પાઠ કરવા જોઈએ અથવા તો નવાર્ણ મંત્રનો જાપ કરવો જોઈએ. નવ દુર્ગા માતાજીને સમર્પિત વિશેષ મંત્ર હોય છે. એ દિવસે એ મંત્રનું ઉચ્ચારણ કરવાથી માતા સાધક પર પ્રસન્ન થાય છે તેવું માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કરવામાં આવતો પાઠ વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે તેવું માનવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવાનો મંત્ર -

सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि|

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी||


આ નૈવેદ્ય માતા સિદ્ધિદાત્રીને છે પ્રિય 

નવરાત્રી દરમિયાન દિવસ પ્રમાણે માતાજી સમક્ષ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. અલગ અલગ દિવસો પ્રમાણે માતાજીને ગોળ, શ્રીફળ, માલપુઓ, ખાંડ વગેરે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. નવમા દિવસે માતાજીને ખીર અથવા તો હલવો અર્પણ કરવામાં આવે છે.  


નોંધ - અહીંયા આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .