Navratriના છેલ્લા નોરતે થાય છે માતા સિદ્ધિદાત્રીની આરાધના, તેમની આરાધના કરવાથી સાધકને સિદ્ધિઓની થાય છે પ્રાપ્તિ!


  • Published By :
  • Published Date : 2023-10-23 09:20:54

આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે એટલે કે નવરાત્રીનું છેલ્લું નોરતું. નવરાત્રીના નવમાં નોરતે માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે, નવરાત્રીના આઠ નોરતા દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા આપણે કરી. પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની, બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની, ત્રીજા નોરતે ચંદ્રઘંટા માતાની, ચોથા નોરતે કુષ્માંડા માતાની, પાંચમા નોરતે સ્કંદમાતા, કાત્યાયની પૂજા છઠ્ઠા નોરતે, કાલરાત્રિની પૂજા સાતમા નોરતે જ્યારે મહાગૌરીની પૂજા આઠમા નોરતે શ્રદ્ધા સાથે ભક્તોએ કરી. ત્યારે આજે નવ દુર્ગાના અંતિમ સ્વરૂપ એવા માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રી સાધકને સિદ્ધિ અપાવનારી છે. 


કેવું છે માતા સિદ્ધિદાત્રીનું રૂપ?

માતા સિદ્ધિદાત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતાજી કમળ પર બિરાજમાન છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજીએ ગદા ધારણ કરી છે. એક હાથમાં કમળ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ શંખ જ્યારે ચોથા હાથમાં માતાજીએ ચક્ર ધારણ કર્યું છે. માતાજીના આ સ્વરૂપની પૂજા કરવાથી માતાજી ભક્તો પર અસીમ કૃપા કરે છે, ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા લક્ષ્મીની જેમ સિદ્ધિદાત્રી માતા કમળ પર બિરાજમાન હોય છે. માતા સિદ્ધિદાત્રી તમામ સિદ્ધિઓ અપાવનારી છે. માન્યતા અનુસાર માતાજી પાસે આઠ સિદ્ધિઓ રહેલી છે. અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ નામની સિદ્ધિઓ માતાજી પાસે રહેલી છે. 


કયા મંત્રના જાપથી મળશે માતાજીની વિશેષ કૃપા?

નવરાત્રી દરમિયાન પાઠ પૂજા કરવાથી માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રી દરમિયાન શક્ય હોય તો ચંડીપાઠના પાઠ કરવા જોઈએ અથવા તો નવાર્ણ મંત્રનો જાપ કરવો જોઈએ. નવ દુર્ગા માતાજીને સમર્પિત વિશેષ મંત્ર હોય છે. એ દિવસે એ મંત્રનું ઉચ્ચારણ કરવાથી માતા સાધક પર પ્રસન્ન થાય છે તેવું માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કરવામાં આવતો પાઠ વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે તેવું માનવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવાનો મંત્ર -

सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि|

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी||


આ નૈવેદ્ય માતા સિદ્ધિદાત્રીને છે પ્રિય 

નવરાત્રી દરમિયાન દિવસ પ્રમાણે માતાજી સમક્ષ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. અલગ અલગ દિવસો પ્રમાણે માતાજીને ગોળ, શ્રીફળ, માલપુઓ, ખાંડ વગેરે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. નવમા દિવસે માતાજીને ખીર અથવા તો હલવો અર્પણ કરવામાં આવે છે.  


નોંધ - અહીંયા આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.