Navratriના છેલ્લા નોરતે થાય છે માતા સિદ્ધિદાત્રીની આરાધના, તેમની આરાધના કરવાથી સાધકને સિદ્ધિઓની થાય છે પ્રાપ્તિ!


  • Published By :
  • Published Date : 2023-10-23 09:20:54

આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે એટલે કે નવરાત્રીનું છેલ્લું નોરતું. નવરાત્રીના નવમાં નોરતે માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે, નવરાત્રીના આઠ નોરતા દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા આપણે કરી. પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની, બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની, ત્રીજા નોરતે ચંદ્રઘંટા માતાની, ચોથા નોરતે કુષ્માંડા માતાની, પાંચમા નોરતે સ્કંદમાતા, કાત્યાયની પૂજા છઠ્ઠા નોરતે, કાલરાત્રિની પૂજા સાતમા નોરતે જ્યારે મહાગૌરીની પૂજા આઠમા નોરતે શ્રદ્ધા સાથે ભક્તોએ કરી. ત્યારે આજે નવ દુર્ગાના અંતિમ સ્વરૂપ એવા માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રી સાધકને સિદ્ધિ અપાવનારી છે. 


કેવું છે માતા સિદ્ધિદાત્રીનું રૂપ?

માતા સિદ્ધિદાત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતાજી કમળ પર બિરાજમાન છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજીએ ગદા ધારણ કરી છે. એક હાથમાં કમળ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ શંખ જ્યારે ચોથા હાથમાં માતાજીએ ચક્ર ધારણ કર્યું છે. માતાજીના આ સ્વરૂપની પૂજા કરવાથી માતાજી ભક્તો પર અસીમ કૃપા કરે છે, ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા લક્ષ્મીની જેમ સિદ્ધિદાત્રી માતા કમળ પર બિરાજમાન હોય છે. માતા સિદ્ધિદાત્રી તમામ સિદ્ધિઓ અપાવનારી છે. માન્યતા અનુસાર માતાજી પાસે આઠ સિદ્ધિઓ રહેલી છે. અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ નામની સિદ્ધિઓ માતાજી પાસે રહેલી છે. 


કયા મંત્રના જાપથી મળશે માતાજીની વિશેષ કૃપા?

નવરાત્રી દરમિયાન પાઠ પૂજા કરવાથી માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રી દરમિયાન શક્ય હોય તો ચંડીપાઠના પાઠ કરવા જોઈએ અથવા તો નવાર્ણ મંત્રનો જાપ કરવો જોઈએ. નવ દુર્ગા માતાજીને સમર્પિત વિશેષ મંત્ર હોય છે. એ દિવસે એ મંત્રનું ઉચ્ચારણ કરવાથી માતા સાધક પર પ્રસન્ન થાય છે તેવું માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કરવામાં આવતો પાઠ વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે તેવું માનવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવાનો મંત્ર -

सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि|

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी||


આ નૈવેદ્ય માતા સિદ્ધિદાત્રીને છે પ્રિય 

નવરાત્રી દરમિયાન દિવસ પ્રમાણે માતાજી સમક્ષ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. અલગ અલગ દિવસો પ્રમાણે માતાજીને ગોળ, શ્રીફળ, માલપુઓ, ખાંડ વગેરે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. નવમા દિવસે માતાજીને ખીર અથવા તો હલવો અર્પણ કરવામાં આવે છે.  


નોંધ - અહીંયા આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.