નવરાત્રીના પાંચમા દિવસે થાય છે માતા સ્કંદમાતાની પૂજા, જાણો કયું નૈવેદ્ય માતાજીને અર્પણ કરવાથી મળે છે માતાજીના આશીર્વાદ


  • Published By :
  • Published Date : 2023-03-26 07:59:02

નવરાત્રીના પાંચમા નોરતે માતા સ્કંદમાતાની ઉપાસના કરવામાં આવે છે. દેવી ભાગવત અનુસાર દેવીના અલગ-અલગ સ્વરૂપો સ્ત્રીના જીવનના અલગ અલગ તબક્કાને દર્શાવે છે. માતા પાર્વતી તેમજ ભગવાન શંકરના સંતાન કાર્તિકેય ભગવાનને સ્કંદ પણ કહેવામાં આવે છે. સ્કંદની માતા હોવાથી તેઓ સ્કંદમાતા કહેવાયા છે. માતાજી આ સ્વરૂપ ધારણ કરી ભક્તો રૂપી પોતાના સંતાનોની રક્ષા કરે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે જ્યારે દેવરાજ ઈન્દ્રએ કાર્તિકેયને હેરાન કર્યા હતા ત્યારે માતાજીએ સિંહ પર સવાર થઈ કાર્તિકેય સ્વામીની રક્ષા કરી તેમને પોતાના ખોળામાં લઈ લીધા હતા. જેના કારણે દેવરાજ ઈન્દ્ર ડરી ગયા અને માતા સ્કંદમાતાને પ્રાર્થના કરવા લાગ્યા.  

Skanthmata Puja Vidhi Five Day Of Navratri | અમોઘ ફળદાયિની છે માનું પાંચમું  સ્વરૂપ સ્કંધમાતા, આ રીતે પૂજન કરવાથી અપાર સુખ સમૃદ્ધિમાં થાય છે વૃદ્ધિ


કેવું છે માતા સ્કંદમાતાનું સ્વરૂપ

માતાજીના સ્વરૂપની જો વાત કરીએ તો, માતા સિંહ પર સવાર થયા છે. પોતાની બે ભૂજામાં કમળ ધારણ કર્યું છે, એક હસ્તથી સ્વામી કાર્તિકેયનું રક્ષણ કરી રહ્યા છે અને એક હાથથી ભક્તોને આશીર્વાદ આપે છે. નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાને પ્રસન્ન કરવા સાધકે સાધના કરી જોઈએ. માતાની ઉપાસના કરવાથી કુંડલિની જાગૃત થાય છે. તેમને પ્રસન્ન કરવા આ મંત્રનો જપ કરવો જોઈએ.  

चैत्र नवरात्रि: पांचवें दिन इस प्रभावशाली मंत्र से करें ''स्कंदमाता'' की  पूजा, मिलेगा मनचाहा वरदान | Hari Bhoomi

માતા સ્કંદમાતાને પ્રસન્ન કરવાનો મંત્ર

“सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया.
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी."

અર્થાત સિંહ પર સવારી કરનાર અને  પોતાના બે હાથોમાં પદ્મ એટલે કમળ ધારણ કરનાર સ્કંદમાતા અમારૂ કલ્યાણ કરો અને અમને યશ આપો. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની ઉપાસના કરે છે તેના પર દેવી કૃપા દ્રષ્ટિ રાખે છે. પોતાના બાળ જેવી સંભાળ રાખે છે.એવું માનવામાં  આવે છે માતા સ્કંદની આરાધના કરતા પહેલા કુમાર સ્કંદને પ્રસન્ન કરવા જોઈએ. જો સંતાન પ્રસન્ન હશે તો માતા અવશ્ય પ્રસન્ન થઈ જશે. દેવીની કૃપાથી ઘરમાં સુખ,શાંતી અને સમૃદ્ધિનો વાસ રહે છે. માતાજીને નૈવેદ્ય તરીકે કેળા અર્પણ કરવામાં આવે છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.