મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-05-01 18:25:57

મથુરા શ્રી કૃષ્ણ-જન્મભૂમિ ઈદગાહ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે અને પછી નવેસરથી સુનાવણી કરવા જણાવ્યું છે. એટલે કે આ મામલે હવે ફરી એકવાર બંને પક્ષોએ મથુરાના જિલ્લા ન્યાયાધીશની સામે પોતાની દલીલો રજૂ કરવી પડશે. હવે આ મુસ્લિમ પક્ષ માટે આંચકો છે કારણ કે તેઓ ફરીથી દલીલ કરવા માંગતા ન હતા.


મુસ્લિમ પક્ષને ઝટકો શા માટે?


તમને જણાવી દઈએ કે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સિવિલ કોર્ટે સિવિલ સુટને જ ફગાવી દીધો હતો. આ નિર્ણયથી નારાજ શ્રી કૃષ્ણ વિરાજમાને જિલ્લા ન્યાયાધીશ સમક્ષ બીજી અરજી દાખલ કરી હતી. ત્યારબાદ આ મામલે સુનાવણી કરતી વખતે સિવિલ કોર્ટના નિર્ણયને બાજુ પર રાખી ત્યારબાદ સુનાવણીની મેટર બોલાવવામાં આવી હતી. પરંતુ મુસ્લિમ પક્ષ આ આદેશથી સંતુષ્ટ ન હતો અને આ મામલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે આ જ મામલામાં હાઈકોર્ટે ઈદગાહ ટ્રસ્ટ કમિટી અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે.


આ સમગ્ર વિવાદ શું છે?


આ સમગ્ર વિવાદની વાત કરીએ તો મથુરામાં આખો મામલો શાહી ઈદગાહ મસ્જિદની 13.37 એકર જમીનનો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે કેશવ દેવના મંદિરને તોડીને અહીં એક ટીલા બાંધવામાં આવ્યો હતો. અંગ્રેજો 1803માં મથુરા આવ્યા અને 1815માં કટરા કેશવદેવની જમીનની હરાજી કરી દીધી હતી. હિન્દુ પક્ષનું કહેવું છે કે આ જમીન બનારસના રાજા પટનીમલ દ્વારા 1410 રૂપિયામાં ખરીદી હતી. તે આ જમીન પર મંદિર બનાવવા માંગતો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અંગ્રેજો દ્વારા હરાજી કરાયેલી જમીનનો કેટલોક હિસ્સો મુસ્લિમને પણ સોંપવામાં આવ્યો હતો. આ જમીન બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.