મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-05-01 18:25:57

મથુરા શ્રી કૃષ્ણ-જન્મભૂમિ ઈદગાહ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે અને પછી નવેસરથી સુનાવણી કરવા જણાવ્યું છે. એટલે કે આ મામલે હવે ફરી એકવાર બંને પક્ષોએ મથુરાના જિલ્લા ન્યાયાધીશની સામે પોતાની દલીલો રજૂ કરવી પડશે. હવે આ મુસ્લિમ પક્ષ માટે આંચકો છે કારણ કે તેઓ ફરીથી દલીલ કરવા માંગતા ન હતા.


મુસ્લિમ પક્ષને ઝટકો શા માટે?


તમને જણાવી દઈએ કે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સિવિલ કોર્ટે સિવિલ સુટને જ ફગાવી દીધો હતો. આ નિર્ણયથી નારાજ શ્રી કૃષ્ણ વિરાજમાને જિલ્લા ન્યાયાધીશ સમક્ષ બીજી અરજી દાખલ કરી હતી. ત્યારબાદ આ મામલે સુનાવણી કરતી વખતે સિવિલ કોર્ટના નિર્ણયને બાજુ પર રાખી ત્યારબાદ સુનાવણીની મેટર બોલાવવામાં આવી હતી. પરંતુ મુસ્લિમ પક્ષ આ આદેશથી સંતુષ્ટ ન હતો અને આ મામલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે આ જ મામલામાં હાઈકોર્ટે ઈદગાહ ટ્રસ્ટ કમિટી અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે.


આ સમગ્ર વિવાદ શું છે?


આ સમગ્ર વિવાદની વાત કરીએ તો મથુરામાં આખો મામલો શાહી ઈદગાહ મસ્જિદની 13.37 એકર જમીનનો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે કેશવ દેવના મંદિરને તોડીને અહીં એક ટીલા બાંધવામાં આવ્યો હતો. અંગ્રેજો 1803માં મથુરા આવ્યા અને 1815માં કટરા કેશવદેવની જમીનની હરાજી કરી દીધી હતી. હિન્દુ પક્ષનું કહેવું છે કે આ જમીન બનારસના રાજા પટનીમલ દ્વારા 1410 રૂપિયામાં ખરીદી હતી. તે આ જમીન પર મંદિર બનાવવા માંગતો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અંગ્રેજો દ્વારા હરાજી કરાયેલી જમીનનો કેટલોક હિસ્સો મુસ્લિમને પણ સોંપવામાં આવ્યો હતો. આ જમીન બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.