મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-05-01 18:25:57

મથુરા શ્રી કૃષ્ણ-જન્મભૂમિ ઈદગાહ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે અને પછી નવેસરથી સુનાવણી કરવા જણાવ્યું છે. એટલે કે આ મામલે હવે ફરી એકવાર બંને પક્ષોએ મથુરાના જિલ્લા ન્યાયાધીશની સામે પોતાની દલીલો રજૂ કરવી પડશે. હવે આ મુસ્લિમ પક્ષ માટે આંચકો છે કારણ કે તેઓ ફરીથી દલીલ કરવા માંગતા ન હતા.


મુસ્લિમ પક્ષને ઝટકો શા માટે?


તમને જણાવી દઈએ કે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સિવિલ કોર્ટે સિવિલ સુટને જ ફગાવી દીધો હતો. આ નિર્ણયથી નારાજ શ્રી કૃષ્ણ વિરાજમાને જિલ્લા ન્યાયાધીશ સમક્ષ બીજી અરજી દાખલ કરી હતી. ત્યારબાદ આ મામલે સુનાવણી કરતી વખતે સિવિલ કોર્ટના નિર્ણયને બાજુ પર રાખી ત્યારબાદ સુનાવણીની મેટર બોલાવવામાં આવી હતી. પરંતુ મુસ્લિમ પક્ષ આ આદેશથી સંતુષ્ટ ન હતો અને આ મામલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે આ જ મામલામાં હાઈકોર્ટે ઈદગાહ ટ્રસ્ટ કમિટી અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે.


આ સમગ્ર વિવાદ શું છે?


આ સમગ્ર વિવાદની વાત કરીએ તો મથુરામાં આખો મામલો શાહી ઈદગાહ મસ્જિદની 13.37 એકર જમીનનો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે કેશવ દેવના મંદિરને તોડીને અહીં એક ટીલા બાંધવામાં આવ્યો હતો. અંગ્રેજો 1803માં મથુરા આવ્યા અને 1815માં કટરા કેશવદેવની જમીનની હરાજી કરી દીધી હતી. હિન્દુ પક્ષનું કહેવું છે કે આ જમીન બનારસના રાજા પટનીમલ દ્વારા 1410 રૂપિયામાં ખરીદી હતી. તે આ જમીન પર મંદિર બનાવવા માંગતો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અંગ્રેજો દ્વારા હરાજી કરાયેલી જમીનનો કેટલોક હિસ્સો મુસ્લિમને પણ સોંપવામાં આવ્યો હતો. આ જમીન બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.