Mathura : કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ મામલે Supreme Courtએ કહી આ વાત, જાણો અલ્હાબાદ હાઈકોર્ટના કયા આદેશ પર લગાવ્યો સ્ટે?


  • Published By :
  • Published Date : 2024-01-16 14:58:53

એક તરફ અયોધ્યામાં રામ મંદિરને લઈ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે તો બીજી તરફ દેશની સર્વોચ્ચ ન્યાયાલયે હિંદુ પક્ષને મોટો ઝટકો આપ્યો છે મથુરા કૃષ્ણ જન્મભૂમિ મામલે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે જેમાં કોર્ટે આ મસ્જિદના સર્વે માટે કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને સવાલ પૂછ્યો કે જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો, તો પછી હાઈકોર્ટે કેસને પોતાની પાસે કેવી રીતે ટ્રાન્સફર કર્યો?

હાઈકોર્ટના આ આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે 

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે 14 ડિસેમ્બરે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ સંકુલના સર્વેની મંજૂરી આપી હતી. કોર્ટે આ મસ્જિદના સર્વે માટે કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો જેને લઈ મુસ્લિમ પક્ષ દ્વારા આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત


શું કહ્યું સુપ્રીમ કોર્ટે? 

મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે, પરંતુ સરવે કરાવવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે રહેશે. આ નિર્ણયને કારણે હિંદુ પક્ષને મોટો ઝટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા હિન્દુ પક્ષની દલીલો પર પણ સવાલ ઉઠાવ્યા છે. હિંદુ પક્ષને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારી અરજી ખૂબ જ અસ્પષ્ટ છે. તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે, તમને શું જોઈએ છે.  આ અંગેની સુનાવણી 23 જાન્યુઆરીએ થશે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.