Mathura : કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ મામલે Supreme Courtએ કહી આ વાત, જાણો અલ્હાબાદ હાઈકોર્ટના કયા આદેશ પર લગાવ્યો સ્ટે?


  • Published By :
  • Published Date : 2024-01-16 14:58:53

એક તરફ અયોધ્યામાં રામ મંદિરને લઈ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે તો બીજી તરફ દેશની સર્વોચ્ચ ન્યાયાલયે હિંદુ પક્ષને મોટો ઝટકો આપ્યો છે મથુરા કૃષ્ણ જન્મભૂમિ મામલે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે જેમાં કોર્ટે આ મસ્જિદના સર્વે માટે કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને સવાલ પૂછ્યો કે જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો, તો પછી હાઈકોર્ટે કેસને પોતાની પાસે કેવી રીતે ટ્રાન્સફર કર્યો?

હાઈકોર્ટના આ આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે 

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે 14 ડિસેમ્બરે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ સંકુલના સર્વેની મંજૂરી આપી હતી. કોર્ટે આ મસ્જિદના સર્વે માટે કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો જેને લઈ મુસ્લિમ પક્ષ દ્વારા આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત


શું કહ્યું સુપ્રીમ કોર્ટે? 

મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે, પરંતુ સરવે કરાવવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે રહેશે. આ નિર્ણયને કારણે હિંદુ પક્ષને મોટો ઝટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા હિન્દુ પક્ષની દલીલો પર પણ સવાલ ઉઠાવ્યા છે. હિંદુ પક્ષને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારી અરજી ખૂબ જ અસ્પષ્ટ છે. તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે, તમને શું જોઈએ છે.  આ અંગેની સુનાવણી 23 જાન્યુઆરીએ થશે.  



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.