Mathura Train Accident:પાટા ઉપર ઉભા રહેવાના બદલે ઈએમયૂ ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી, કોઈ જાનહાની નહીં, VEDIO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-27 17:34:28

મથુરામાં  એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ છે. રેલવે પાટા પર ચાલતી ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ. શકૂરબસ્તી-નવી દિલ્હી-મથુરા શટલ ઈએમયૂ ટ્રેન પ્લેટફોર્મ-બે પર ચઢી ગઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર  સામે આવ્યા નથી. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ આવી પહોંચી ત્યારે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા પેસેન્જરો ભાગવા લાગ્યા. આ ઘટનામાં પેસેન્જરો તો બચી ગયા પરંતુ અનેક પેસેન્જરોનો સામાન ટ્રેન નીચે આવી ગયો હતો. એવી પણ માહિતી સામે આવી હતી કે ટ્રેનમાં બેઠેલા મુસાફરો ઉતરી પણ ગયા હતા. 

પ્લેટફોર્મ પર ઉભી રહેવાની જગ્યાએ પ્લેટફોર્મ પર ચઢી ટ્રેન 

ઘટના કેવી રીતે સર્જાઈ તેની વાત કરીએ તો મંગળવાર રાત્રે 10.55 વાગ્યાની આસપાસ લોકો પાયલટ ટ્રેનનું એન્જિન બંધ કરી ટ્રેનને બંધ કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર એન્જીન બંધ થવાને બદલે જલ્દીથી ભાગવા લાગી. ટ્રેનને પ્લેટફોર્મ પર  આવતી જોઈ મુસાફરો ભાગવા લાગ્યા. મુસાફરો તો બચી ગયા પરંતુ તેમનો સામાન દબાઈ ગયો.

 


વીજળી પોલ સાથે અથડાતા ટળી મોટી દુર્ઘટના 

આ ઘટનામાં સારી વાત એ હતી કે આ દુર્ઘટના સર્જાઈ તેની થોડી જ દૂર વિજળીનો પોલ હતો. ટ્રેન એની સાથે ભટકાઈ અને રોકાઈ ગઈ. જો વીજળી પોલ ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. મોટી દુર્ઘટના ન સર્જાઈ તેને લઈ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટના કયા કારણોસર બની તેને જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઓડિશામાં થોડા મહિના પહેલા એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ત્રણ ટ્રેન આસપાસમાં ભટકાઈ હતી. એ રેલવે દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.