Mathura Train Accident:પાટા ઉપર ઉભા રહેવાના બદલે ઈએમયૂ ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી, કોઈ જાનહાની નહીં, VEDIO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-27 17:34:28

મથુરામાં  એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ છે. રેલવે પાટા પર ચાલતી ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ. શકૂરબસ્તી-નવી દિલ્હી-મથુરા શટલ ઈએમયૂ ટ્રેન પ્લેટફોર્મ-બે પર ચઢી ગઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર  સામે આવ્યા નથી. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ આવી પહોંચી ત્યારે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા પેસેન્જરો ભાગવા લાગ્યા. આ ઘટનામાં પેસેન્જરો તો બચી ગયા પરંતુ અનેક પેસેન્જરોનો સામાન ટ્રેન નીચે આવી ગયો હતો. એવી પણ માહિતી સામે આવી હતી કે ટ્રેનમાં બેઠેલા મુસાફરો ઉતરી પણ ગયા હતા. 

પ્લેટફોર્મ પર ઉભી રહેવાની જગ્યાએ પ્લેટફોર્મ પર ચઢી ટ્રેન 

ઘટના કેવી રીતે સર્જાઈ તેની વાત કરીએ તો મંગળવાર રાત્રે 10.55 વાગ્યાની આસપાસ લોકો પાયલટ ટ્રેનનું એન્જિન બંધ કરી ટ્રેનને બંધ કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર એન્જીન બંધ થવાને બદલે જલ્દીથી ભાગવા લાગી. ટ્રેનને પ્લેટફોર્મ પર  આવતી જોઈ મુસાફરો ભાગવા લાગ્યા. મુસાફરો તો બચી ગયા પરંતુ તેમનો સામાન દબાઈ ગયો.

 


વીજળી પોલ સાથે અથડાતા ટળી મોટી દુર્ઘટના 

આ ઘટનામાં સારી વાત એ હતી કે આ દુર્ઘટના સર્જાઈ તેની થોડી જ દૂર વિજળીનો પોલ હતો. ટ્રેન એની સાથે ભટકાઈ અને રોકાઈ ગઈ. જો વીજળી પોલ ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. મોટી દુર્ઘટના ન સર્જાઈ તેને લઈ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટના કયા કારણોસર બની તેને જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઓડિશામાં થોડા મહિના પહેલા એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ત્રણ ટ્રેન આસપાસમાં ભટકાઈ હતી. એ રેલવે દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .