જૂનાગઢમાં મામલો મેદાને|જવાહર ચાવડાનો પ્રધાનમંત્રીને ઉદ્દેશીને પત્ર, ભાજપ પ્રમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ


  • Published By :
  • Published Date : 2024-09-17 15:14:35

તમે કલ્પના કરી શકો કે એક પક્ષના પૂર્વ મંત્રી પોતાની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ પર ભ્રષ્ટાચારના એટલા ગંભીર આરોપ મુકે કે આવા નેતાઓના કારણે પ્રજાની વચ્ચે જવું મુશ્કેલ થઈ ગયું છે.... એ પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે... ભાજપમાં ચાલતો આંતરિક ડખા હવે ધીમે ધીમે બહાર ખુલીને આવી રહ્યો છે.. ભાજપના નેતાઓ જ ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે..

PM Modiને સંબોધીને લખ્યો પત્ર

જવાહર ચાવડાએ પીએમ મોદીને પત્ર લખ્યો છે જેમાં તેમણે અનેક મુદ્દાઓની વાત કરી છે.. જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું કે‘સત્યનો હંમેશા વિજય થાય છે આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની છે., આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ તેમાં અપવાદ છે. પત્રની શરૂઆત તેમણે કાગબાપુની રચનાથી કરી... તેમણે પોતાના પત્રમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરૂપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. 



ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ સામે શું પગલા લેશે?

મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક વિખવાદ ચરમસીમા પર હોય તેવું લાગી રહ્યું છે.. જોવાનું એ રહેશે કે આ પત્ર પછી ભારતીય જનતા પાર્ટી પોતાના જિલ્લા પ્રમુખ સામે શું પગલા લે છે, કિરીટ પટેલ આ પહેલા પણ ચૂંટણી સમયે જ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીના કારણે ચર્ચામાં આવી ચુક્યા છે, પણ આ વખતે સ્થિતિ અલગ છે, કહેવાતી શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના એક પછી એક રહસ્યો બહાર આવી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર રોકાશે કે કેમ, ભાજપ પોતાનાં જ કથિત ગેરકાયદેર બિલ્ડીંગ માટે શું પગલા લેશે...અને સૌથી મોટી વાત આ પ્રશ્નોના જવાબ રાજનીતિક મળશે કે નાગરીક હિતના એ મહત્વનું છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.