જૂનાગઢમાં મામલો મેદાને|જવાહર ચાવડાનો પ્રધાનમંત્રીને ઉદ્દેશીને પત્ર, ભાજપ પ્રમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ


  • Published By :
  • Published Date : 2024-09-17 15:14:35

તમે કલ્પના કરી શકો કે એક પક્ષના પૂર્વ મંત્રી પોતાની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ પર ભ્રષ્ટાચારના એટલા ગંભીર આરોપ મુકે કે આવા નેતાઓના કારણે પ્રજાની વચ્ચે જવું મુશ્કેલ થઈ ગયું છે.... એ પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે... ભાજપમાં ચાલતો આંતરિક ડખા હવે ધીમે ધીમે બહાર ખુલીને આવી રહ્યો છે.. ભાજપના નેતાઓ જ ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે..

PM Modiને સંબોધીને લખ્યો પત્ર

જવાહર ચાવડાએ પીએમ મોદીને પત્ર લખ્યો છે જેમાં તેમણે અનેક મુદ્દાઓની વાત કરી છે.. જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું કે‘સત્યનો હંમેશા વિજય થાય છે આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની છે., આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ તેમાં અપવાદ છે. પત્રની શરૂઆત તેમણે કાગબાપુની રચનાથી કરી... તેમણે પોતાના પત્રમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરૂપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. 



ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ સામે શું પગલા લેશે?

મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક વિખવાદ ચરમસીમા પર હોય તેવું લાગી રહ્યું છે.. જોવાનું એ રહેશે કે આ પત્ર પછી ભારતીય જનતા પાર્ટી પોતાના જિલ્લા પ્રમુખ સામે શું પગલા લે છે, કિરીટ પટેલ આ પહેલા પણ ચૂંટણી સમયે જ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીના કારણે ચર્ચામાં આવી ચુક્યા છે, પણ આ વખતે સ્થિતિ અલગ છે, કહેવાતી શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના એક પછી એક રહસ્યો બહાર આવી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર રોકાશે કે કેમ, ભાજપ પોતાનાં જ કથિત ગેરકાયદેર બિલ્ડીંગ માટે શું પગલા લેશે...અને સૌથી મોટી વાત આ પ્રશ્નોના જવાબ રાજનીતિક મળશે કે નાગરીક હિતના એ મહત્વનું છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .