સસ્પેન્ડેડ માવજી દેસાઈ ભાજપના કાર્યક્રમમાં જોવા મળતા કાર્યકરોમાં રોષ, PM મોદીને કરશે રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-04-11 15:09:20

ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા માવજી દેસાઈ ભાજપના સ્થાપના દિવસે જોવા મળતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના સ્થાપના દિવસે મોરીયામાં આયોજીત કાર્યક્રમમાં માવજી દેસાઇ ખેસ પહેરીને ભાજપના અગ્રણી નેતાઓ સાથે ઉપસ્થિત રહેતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિધાનસભાની ચૂંટણી વખતે માવજી દેસાઈનું પત્તુ કપાતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જો કે ભાજપે પણ તેમને આજીવન સભ્યપદેથી દુર કર્યા હતા.


માવજી દેસાઈનું માનસ પરિવર્તન કેમ?


માવજી દેસાઈ શા માટે ભાજપના કાર્યક્રમમાં શા માટે ઉપસ્થિત તેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે હાલમાં જ્યારે ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી આવી છે ત્યારે માવજી દેસાઇ અસ્તિત્વ બચાવવા માટે ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના ખેસ પહેરીને પહોંચી જાય છે. પરંતુ ભાજપ સ્થાપના દિવસે જીલ્લાના ભાજપના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરીને સ્ટેજ ઉપર બેસતા ધાનેરાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


કાર્યકર્તાઓ PM મોદીને રજૂઆત કરશે


વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા જતા ત્યારે આ લોકોની ગાળો ખાધી છે તેમજ ભાજપને નુકસાન કરવા છતાં જો આવા આજીવન સસ્પેન્ડ કરેલા લોકોને આગળ બેસાડવામાં આવતા હોય તો બીજા લોકો પણ આગામી સમયમાં બળવા કરશે અને તે પાછા માફી માંગીને આવી જશે.આ બાબતે 200 કાર્યકર્તાઓ સહી કરી પ્રધાનમંત્રીને રજૂઆત કરશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે