સસ્પેન્ડેડ માવજી દેસાઈ ભાજપના કાર્યક્રમમાં જોવા મળતા કાર્યકરોમાં રોષ, PM મોદીને કરશે રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-04-11 15:09:20

ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા માવજી દેસાઈ ભાજપના સ્થાપના દિવસે જોવા મળતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના સ્થાપના દિવસે મોરીયામાં આયોજીત કાર્યક્રમમાં માવજી દેસાઇ ખેસ પહેરીને ભાજપના અગ્રણી નેતાઓ સાથે ઉપસ્થિત રહેતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિધાનસભાની ચૂંટણી વખતે માવજી દેસાઈનું પત્તુ કપાતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જો કે ભાજપે પણ તેમને આજીવન સભ્યપદેથી દુર કર્યા હતા.


માવજી દેસાઈનું માનસ પરિવર્તન કેમ?


માવજી દેસાઈ શા માટે ભાજપના કાર્યક્રમમાં શા માટે ઉપસ્થિત તેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે હાલમાં જ્યારે ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી આવી છે ત્યારે માવજી દેસાઇ અસ્તિત્વ બચાવવા માટે ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના ખેસ પહેરીને પહોંચી જાય છે. પરંતુ ભાજપ સ્થાપના દિવસે જીલ્લાના ભાજપના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરીને સ્ટેજ ઉપર બેસતા ધાનેરાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


કાર્યકર્તાઓ PM મોદીને રજૂઆત કરશે


વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા જતા ત્યારે આ લોકોની ગાળો ખાધી છે તેમજ ભાજપને નુકસાન કરવા છતાં જો આવા આજીવન સસ્પેન્ડ કરેલા લોકોને આગળ બેસાડવામાં આવતા હોય તો બીજા લોકો પણ આગામી સમયમાં બળવા કરશે અને તે પાછા માફી માંગીને આવી જશે.આ બાબતે 200 કાર્યકર્તાઓ સહી કરી પ્રધાનમંત્રીને રજૂઆત કરશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.