સસ્પેન્ડેડ માવજી દેસાઈ ભાજપના કાર્યક્રમમાં જોવા મળતા કાર્યકરોમાં રોષ, PM મોદીને કરશે રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-04-11 15:09:20

ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા માવજી દેસાઈ ભાજપના સ્થાપના દિવસે જોવા મળતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના સ્થાપના દિવસે મોરીયામાં આયોજીત કાર્યક્રમમાં માવજી દેસાઇ ખેસ પહેરીને ભાજપના અગ્રણી નેતાઓ સાથે ઉપસ્થિત રહેતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિધાનસભાની ચૂંટણી વખતે માવજી દેસાઈનું પત્તુ કપાતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જો કે ભાજપે પણ તેમને આજીવન સભ્યપદેથી દુર કર્યા હતા.


માવજી દેસાઈનું માનસ પરિવર્તન કેમ?


માવજી દેસાઈ શા માટે ભાજપના કાર્યક્રમમાં શા માટે ઉપસ્થિત તેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે હાલમાં જ્યારે ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી આવી છે ત્યારે માવજી દેસાઇ અસ્તિત્વ બચાવવા માટે ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના ખેસ પહેરીને પહોંચી જાય છે. પરંતુ ભાજપ સ્થાપના દિવસે જીલ્લાના ભાજપના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરીને સ્ટેજ ઉપર બેસતા ધાનેરાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


કાર્યકર્તાઓ PM મોદીને રજૂઆત કરશે


વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા જતા ત્યારે આ લોકોની ગાળો ખાધી છે તેમજ ભાજપને નુકસાન કરવા છતાં જો આવા આજીવન સસ્પેન્ડ કરેલા લોકોને આગળ બેસાડવામાં આવતા હોય તો બીજા લોકો પણ આગામી સમયમાં બળવા કરશે અને તે પાછા માફી માંગીને આવી જશે.આ બાબતે 200 કાર્યકર્તાઓ સહી કરી પ્રધાનમંત્રીને રજૂઆત કરશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.