લોકસભા ચૂંટણી: માયાવતીએ કરી મોટી જાહેરાત, NDA કે I.N.D.I.A. સાથે નહીં કરે ગઠબંધન


  • Published By :
  • Published Date : 2023-08-23 16:01:09

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ માયાવતીએ આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. બસપા સુપ્રીમો માયાવતીએ બુધવારે લખનૌમાં ચાલી રહેલી બહુજન સમાજ પાર્ટીની બેઠકમાં ચૂંટણીને લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે ચૂંટણી વ્યૂહરચના પર વિચાર વિમર્શ કર્યો હતો. બેઠક બાદ બહુજન સમાજ પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે બહુજન સમાજ પાર્ટી એનડીએ કે I.N.D.I.A.સાથે નહીં પણ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. આ સાથે જ પાર્ટીને વધુ મજબુત બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.


પાર્ટીનો જનાધાર વધારવા અપીલ


બીએસપી સુપ્રિમોએ સભ્યોને સંગઠન અને કેડરને મજબૂત કરવા માટે ગામડાઓમાં નાની મીટીંગો યોજવાનો નિર્દેશ આપ્યો અને આ સાથે તેમણે પાર્ટીનો જન આધાર વધારવા માટે જૂની ભૂલો દૂર કરવા કહ્યું. બેઠકમાં માયાવતીએ સ્પષ્ટ કહ્યું કે ગઠબંધનના કારણે બીએસપીને લાભના બદલે નુકસાન થઈ રહ્યું છે. બીએસપીનો વોટ બીજી પાર્ટીને ટ્રાન્સફર થાય છે પરંતુ બીજી પાર્ટી તેના વોટ બીએસપીને ટ્રાન્સફર કરી શકતી નથી. એટલા માટે પાર્ટી કોઈની સાથે ગઠબંધન નહીં કરે.


માયાવતીએ ભત્રીજાને આશીર્વાદ આપ્યા

 

યુપીમાં લોકસભાની 80 બેઠકો છે. માયાવતીએ તમામ સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ વખતે યુપીમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએ હશે અને બીજી તરફ ભારત ગઠબંધનનું નેતૃત્વ સમાજવાદી પાર્ટી કરશે. આ વખતે માયાવતી દલિત મુસ્લિમના સામાજિક ફોર્મ્યુલા પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.આજની બેઠકમાં માયાવતી ઉપરાંત તેમના ભત્રીજા આકાશ આનંદની સૌથી વધુ ચર્ચા થઈ હતી. માયાવતીએ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આકાશને પણ બધાની સામે ફોન કરીને આશીર્વાદ આપ્યા હતા.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે