મયૂર તડવી પાર્ટ-2! લોકરક્ષક ભરતી કૌભાંડનો પર્દાફાશ થતાં Yuvrajsinh Jadejaએ આપી પ્રતિક્રિયા, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-08-23 17:37:23

રાજકોટમાં એલઆરડી ભરતી કૌભાંડ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બોગસ સર્ટિફિકેટ લઈ પ્રવેશ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગમાં ભરતી થાય તે પહેલા જ આ કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યો હતો. ચાર લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શારીરિક કસોટીમાં નાપાસ થયેલા પ્રદીપ મકવાણાએ નકલી સર્ટિફિકેટ બનાવી પ્રવેશ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ કૌભાંડનો પર્દાફાશ થતાં યુવરાજસિંહ એક્ટિવ મોડમાં દેખાયા છે. યુવરાજસિંહે આ સમગ્ર ઘટનાને મયૂર તડવી સાથે સરખાવી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે મયૂર તડવી પાર્ટ 2 બનવા જતી ઘટના તંત્ર માટે એલાર્મ રૂપ. વધુમાં તેમણે લખ્યું કે વ્યક્તિ ડુપ્લીકેટ નીમણુંક પત્ર બનાવી ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચી જાય છે. ગયા વખતે મયૂર તડવી હતો તો આજ વખતે પ્રદીપ ભરતભાઈ મકવાણા છે.

એલઆરડી ભરતી કૌભાંડ વિશે યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા 

ગુજરાતમાં ફરી એક કૌભાંડ સામે આવ્યું છે. એલઆરડી ભરતી કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા ચકચાર થઈ ગયો હતો. આ મામલે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  થોડા સમય પહેલા યુવરાજસિંહ અનેક કૌભાંડોનો પર્દાફાશ કરે છે. થોડા સમય પહેલા ડમી કાંડ મામલે તેમણે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. નકલી ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે છે. ત્યારે LRD ભરતી કૌભાંડને લઈ યુવરાજસિંહે સરકારને ઘેરી છે. 


જો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોત....

ટ્વિટ કરતા યુવરાજસિંહે લખ્યું કે વ્યક્તિ ડુપ્લીકેટ નીમણુંક પત્ર બનાવી ટ્રેનિંગ સેન્ટર સુધી પોહચી જાય છે. ગયા વખતે મયૂર તડવી હતો તો આજ વખતે પ્રદીપ ભરતભાઈ મકવાણા છે. આ વખતે જે ડુપ્લીકેટ અને બોગસ નીમણુંક પત્ર બનાવવામાં આવ્યો છે તે ચોટીલા થી બનાવમાં આવેલ અને ફક્ત એક નહિ 28 નીમણુંક પત્ર બનાવમાં આવેલ. મયૂર તડવીની જેમ પ્રદીપ મકવાણા પણ ફિઝિકલ પરીક્ષા નાપાસ હતો અને નકલી કોલલેટર ને પાસનો સહી સિક્કા વાળો લેટર બનાવે છે. ભૂતકાળની ઘટના માંથી બોધપાઠ લઈ દંડાત્મક કાર્યવાહી થઈ હોત તો આ ઘટનાનું પુનરાવર્તન ન થયું હોત.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.