કેન્સરને ડિટેક્ટ કરતા MCED બ્લડ ટેસ્ટથી લાખો લોકોના જીવ બચાવી શકાશે


  • Published By :
  • Published Date : 2022-11-01 21:02:42


કેન્સરનું નામ સાંભળતા જ ભલભલો માણસ ધ્રુજી જાય છે. આજે પણ વિશ્વનામાં કેન્સરની કોઈ રામબાણ દવા નથી. દુનિયાભરમાં દર વર્ષે લગભગ 95 લાખ લોકોના મોત કેન્સરથી થાય છે. જો કે હવે વૈજ્ઞાનિકોએ એક સિમ્પલ બ્લડ ટેસ્ટથી 50 પ્રકારના કેન્સરની ડિટેક્ટ કરી શકાય તેવો દાવો કર્યો છે. હાલ આ ટેસ્ટનો ટ્રાયલ ચાલી રહ્યો છે, અને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. જો આ ટ્રાયલ સફળ રહ્યું તો કેન્સર સામે લડવામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થશે. 



ટેસ્ટને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો જો બિડેનનો આદેશ


આ ટેસ્ટને મલ્ટિકેન્સર અર્લી ડિટેક્શન ટેસ્ટ (MCED) કહેવામાં આવે છે. અમેરિકાના પ્રમુખ જો બિડેને MCEDને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે કેન્સરને ખતમ કરવા માટે આ એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. આ ટેસ્ટ કેલિફોર્નિયાની ગ્રેઈલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રેઇલ કહે છે કે આ ટેસ્ટ 50 થી વધુ વિવિધ પ્રકારના કેન્સરને શોધી શકે છે.


આ ટેસ્ટ કેવી રીતે કામ કરે છે?


માનવ શરીરમાં જ્યારે કોઈપણ પ્રકારના કોષનું મૃત્યુ થાય છે, ત્યારે તેનો DNA લોહીમાં મુક્ત થાય છે અને તે તરતો રહે છે. જ્યારે કેન્સર કોષો કોષ પર હુમલો કરે છે, ત્યારે તે કોષ ગાંઠ કોષમાં ફેરવાઈ જાય છે. ટ્યુમર સેલમાં ડીએનએ પણ હશે, પરંતુ તે ડીએનએનો અલગ પ્રકાર હશે. જ્યારે ગાંઠ કોશિકાઓના ડીએનએ લોહીમાં તરતા હોય છે, ત્યારે MCED લોહીના પ્રવાહમાંથી સમાન ગાંઠના ડીએનએને ઓળખશે. આ નોન-સેલ ડીએનએ તે કયા પ્રકારના પેશીમાંથી આવ્યો છે અને તે સામાન્ય ડીએનએ છે કે કેન્સરગ્રસ્ત ડીએનએ છે તેની માહિતી આપશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.