કેન્સરને ડિટેક્ટ કરતા MCED બ્લડ ટેસ્ટથી લાખો લોકોના જીવ બચાવી શકાશે


  • Published By :
  • Published Date : 2022-11-01 21:02:42


કેન્સરનું નામ સાંભળતા જ ભલભલો માણસ ધ્રુજી જાય છે. આજે પણ વિશ્વનામાં કેન્સરની કોઈ રામબાણ દવા નથી. દુનિયાભરમાં દર વર્ષે લગભગ 95 લાખ લોકોના મોત કેન્સરથી થાય છે. જો કે હવે વૈજ્ઞાનિકોએ એક સિમ્પલ બ્લડ ટેસ્ટથી 50 પ્રકારના કેન્સરની ડિટેક્ટ કરી શકાય તેવો દાવો કર્યો છે. હાલ આ ટેસ્ટનો ટ્રાયલ ચાલી રહ્યો છે, અને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. જો આ ટ્રાયલ સફળ રહ્યું તો કેન્સર સામે લડવામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થશે. 



ટેસ્ટને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો જો બિડેનનો આદેશ


આ ટેસ્ટને મલ્ટિકેન્સર અર્લી ડિટેક્શન ટેસ્ટ (MCED) કહેવામાં આવે છે. અમેરિકાના પ્રમુખ જો બિડેને MCEDને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે કેન્સરને ખતમ કરવા માટે આ એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. આ ટેસ્ટ કેલિફોર્નિયાની ગ્રેઈલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રેઇલ કહે છે કે આ ટેસ્ટ 50 થી વધુ વિવિધ પ્રકારના કેન્સરને શોધી શકે છે.


આ ટેસ્ટ કેવી રીતે કામ કરે છે?


માનવ શરીરમાં જ્યારે કોઈપણ પ્રકારના કોષનું મૃત્યુ થાય છે, ત્યારે તેનો DNA લોહીમાં મુક્ત થાય છે અને તે તરતો રહે છે. જ્યારે કેન્સર કોષો કોષ પર હુમલો કરે છે, ત્યારે તે કોષ ગાંઠ કોષમાં ફેરવાઈ જાય છે. ટ્યુમર સેલમાં ડીએનએ પણ હશે, પરંતુ તે ડીએનએનો અલગ પ્રકાર હશે. જ્યારે ગાંઠ કોશિકાઓના ડીએનએ લોહીમાં તરતા હોય છે, ત્યારે MCED લોહીના પ્રવાહમાંથી સમાન ગાંઠના ડીએનએને ઓળખશે. આ નોન-સેલ ડીએનએ તે કયા પ્રકારના પેશીમાંથી આવ્યો છે અને તે સામાન્ય ડીએનએ છે કે કેન્સરગ્રસ્ત ડીએનએ છે તેની માહિતી આપશે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.