કેન્સરને ડિટેક્ટ કરતા MCED બ્લડ ટેસ્ટથી લાખો લોકોના જીવ બચાવી શકાશે


  • Published By :
  • Published Date : 2022-11-01 21:02:42


કેન્સરનું નામ સાંભળતા જ ભલભલો માણસ ધ્રુજી જાય છે. આજે પણ વિશ્વનામાં કેન્સરની કોઈ રામબાણ દવા નથી. દુનિયાભરમાં દર વર્ષે લગભગ 95 લાખ લોકોના મોત કેન્સરથી થાય છે. જો કે હવે વૈજ્ઞાનિકોએ એક સિમ્પલ બ્લડ ટેસ્ટથી 50 પ્રકારના કેન્સરની ડિટેક્ટ કરી શકાય તેવો દાવો કર્યો છે. હાલ આ ટેસ્ટનો ટ્રાયલ ચાલી રહ્યો છે, અને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. જો આ ટ્રાયલ સફળ રહ્યું તો કેન્સર સામે લડવામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થશે. 



ટેસ્ટને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો જો બિડેનનો આદેશ


આ ટેસ્ટને મલ્ટિકેન્સર અર્લી ડિટેક્શન ટેસ્ટ (MCED) કહેવામાં આવે છે. અમેરિકાના પ્રમુખ જો બિડેને MCEDને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે કેન્સરને ખતમ કરવા માટે આ એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. આ ટેસ્ટ કેલિફોર્નિયાની ગ્રેઈલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રેઇલ કહે છે કે આ ટેસ્ટ 50 થી વધુ વિવિધ પ્રકારના કેન્સરને શોધી શકે છે.


આ ટેસ્ટ કેવી રીતે કામ કરે છે?


માનવ શરીરમાં જ્યારે કોઈપણ પ્રકારના કોષનું મૃત્યુ થાય છે, ત્યારે તેનો DNA લોહીમાં મુક્ત થાય છે અને તે તરતો રહે છે. જ્યારે કેન્સર કોષો કોષ પર હુમલો કરે છે, ત્યારે તે કોષ ગાંઠ કોષમાં ફેરવાઈ જાય છે. ટ્યુમર સેલમાં ડીએનએ પણ હશે, પરંતુ તે ડીએનએનો અલગ પ્રકાર હશે. જ્યારે ગાંઠ કોશિકાઓના ડીએનએ લોહીમાં તરતા હોય છે, ત્યારે MCED લોહીના પ્રવાહમાંથી સમાન ગાંઠના ડીએનએને ઓળખશે. આ નોન-સેલ ડીએનએ તે કયા પ્રકારના પેશીમાંથી આવ્યો છે અને તે સામાન્ય ડીએનએ છે કે કેન્સરગ્રસ્ત ડીએનએ છે તેની માહિતી આપશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.