Medi Assist Healthcareનો IPO આગામી સોમવારે ખુલશે, કેટલું ચાલી રહ્યું છે GMP, જાણો


  • Published By :
  • Published Date : 2024-01-10 17:58:15

હેલ્થકેર સેવાઓ પૂરી પાડતી કંપની Medi Assist Healthcare IPOનો IPO આવતા સોમવારે બજારમાં આવી રહ્યો છે. આ IPOની પ્રાઇસ બેન્ડ શું હશે, તેની આજે જાહેરાત કરવામાં આવી હતી. કંપનીએ આ IPOની પ્રાઇસ બેન્ડ રૂ.397 થી રૂ.418 પ્રતિ શેર નક્કી કરી છે. અમે તમને આ IPO વિશે બધું જણાવી રહ્યા છીએ. અમે તમને એ પણ જણાવીશું કે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ (GMP) શું ચાલી રહ્યું છે.


પ્રાઇસ બેન્ડ કેટલું છે?


મેડી આસિસ્ટનો IPO આવતા સોમવારે એટલે કે 15 જાન્યુઆરી, 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો તેમાં 17 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. એન્કર રોકાણકારો માટે બિડિંગ ડે શુક્રવાર, જાન્યુઆરી 12, 2023 છે. આ IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 397 થી રૂપિયા 418 નક્કી કરવામાં આવી છે. IPOમાં ફ્લોર પ્રાઇસ ફેસ વેલ્યુના 79.40 ગણી અને કેપ પ્રાઇસ 83.60 ગણી છે. ફ્લોર પ્રાઇસ પર PE રેશિયો 36.66 ગણો છે અને કેપ પ્રાઇસ પર 38.60 ગણો છે. IPO ની લોટ સાઈઝ 35 શેર અને ત્યાર બાદ 35 ના ગુણાંકમાં છે.


લિસ્ટિંગ ક્યારે થશે?


Medi Assist Healthcare Services IPOમાં શેરની ફાળવણીનો નિર્ણય 18 જાન્યુઆરીએ લેવામાં આવી શકે છે. જ્યારે, શેરનું લિસ્ટિંગ 22 જાન્યુઆરીએ થવાનું અનુમાન છે. Medi Assist IPO નો 50% ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે, 15% નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NIIs) માટે અને 35% છૂટક રોકાણકારો માટે રિઝર્વ છે.


કંપનીનો બિઝનેશ શું છે?


Medi Assist Healthcare Services Limited તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ MedVantage TPA, Raksha TPA અને Medi Assist TPA દ્વારા વીમા કંપનીઓને થર્ડ પાર્ટી વહીવટી સેવાઓ પૂરી પાડે છે. તે એવી સંસ્થા છે જે વીમા કંપનીઓ વતી આરોગ્ય વીમા દાવાઓનું સંચાલન કરે છે અને નેટવર્ક મેનેજમેન્ટ, પોલિસી એડમિનિસ્ટ્રેશન અને ગ્રાહક સેવા જેવી સેવાઓ પ્રદાન કરે છે. કંપની તેની પેટાકંપની IHMS, Mayfair India, Mayfair UK, Mayfair Group Holding, Mayfair ફિલિપાઇન્સ અને Mayfair સિંગાપોરની મદદથી કંપની વધારાની આરોગ્ય અને સહાયક સેવાઓ પણ પૂરી પાડે છે. આમાં હોસ્પિટલાઇઝેશન, કોલ સેન્ટર, કસ્ટમર રિલેશન્સ, કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ, બિલિંગ અને ક્લેમ પ્રોસેસિંગ સર્વિસીસનો સમાવેશ થાય છે.

 

GMP શું ચાલી રહ્યું છે?


મેડી અસિસ્ટ હેલ્થકેર આઈપીઓ બુધવારે સવારે ગ્રે માર્કેટમાં રૂ. 80ના પ્રીમિયમ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જો તેની કિંમત પ્રાઇસ બેન્ડના ઉપરના સ્તરે 418 રૂપિયા નક્કી કરવામાં આવે તો તેને 19.14 ટકા વધુ પ્રીમિયમ મળતું હોવાનું જણાય છે. એટલે કે રૂ. 498નું લિસ્ટિંગ ગેઈન મળે તેવી શક્યતા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.