મીડિયાએ અયોગ્ય, અસંસદિય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ટાળવો જોઈએ: કર્ણાટક હાઈકોર્ટ


  • Published By :
  • Published Date : 2023-08-04 16:22:57

કર્ણાટક હાઈકોર્ટે તેના એક ચુકાદામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની ઝાટકણી કાઢી હતી. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના મેનેજમેન્ટને સમાચાર સામગ્રી રજુ કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ. તે ઉપરાંત અદાલતે તે પણ કહ્યું કે મીડિયાએ અયોગ્ય અને અપમાનજનક ભાષા ટાળવી જોઈએ. કર્ણાટક હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વી શ્રીશાનંદે કહ્યું કે સમાજનો એક મોટો ભાગ સમાચાર પત્રોમાં પ્રકાશિત થતા સમાચારને દિવ્ય સત્ય માને છે. કોર્ટે કહ્યું કે સમાચાર રિપોર્ટોમાં અસંસદિય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા પહેલા અત્યંત સંયમ જાળવવો જોઈએ.


શું કહ્યું હાઈકોર્ટે?


કર્ણાટક હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું કે 'આજે પણ સમાજનો એક મોટો વર્ગ સમાચાર પત્રમાં પ્રકાશિત થતાં સમાચારોને પુષ્ટી કર્યા વગર કે સત્યાપન કર્યા વગર જ સત્ય માની લે છે. જ્યારે દેશની જનતા મીડિયા પર આટલો વિશ્વાસ કરે છે ત્યારે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરનારા લોકોની ભૂમિકા સમાચાર રિપોર્ટ કરતા સમયે અસંસદીય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં અત્યંત સાવધાની રાખવી જોઈએ'


સમગ્ર મામલો શું હતો?


કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ વર્ષ 2012માં બેંગલુરૂની સિવિલ કોર્ટના કોમ્પ્લેક્સમાં વકીલો, પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ તથા અન્ય લોકો વચ્ચે થયેલી અથડામણનો કેસ સુનાવણી માટે આવ્યો હતો. આ ઘટના બાદ રાજ્યના મીડિયાએ તેમના સમાચાર રિપોર્ટમાં સમાચાર પત્રો અને ટીવી ન્યૂઝ ચેનલોએ વકીલો માટે 'તાલિબાન' અને 'ગુંડા' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.  ત્યાર બાદ રાજ્યની બાર કાઉન્સિલે ગુનાહિત કેસમાં આરોપી પત્રકારો માટે કોર્ટમાં કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. 


ભૂલ માટે મીડિયાએ ખેદ વ્યક્ત કર્યો


આ કેસ ઘણા સમયથી પેન્ડિંગ હતો અંતે સમાચાર પત્રો સંયુક્ત કર્ણાટક, હોસદિગંતા, નવોદય, અને કિત્તુર કર્ણાટક દ્વારા હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. આ સમાચાર પત્રોએ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. અરજીકર્તાઓએ તેમના પ્રકાશનોમાં ખેદ વ્યક્ત કર્યો અને અદાલતમાં  તેમની સામે ચાલી રહેલા ગુનાહિત કેસને રદ્દ કરાવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમનો કોઈ ઈરાદો ફરિયાદી પક્ષને બદનામ કરવાનો નહોંતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.