મીડિયાએ અયોગ્ય, અસંસદિય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ટાળવો જોઈએ: કર્ણાટક હાઈકોર્ટ


  • Published By :
  • Published Date : 2023-08-04 16:22:57

કર્ણાટક હાઈકોર્ટે તેના એક ચુકાદામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની ઝાટકણી કાઢી હતી. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના મેનેજમેન્ટને સમાચાર સામગ્રી રજુ કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ. તે ઉપરાંત અદાલતે તે પણ કહ્યું કે મીડિયાએ અયોગ્ય અને અપમાનજનક ભાષા ટાળવી જોઈએ. કર્ણાટક હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વી શ્રીશાનંદે કહ્યું કે સમાજનો એક મોટો ભાગ સમાચાર પત્રોમાં પ્રકાશિત થતા સમાચારને દિવ્ય સત્ય માને છે. કોર્ટે કહ્યું કે સમાચાર રિપોર્ટોમાં અસંસદિય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા પહેલા અત્યંત સંયમ જાળવવો જોઈએ.


શું કહ્યું હાઈકોર્ટે?


કર્ણાટક હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું કે 'આજે પણ સમાજનો એક મોટો વર્ગ સમાચાર પત્રમાં પ્રકાશિત થતાં સમાચારોને પુષ્ટી કર્યા વગર કે સત્યાપન કર્યા વગર જ સત્ય માની લે છે. જ્યારે દેશની જનતા મીડિયા પર આટલો વિશ્વાસ કરે છે ત્યારે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરનારા લોકોની ભૂમિકા સમાચાર રિપોર્ટ કરતા સમયે અસંસદીય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં અત્યંત સાવધાની રાખવી જોઈએ'


સમગ્ર મામલો શું હતો?


કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ વર્ષ 2012માં બેંગલુરૂની સિવિલ કોર્ટના કોમ્પ્લેક્સમાં વકીલો, પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ તથા અન્ય લોકો વચ્ચે થયેલી અથડામણનો કેસ સુનાવણી માટે આવ્યો હતો. આ ઘટના બાદ રાજ્યના મીડિયાએ તેમના સમાચાર રિપોર્ટમાં સમાચાર પત્રો અને ટીવી ન્યૂઝ ચેનલોએ વકીલો માટે 'તાલિબાન' અને 'ગુંડા' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.  ત્યાર બાદ રાજ્યની બાર કાઉન્સિલે ગુનાહિત કેસમાં આરોપી પત્રકારો માટે કોર્ટમાં કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. 


ભૂલ માટે મીડિયાએ ખેદ વ્યક્ત કર્યો


આ કેસ ઘણા સમયથી પેન્ડિંગ હતો અંતે સમાચાર પત્રો સંયુક્ત કર્ણાટક, હોસદિગંતા, નવોદય, અને કિત્તુર કર્ણાટક દ્વારા હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. આ સમાચાર પત્રોએ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. અરજીકર્તાઓએ તેમના પ્રકાશનોમાં ખેદ વ્યક્ત કર્યો અને અદાલતમાં  તેમની સામે ચાલી રહેલા ગુનાહિત કેસને રદ્દ કરાવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમનો કોઈ ઈરાદો ફરિયાદી પક્ષને બદનામ કરવાનો નહોંતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.