મીડિયાએ અયોગ્ય, અસંસદિય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ટાળવો જોઈએ: કર્ણાટક હાઈકોર્ટ


  • Published By :
  • Published Date : 2023-08-04 16:22:57

કર્ણાટક હાઈકોર્ટે તેના એક ચુકાદામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની ઝાટકણી કાઢી હતી. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના મેનેજમેન્ટને સમાચાર સામગ્રી રજુ કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ. તે ઉપરાંત અદાલતે તે પણ કહ્યું કે મીડિયાએ અયોગ્ય અને અપમાનજનક ભાષા ટાળવી જોઈએ. કર્ણાટક હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વી શ્રીશાનંદે કહ્યું કે સમાજનો એક મોટો ભાગ સમાચાર પત્રોમાં પ્રકાશિત થતા સમાચારને દિવ્ય સત્ય માને છે. કોર્ટે કહ્યું કે સમાચાર રિપોર્ટોમાં અસંસદિય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા પહેલા અત્યંત સંયમ જાળવવો જોઈએ.


શું કહ્યું હાઈકોર્ટે?


કર્ણાટક હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું કે 'આજે પણ સમાજનો એક મોટો વર્ગ સમાચાર પત્રમાં પ્રકાશિત થતાં સમાચારોને પુષ્ટી કર્યા વગર કે સત્યાપન કર્યા વગર જ સત્ય માની લે છે. જ્યારે દેશની જનતા મીડિયા પર આટલો વિશ્વાસ કરે છે ત્યારે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરનારા લોકોની ભૂમિકા સમાચાર રિપોર્ટ કરતા સમયે અસંસદીય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં અત્યંત સાવધાની રાખવી જોઈએ'


સમગ્ર મામલો શું હતો?


કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ વર્ષ 2012માં બેંગલુરૂની સિવિલ કોર્ટના કોમ્પ્લેક્સમાં વકીલો, પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ તથા અન્ય લોકો વચ્ચે થયેલી અથડામણનો કેસ સુનાવણી માટે આવ્યો હતો. આ ઘટના બાદ રાજ્યના મીડિયાએ તેમના સમાચાર રિપોર્ટમાં સમાચાર પત્રો અને ટીવી ન્યૂઝ ચેનલોએ વકીલો માટે 'તાલિબાન' અને 'ગુંડા' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.  ત્યાર બાદ રાજ્યની બાર કાઉન્સિલે ગુનાહિત કેસમાં આરોપી પત્રકારો માટે કોર્ટમાં કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. 


ભૂલ માટે મીડિયાએ ખેદ વ્યક્ત કર્યો


આ કેસ ઘણા સમયથી પેન્ડિંગ હતો અંતે સમાચાર પત્રો સંયુક્ત કર્ણાટક, હોસદિગંતા, નવોદય, અને કિત્તુર કર્ણાટક દ્વારા હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. આ સમાચાર પત્રોએ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. અરજીકર્તાઓએ તેમના પ્રકાશનોમાં ખેદ વ્યક્ત કર્યો અને અદાલતમાં  તેમની સામે ચાલી રહેલા ગુનાહિત કેસને રદ્દ કરાવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમનો કોઈ ઈરાદો ફરિયાદી પક્ષને બદનામ કરવાનો નહોંતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .