મેડિકલના વિદ્યાર્થીની અમદાવાદના અટલબ્રિજ પરથી મોતની છલાંગ, આત્મહત્યાનું કારણ ડિપ્રેશન?


  • Published By :
  • Published Date : 2023-01-18 14:00:01

અમદાવાદનો અટલબ્રિજ લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ બન્યો છે, જો કે એક આશાસ્પદ યુવકે તે બ્રિજ પર મોતની છલાંગ લગાવી છે. યુવકે બ્રિજ પરથી સાબરમતી નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરી મોતને વ્હાલું કરાનારા યવકની ઓળખ કરવામાં આવી છે. તે યુવક મેડિકલનો અભ્યાસ કરતો હોવાનું પ્રથમિક તપાસમાં બહાર આવ્યું છે.


મોતની છલાંગ લગાવનારો યુવક કોણ છે?


આત્મહત્યા કરનારા યુવકનું નામ  પારિતોષ મોદી છે અને તે મૂળ પાલનપુરનો છે. પારિતોષ મોદી અમદાવાદની NHL કૉલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.  20 વર્ષીય પારિતોષ મોદીએ મંગળવારે રાતે અટલબ્રિજ પરથી છલાંગ લગાવી હતી. પારિતોષ મોદીએ ક્યા કારણોસર જીવન ટૂંકાવ્યું હતું તે જાણી શકાયું નથી. 


ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન


ફાયરની રેસ્ક્યૂ ટીમે પારિતોષના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસની ટીમે મૃતકના પરિવાજનોને આ અંગેની જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આત્મહત્યા કરતા અગાઉ પારિતોષે ઇન્સ્ટાગ્રામ પર ફ્રીડમ કેપ્શન સાથે અંતિમ પોસ્ટ મુકી હતી. પારિતોષે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.