મેડિકલના વિદ્યાર્થીની અમદાવાદના અટલબ્રિજ પરથી મોતની છલાંગ, આત્મહત્યાનું કારણ ડિપ્રેશન?


  • Published By :
  • Published Date : 2023-01-18 14:00:01

અમદાવાદનો અટલબ્રિજ લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ બન્યો છે, જો કે એક આશાસ્પદ યુવકે તે બ્રિજ પર મોતની છલાંગ લગાવી છે. યુવકે બ્રિજ પરથી સાબરમતી નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરી મોતને વ્હાલું કરાનારા યવકની ઓળખ કરવામાં આવી છે. તે યુવક મેડિકલનો અભ્યાસ કરતો હોવાનું પ્રથમિક તપાસમાં બહાર આવ્યું છે.


મોતની છલાંગ લગાવનારો યુવક કોણ છે?


આત્મહત્યા કરનારા યુવકનું નામ  પારિતોષ મોદી છે અને તે મૂળ પાલનપુરનો છે. પારિતોષ મોદી અમદાવાદની NHL કૉલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.  20 વર્ષીય પારિતોષ મોદીએ મંગળવારે રાતે અટલબ્રિજ પરથી છલાંગ લગાવી હતી. પારિતોષ મોદીએ ક્યા કારણોસર જીવન ટૂંકાવ્યું હતું તે જાણી શકાયું નથી. 


ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન


ફાયરની રેસ્ક્યૂ ટીમે પારિતોષના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસની ટીમે મૃતકના પરિવાજનોને આ અંગેની જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આત્મહત્યા કરતા અગાઉ પારિતોષે ઇન્સ્ટાગ્રામ પર ફ્રીડમ કેપ્શન સાથે અંતિમ પોસ્ટ મુકી હતી. પારિતોષે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.