ક્ષત્રિય સમાજના આક્રોશને શાંત પાડવા સી.આર.પાટીલના નિવાસસ્થાને મીટિંગ, CM સહિત આ નેતાઓ હાજર... જાણો


  • Published By :
  • Published Date : 2024-04-02 11:39:18

લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તે બાદ ગુજરાતની અનેક બેઠકો પર વિરોધ જોવા મળી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહી છે. પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી પણ માગવામાં આવી પરંતુ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વિવાદને શાંત કરવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે. તે ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા. બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર છે.


ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માગ

ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ખુલીને બહાર આવી રહ્યો છે. ભાજપની જેવી હાલની પરિસ્થિતિ છે તેવી કલ્પના તો કદાચ ભાજપે પોતે પણ નહીં કરી હોય...! અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોના નામની ઘોષણા બાદ વિરોધ થઈ રહ્યો છે. એક વિવાદ શાંત થતો નથી ત્યાં તો બીજો એક વિવાદ શરૂ થઈ જાય છે.  આ બધા વચ્ચે રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો ઉપરાંત એવી માગ પણ કરવામાં આવી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે..


સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી બેઠક 

આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ પ્રતિદિન આ વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો હોય તેવું લાગે છે. અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિવાદ શાંત પાડવા માટે આજે સી.આર.પાટીલના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત છે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અઘ્યક્ષ સી. આર પાટીલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય આગેવાનો બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આ બેઠકમાં શું થાય છે?    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે