ક્ષત્રિય સમાજના આક્રોશને શાંત પાડવા સી.આર.પાટીલના નિવાસસ્થાને મીટિંગ, CM સહિત આ નેતાઓ હાજર... જાણો


  • Published By :
  • Published Date : 2024-04-02 11:39:18

લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તે બાદ ગુજરાતની અનેક બેઠકો પર વિરોધ જોવા મળી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહી છે. પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી પણ માગવામાં આવી પરંતુ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વિવાદને શાંત કરવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે. તે ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા. બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર છે.


ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માગ

ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ખુલીને બહાર આવી રહ્યો છે. ભાજપની જેવી હાલની પરિસ્થિતિ છે તેવી કલ્પના તો કદાચ ભાજપે પોતે પણ નહીં કરી હોય...! અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોના નામની ઘોષણા બાદ વિરોધ થઈ રહ્યો છે. એક વિવાદ શાંત થતો નથી ત્યાં તો બીજો એક વિવાદ શરૂ થઈ જાય છે.  આ બધા વચ્ચે રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો ઉપરાંત એવી માગ પણ કરવામાં આવી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે..


સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી બેઠક 

આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ પ્રતિદિન આ વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો હોય તેવું લાગે છે. અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિવાદ શાંત પાડવા માટે આજે સી.આર.પાટીલના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત છે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અઘ્યક્ષ સી. આર પાટીલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય આગેવાનો બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આ બેઠકમાં શું થાય છે?    




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.