ક્ષત્રિય સમાજના આક્રોશને શાંત પાડવા સી.આર.પાટીલના નિવાસસ્થાને મીટિંગ, CM સહિત આ નેતાઓ હાજર... જાણો


  • Published By :
  • Published Date : 2024-04-02 11:39:18

લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તે બાદ ગુજરાતની અનેક બેઠકો પર વિરોધ જોવા મળી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહી છે. પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી પણ માગવામાં આવી પરંતુ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વિવાદને શાંત કરવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે. તે ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા. બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર છે.


ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માગ

ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ખુલીને બહાર આવી રહ્યો છે. ભાજપની જેવી હાલની પરિસ્થિતિ છે તેવી કલ્પના તો કદાચ ભાજપે પોતે પણ નહીં કરી હોય...! અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોના નામની ઘોષણા બાદ વિરોધ થઈ રહ્યો છે. એક વિવાદ શાંત થતો નથી ત્યાં તો બીજો એક વિવાદ શરૂ થઈ જાય છે.  આ બધા વચ્ચે રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો ઉપરાંત એવી માગ પણ કરવામાં આવી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે..


સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી બેઠક 

આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ પ્રતિદિન આ વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો હોય તેવું લાગે છે. અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિવાદ શાંત પાડવા માટે આજે સી.આર.પાટીલના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત છે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અઘ્યક્ષ સી. આર પાટીલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય આગેવાનો બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આ બેઠકમાં શું થાય છે?    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.