ગાંધીનગરના શેરથામાં માલધારીઓનો જમાવડો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:21:42

STORY BY SAMIR PARMAR

ગુજરાત સરકાર સામે અનેક લોકોએ મોરચો માંડ્યો છે તેમાં આજે માલધારી સમાજના લોકોની પશુ નિયંત્રણ કાયદો રજ દરવા માટે ગાંધીનગરના શેરથા ખાતે માલધારી વેદના સભા મળી છે. આખા ગુજરાતના માલધારીઓ મળીને સરકાર સામે કાયદો રદ કરવા મામલે બેઠક કરી છે. 


આ બેઠકમાં શું થશે?

શેરથાની બેઠકમાં સરકારને ઘેરવા માટે આગામી આયોજનો મામલે ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં કેવી રીતે મુદ્દો ઉઠાવવો તે મામલે ચર્ચા કરવામાં આવી હતી. સભામાં ભુવાઓ, માલધારી સમાજના વડાઓ અને માલધારી નેતાઓ ભેગા થયા.   


માલધારીઓનું શું કહેવું છે?

માલધારી નેતાઓનું માનવું છે કે સરકાર ગૌચર માટે જમીન નથી આપતી પણ ઉદ્યોગપતિઓને તો તરત જમીન ધરી દેય છે. સરકારે પશુઓને રાખવા માટે શહેરમાં વ્યવસ્થા જ નથી કરી. પશુ ચરવા ક્યાં જાય તે માટે કોઈ વ્યવસ્થા નથી. 


માલધારીઓની બેઠક મામલે સરકારના માલધારી સેલનો શું મત છે? 

જમાવટે ભાજપના માલધારી સેલના સંજય દેસાઈ જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "માલધારી સમાજના સંતો અને ભુવાજી સહિતના આગેવાનો સાથે મળીને સરકારે ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચી લીધો છે. આ સત્રમાં ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની રજૂઆત કરવામાં આવી છે. શેરથા માલધારી સમાજની બેઠક કોંગ્રેસ પ્રેરીત છે અને રાજકારણમાં પોતાનો રોટલો શેકવા માટે કોંગ્રેસ અંદરખાને માલધારીઓને છેતરી રહી છે. દર ચૂંટણી સમયે કોંગ્રેસ ચિત્રમાં આવ્યા વગર માલધારી લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે. સરકારે માલધારી સમાજને બાંહેધરી આપી છે તે મુજબ ઢોર નિયંત્રણ કાયદો ચોક્કસ રદ કરવામાં આવશે તેવી મને ખાત્રી છે." 


22 સપ્ટેમ્બરે વિધાનસભાનું સત્ર મળશે  

આગામી 22 સપ્ટેમ્બરે વિધાનસભા ગૃહમાં સત્ર મળશે ત્યારે માલધારીઓ ઢોર નિયંત્રણ કાયદો પાછો લેવા માટે માગણી કરશે. વિધાનસભા ગૃહમાં અનેક પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય છે, ખરડા પસાર થતા હોય છે ત્યારે માલધારી સમાજ ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માગણી કરશે. 


હાઈકોર્ટે પશુ નિયંત્રણ મામલે સરકારને કર્યો હતો આદેશ 

ગુજરાતમાં અવાર નવાર રખડતા ઢોરથી અકસ્માત અને મોતના બનાવો સામે આવી રહ્યા હતા ત્યારે હાઈકોર્ટે ગુજરાત સરકારને સમગ્ર મામલે પગલા લેવા આદેશ કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાના કારણે સરકાર કોઈ રમતબાજી કરીને ફસાય તેવું નથી ઈચ્છતી. ગુજરાતમાં અનેક જગ્યાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 


શું છે ઢોર નિયંત્રણ કાયદો?

હાઈકોર્ટના આદેશ બાદ સરકારે પશુ નિયંત્રણ કાયદો રજૂ કર્યો હતો. માલધારીઓને પશુઓ માટે લાયસન્સ રાખવું, ગમાણનું નિરીક્ષણ કરવું, ટેગિંગ વગરના ઢોરને જપ્ત કરવામાં આવશે, ટેગિંગ વગરના ઢોરના 50 હજાર દંડ ફટકારાશે, પશુ રસ્તા પર રખડે નહીં તેની જવાબદારી પશુ માલિકની હશે, રસ્તે રખડતા ઢોરના માલિકને 10 હજારનો દંડ જેવા પ્રવધાનો ઢોર નિયંત્રણ કાયદાની અંદર રાખવામાં આવ્યા છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"