ગાંધીનગરના શેરથામાં માલધારીઓનો જમાવડો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:21:42

STORY BY SAMIR PARMAR

ગુજરાત સરકાર સામે અનેક લોકોએ મોરચો માંડ્યો છે તેમાં આજે માલધારી સમાજના લોકોની પશુ નિયંત્રણ કાયદો રજ દરવા માટે ગાંધીનગરના શેરથા ખાતે માલધારી વેદના સભા મળી છે. આખા ગુજરાતના માલધારીઓ મળીને સરકાર સામે કાયદો રદ કરવા મામલે બેઠક કરી છે. 


આ બેઠકમાં શું થશે?

શેરથાની બેઠકમાં સરકારને ઘેરવા માટે આગામી આયોજનો મામલે ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં કેવી રીતે મુદ્દો ઉઠાવવો તે મામલે ચર્ચા કરવામાં આવી હતી. સભામાં ભુવાઓ, માલધારી સમાજના વડાઓ અને માલધારી નેતાઓ ભેગા થયા.   


માલધારીઓનું શું કહેવું છે?

માલધારી નેતાઓનું માનવું છે કે સરકાર ગૌચર માટે જમીન નથી આપતી પણ ઉદ્યોગપતિઓને તો તરત જમીન ધરી દેય છે. સરકારે પશુઓને રાખવા માટે શહેરમાં વ્યવસ્થા જ નથી કરી. પશુ ચરવા ક્યાં જાય તે માટે કોઈ વ્યવસ્થા નથી. 


માલધારીઓની બેઠક મામલે સરકારના માલધારી સેલનો શું મત છે? 

જમાવટે ભાજપના માલધારી સેલના સંજય દેસાઈ જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "માલધારી સમાજના સંતો અને ભુવાજી સહિતના આગેવાનો સાથે મળીને સરકારે ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચી લીધો છે. આ સત્રમાં ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની રજૂઆત કરવામાં આવી છે. શેરથા માલધારી સમાજની બેઠક કોંગ્રેસ પ્રેરીત છે અને રાજકારણમાં પોતાનો રોટલો શેકવા માટે કોંગ્રેસ અંદરખાને માલધારીઓને છેતરી રહી છે. દર ચૂંટણી સમયે કોંગ્રેસ ચિત્રમાં આવ્યા વગર માલધારી લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે. સરકારે માલધારી સમાજને બાંહેધરી આપી છે તે મુજબ ઢોર નિયંત્રણ કાયદો ચોક્કસ રદ કરવામાં આવશે તેવી મને ખાત્રી છે." 


22 સપ્ટેમ્બરે વિધાનસભાનું સત્ર મળશે  

આગામી 22 સપ્ટેમ્બરે વિધાનસભા ગૃહમાં સત્ર મળશે ત્યારે માલધારીઓ ઢોર નિયંત્રણ કાયદો પાછો લેવા માટે માગણી કરશે. વિધાનસભા ગૃહમાં અનેક પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય છે, ખરડા પસાર થતા હોય છે ત્યારે માલધારી સમાજ ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માગણી કરશે. 


હાઈકોર્ટે પશુ નિયંત્રણ મામલે સરકારને કર્યો હતો આદેશ 

ગુજરાતમાં અવાર નવાર રખડતા ઢોરથી અકસ્માત અને મોતના બનાવો સામે આવી રહ્યા હતા ત્યારે હાઈકોર્ટે ગુજરાત સરકારને સમગ્ર મામલે પગલા લેવા આદેશ કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાના કારણે સરકાર કોઈ રમતબાજી કરીને ફસાય તેવું નથી ઈચ્છતી. ગુજરાતમાં અનેક જગ્યાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 


શું છે ઢોર નિયંત્રણ કાયદો?

હાઈકોર્ટના આદેશ બાદ સરકારે પશુ નિયંત્રણ કાયદો રજૂ કર્યો હતો. માલધારીઓને પશુઓ માટે લાયસન્સ રાખવું, ગમાણનું નિરીક્ષણ કરવું, ટેગિંગ વગરના ઢોરને જપ્ત કરવામાં આવશે, ટેગિંગ વગરના ઢોરના 50 હજાર દંડ ફટકારાશે, પશુ રસ્તા પર રખડે નહીં તેની જવાબદારી પશુ માલિકની હશે, રસ્તે રખડતા ઢોરના માલિકને 10 હજારનો દંડ જેવા પ્રવધાનો ઢોર નિયંત્રણ કાયદાની અંદર રાખવામાં આવ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.