ગાંધીનગરના શેરથામાં માલધારીઓનો જમાવડો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:21:42

STORY BY SAMIR PARMAR

ગુજરાત સરકાર સામે અનેક લોકોએ મોરચો માંડ્યો છે તેમાં આજે માલધારી સમાજના લોકોની પશુ નિયંત્રણ કાયદો રજ દરવા માટે ગાંધીનગરના શેરથા ખાતે માલધારી વેદના સભા મળી છે. આખા ગુજરાતના માલધારીઓ મળીને સરકાર સામે કાયદો રદ કરવા મામલે બેઠક કરી છે. 


આ બેઠકમાં શું થશે?

શેરથાની બેઠકમાં સરકારને ઘેરવા માટે આગામી આયોજનો મામલે ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં કેવી રીતે મુદ્દો ઉઠાવવો તે મામલે ચર્ચા કરવામાં આવી હતી. સભામાં ભુવાઓ, માલધારી સમાજના વડાઓ અને માલધારી નેતાઓ ભેગા થયા.   


માલધારીઓનું શું કહેવું છે?

માલધારી નેતાઓનું માનવું છે કે સરકાર ગૌચર માટે જમીન નથી આપતી પણ ઉદ્યોગપતિઓને તો તરત જમીન ધરી દેય છે. સરકારે પશુઓને રાખવા માટે શહેરમાં વ્યવસ્થા જ નથી કરી. પશુ ચરવા ક્યાં જાય તે માટે કોઈ વ્યવસ્થા નથી. 


માલધારીઓની બેઠક મામલે સરકારના માલધારી સેલનો શું મત છે? 

જમાવટે ભાજપના માલધારી સેલના સંજય દેસાઈ જોડે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "માલધારી સમાજના સંતો અને ભુવાજી સહિતના આગેવાનો સાથે મળીને સરકારે ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચી લીધો છે. આ સત્રમાં ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની રજૂઆત કરવામાં આવી છે. શેરથા માલધારી સમાજની બેઠક કોંગ્રેસ પ્રેરીત છે અને રાજકારણમાં પોતાનો રોટલો શેકવા માટે કોંગ્રેસ અંદરખાને માલધારીઓને છેતરી રહી છે. દર ચૂંટણી સમયે કોંગ્રેસ ચિત્રમાં આવ્યા વગર માલધારી લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે. સરકારે માલધારી સમાજને બાંહેધરી આપી છે તે મુજબ ઢોર નિયંત્રણ કાયદો ચોક્કસ રદ કરવામાં આવશે તેવી મને ખાત્રી છે." 


22 સપ્ટેમ્બરે વિધાનસભાનું સત્ર મળશે  

આગામી 22 સપ્ટેમ્બરે વિધાનસભા ગૃહમાં સત્ર મળશે ત્યારે માલધારીઓ ઢોર નિયંત્રણ કાયદો પાછો લેવા માટે માગણી કરશે. વિધાનસભા ગૃહમાં અનેક પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય છે, ખરડા પસાર થતા હોય છે ત્યારે માલધારી સમાજ ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માગણી કરશે. 


હાઈકોર્ટે પશુ નિયંત્રણ મામલે સરકારને કર્યો હતો આદેશ 

ગુજરાતમાં અવાર નવાર રખડતા ઢોરથી અકસ્માત અને મોતના બનાવો સામે આવી રહ્યા હતા ત્યારે હાઈકોર્ટે ગુજરાત સરકારને સમગ્ર મામલે પગલા લેવા આદેશ કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાના કારણે સરકાર કોઈ રમતબાજી કરીને ફસાય તેવું નથી ઈચ્છતી. ગુજરાતમાં અનેક જગ્યાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 


શું છે ઢોર નિયંત્રણ કાયદો?

હાઈકોર્ટના આદેશ બાદ સરકારે પશુ નિયંત્રણ કાયદો રજૂ કર્યો હતો. માલધારીઓને પશુઓ માટે લાયસન્સ રાખવું, ગમાણનું નિરીક્ષણ કરવું, ટેગિંગ વગરના ઢોરને જપ્ત કરવામાં આવશે, ટેગિંગ વગરના ઢોરના 50 હજાર દંડ ફટકારાશે, પશુ રસ્તા પર રખડે નહીં તેની જવાબદારી પશુ માલિકની હશે, રસ્તે રખડતા ઢોરના માલિકને 10 હજારનો દંડ જેવા પ્રવધાનો ઢોર નિયંત્રણ કાયદાની અંદર રાખવામાં આવ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે