ધંધુકામાં કાલે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, 2100થી વધુ બોટલ એકત્રિત કરાશે, આસ્થા ફાઉન્ડેશને કર્યું છે આયોજન


  • Published By :
  • Published Date : 2023-07-28 19:48:42

આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા આવતી કાલે એટલે કે 29 જુલાઈના શનિવારના રોજ આયોજીત કરવામાં આવ્યો છે. આ કેમ્પનું આયોજન આસ્થા ફાઉન્ડેશનના સ્થાપક ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડાએ કર્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ ધંધુકા સ્થિત શ્યામઘાટ સ્કૂલમાં આવતી કાલે સવારે 9 વાગ્યાથી સાંજના વાગ્યા સુધી યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા 2100 જેટલી બોટલ એકત્રિત કરવાનું લક્ષ્ય છે. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપના કાર્યકરોએ આજે ધંધુકા શહેરમાં રેલી યોજી હતી. આ ગ્રુપના સભ્યો ધંધુકાની આસપાસના ગામોના લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. 


આસ્થા ફાઉન્ડેશન વર્ષ 2018થી યોજે છે બ્લડ ડોનેશન કેમ્પ


આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ શહેરમાં અવારનવાર આ પ્રકારના બ્લડ કેમ્પનું આયોજન કરે છે. આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ  ચાવડાના નેતૃત્વમાં આસ્થા ફાઉન્ડેશનના નામથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત આ ગ્રુપ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. આસ્થા ફાઉન્ડેશન  સમૂહ લગ્ન અને બીજી સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ તેઓ જોડાયેલું છે. તેઓ દર વર્ષે 100થી વધુ દીકરીઓના લગ્ન કરાવે છે.


કોણ છે ઉપેન્દ્ર સિંહ ચાવડા?


ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હ્રદયદ્રાવક અકસ્માતમાં ઘર્મેન્દ્રસિંહ પરમાર નામના પોલીસકર્મીનું પણ મોત નિપજ્યું હતું. ધર્મેન્દ્રસિંહ તેમના ઘરમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હતા. તેમને કાવ્યા બા નામની 1 વર્ષની દીકરી છે. આ દીકરીના અભ્યાસથી લઈને તમામ જવાબદારી આસ્થા ફાઉન્ડેશનના ઉપેન્દ્રસિંહ ચાવડાએ ઉપાડવાની જાહેરાત કરી છે. આસ્થા ફાઉન્ડેશનના ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડા ધંધુકાના જાળીયા ગામના વતની છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. બિલ્ડીંગ કન્ટ્રકશનના કામ સાથે સંકડાયેલા ઉપેન્દ્રસિંહ સમાજ સેવા માટે હંમેશા આગળ રહે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.