ધંધુકામાં કાલે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, 2100થી વધુ બોટલ એકત્રિત કરાશે, આસ્થા ફાઉન્ડેશને કર્યું છે આયોજન


  • Published By :
  • Published Date : 2023-07-28 19:48:42

આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા આવતી કાલે એટલે કે 29 જુલાઈના શનિવારના રોજ આયોજીત કરવામાં આવ્યો છે. આ કેમ્પનું આયોજન આસ્થા ફાઉન્ડેશનના સ્થાપક ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડાએ કર્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ ધંધુકા સ્થિત શ્યામઘાટ સ્કૂલમાં આવતી કાલે સવારે 9 વાગ્યાથી સાંજના વાગ્યા સુધી યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા 2100 જેટલી બોટલ એકત્રિત કરવાનું લક્ષ્ય છે. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપના કાર્યકરોએ આજે ધંધુકા શહેરમાં રેલી યોજી હતી. આ ગ્રુપના સભ્યો ધંધુકાની આસપાસના ગામોના લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. 


આસ્થા ફાઉન્ડેશન વર્ષ 2018થી યોજે છે બ્લડ ડોનેશન કેમ્પ


આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ શહેરમાં અવારનવાર આ પ્રકારના બ્લડ કેમ્પનું આયોજન કરે છે. આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ  ચાવડાના નેતૃત્વમાં આસ્થા ફાઉન્ડેશનના નામથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત આ ગ્રુપ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. આસ્થા ફાઉન્ડેશન  સમૂહ લગ્ન અને બીજી સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ તેઓ જોડાયેલું છે. તેઓ દર વર્ષે 100થી વધુ દીકરીઓના લગ્ન કરાવે છે.


કોણ છે ઉપેન્દ્ર સિંહ ચાવડા?


ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હ્રદયદ્રાવક અકસ્માતમાં ઘર્મેન્દ્રસિંહ પરમાર નામના પોલીસકર્મીનું પણ મોત નિપજ્યું હતું. ધર્મેન્દ્રસિંહ તેમના ઘરમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હતા. તેમને કાવ્યા બા નામની 1 વર્ષની દીકરી છે. આ દીકરીના અભ્યાસથી લઈને તમામ જવાબદારી આસ્થા ફાઉન્ડેશનના ઉપેન્દ્રસિંહ ચાવડાએ ઉપાડવાની જાહેરાત કરી છે. આસ્થા ફાઉન્ડેશનના ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડા ધંધુકાના જાળીયા ગામના વતની છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. બિલ્ડીંગ કન્ટ્રકશનના કામ સાથે સંકડાયેલા ઉપેન્દ્રસિંહ સમાજ સેવા માટે હંમેશા આગળ રહે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.