ધંધુકામાં કાલે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, 2100થી વધુ બોટલ એકત્રિત કરાશે, આસ્થા ફાઉન્ડેશને કર્યું છે આયોજન


  • Published By :
  • Published Date : 2023-07-28 19:48:42

આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા આવતી કાલે એટલે કે 29 જુલાઈના શનિવારના રોજ આયોજીત કરવામાં આવ્યો છે. આ કેમ્પનું આયોજન આસ્થા ફાઉન્ડેશનના સ્થાપક ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડાએ કર્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ ધંધુકા સ્થિત શ્યામઘાટ સ્કૂલમાં આવતી કાલે સવારે 9 વાગ્યાથી સાંજના વાગ્યા સુધી યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા 2100 જેટલી બોટલ એકત્રિત કરવાનું લક્ષ્ય છે. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપના કાર્યકરોએ આજે ધંધુકા શહેરમાં રેલી યોજી હતી. આ ગ્રુપના સભ્યો ધંધુકાની આસપાસના ગામોના લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. 


આસ્થા ફાઉન્ડેશન વર્ષ 2018થી યોજે છે બ્લડ ડોનેશન કેમ્પ


આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ શહેરમાં અવારનવાર આ પ્રકારના બ્લડ કેમ્પનું આયોજન કરે છે. આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ  ચાવડાના નેતૃત્વમાં આસ્થા ફાઉન્ડેશનના નામથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત આ ગ્રુપ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. આસ્થા ફાઉન્ડેશન  સમૂહ લગ્ન અને બીજી સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ તેઓ જોડાયેલું છે. તેઓ દર વર્ષે 100થી વધુ દીકરીઓના લગ્ન કરાવે છે.


કોણ છે ઉપેન્દ્ર સિંહ ચાવડા?


ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હ્રદયદ્રાવક અકસ્માતમાં ઘર્મેન્દ્રસિંહ પરમાર નામના પોલીસકર્મીનું પણ મોત નિપજ્યું હતું. ધર્મેન્દ્રસિંહ તેમના ઘરમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હતા. તેમને કાવ્યા બા નામની 1 વર્ષની દીકરી છે. આ દીકરીના અભ્યાસથી લઈને તમામ જવાબદારી આસ્થા ફાઉન્ડેશનના ઉપેન્દ્રસિંહ ચાવડાએ ઉપાડવાની જાહેરાત કરી છે. આસ્થા ફાઉન્ડેશનના ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડા ધંધુકાના જાળીયા ગામના વતની છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. બિલ્ડીંગ કન્ટ્રકશનના કામ સાથે સંકડાયેલા ઉપેન્દ્રસિંહ સમાજ સેવા માટે હંમેશા આગળ રહે છે.  



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.