રાજ્યમાં મેઘરાજાની સવારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:48:38

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ગુરૂવાર અને શુક્રવારના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

મેઘરાજાની એન્ટ્રી

રાજ્યમાં ભારે વરસાદ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરૂવાર અને શુક્રવારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ મેઘરાજા મહેર વરસાવી શકે છે.  અચાનક વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. અનેક લોકો વરસાદને કારણે અટવાઈ પણ ગયા હતા.  

Gujarat In for Fresh Spells of Heavy Rains; Ahmedabad, Gandhinagar, Surat,  Vadodara, Rajkot on Alert Between August 5-9 | The Weather Channel

સાયક્લોન સર્ક્યુલેશનને કારણે સંભાવના વ્યક્ત કરાઈ 

સાયક્લોનની અસરને કારણે કોઈક વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત, મધ્યગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ ખાબકી શકે છે. કોઈ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અતિ ભારે વરસાદ થઈ શકે છે. વરસાદને કારણે અનેક ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે પોતાના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

બેવડી ઋતુનો થાય છે અનુભવ

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગમે ત્યારે વરસાદ વરસી જતા લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવે છે. ડબલ સિઝનને કારણે અનેક લોકો શર્દી ખાંસી તેમજ તાવના કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યુ તેમજ મલેરિયાના દર્દીઓ પણ વધી રહ્યા છે.         



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .