રાજ્યમાં મેઘરાજાની સવારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:48:38

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ગુરૂવાર અને શુક્રવારના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

મેઘરાજાની એન્ટ્રી

રાજ્યમાં ભારે વરસાદ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરૂવાર અને શુક્રવારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ મેઘરાજા મહેર વરસાવી શકે છે.  અચાનક વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. અનેક લોકો વરસાદને કારણે અટવાઈ પણ ગયા હતા.  

Gujarat In for Fresh Spells of Heavy Rains; Ahmedabad, Gandhinagar, Surat,  Vadodara, Rajkot on Alert Between August 5-9 | The Weather Channel

સાયક્લોન સર્ક્યુલેશનને કારણે સંભાવના વ્યક્ત કરાઈ 

સાયક્લોનની અસરને કારણે કોઈક વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત, મધ્યગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ ખાબકી શકે છે. કોઈ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અતિ ભારે વરસાદ થઈ શકે છે. વરસાદને કારણે અનેક ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે પોતાના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

બેવડી ઋતુનો થાય છે અનુભવ

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગમે ત્યારે વરસાદ વરસી જતા લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવે છે. ડબલ સિઝનને કારણે અનેક લોકો શર્દી ખાંસી તેમજ તાવના કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યુ તેમજ મલેરિયાના દર્દીઓ પણ વધી રહ્યા છે.         



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.