રાજ્યમાં મેઘરાજાની સવારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:48:38

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ગુરૂવાર અને શુક્રવારના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

મેઘરાજાની એન્ટ્રી

રાજ્યમાં ભારે વરસાદ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરૂવાર અને શુક્રવારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ મેઘરાજા મહેર વરસાવી શકે છે.  અચાનક વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. અનેક લોકો વરસાદને કારણે અટવાઈ પણ ગયા હતા.  

Gujarat In for Fresh Spells of Heavy Rains; Ahmedabad, Gandhinagar, Surat,  Vadodara, Rajkot on Alert Between August 5-9 | The Weather Channel

સાયક્લોન સર્ક્યુલેશનને કારણે સંભાવના વ્યક્ત કરાઈ 

સાયક્લોનની અસરને કારણે કોઈક વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત, મધ્યગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ ખાબકી શકે છે. કોઈ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અતિ ભારે વરસાદ થઈ શકે છે. વરસાદને કારણે અનેક ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે પોતાના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

બેવડી ઋતુનો થાય છે અનુભવ

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગમે ત્યારે વરસાદ વરસી જતા લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવે છે. ડબલ સિઝનને કારણે અનેક લોકો શર્દી ખાંસી તેમજ તાવના કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યુ તેમજ મલેરિયાના દર્દીઓ પણ વધી રહ્યા છે.         



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.