આજે Gujaratના આ જિલ્લાઓમાં જોવા મળશે મેઘમહેર.. જુઓ Jamawatનું Weather Analysis


  • Published By :
  • Published Date : 2023-09-18 09:08:03

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદની રિ-એન્ટ્રી થતાં જગતના તાતની ચિંતા ઓછી થઈ ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સપ્ટેમ્બર મહિનાને લઈ આગાહી કરવામાં આવી હતી કે આ મહિનામાં અતિભારે વરસાદ  વરસી શકે છે જેને કારણે અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હવામાનની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગ પણ વરસાદને લઈ આગાહી અપડેટ કરતું રહે છે. રાજ્યમાં ફરી જામેલા વરસાદી માહોલને જોતા હવામાન વિભાગ દ્વારા અનેક જગ્યાઓ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવાર માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.


    


સપ્ટેમ્બર મહિનાએ ઘટાડી ખેડૂતોની ચિંતા 

જ્યારથી ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે ત્યારથી વરસાદ વરસી રહ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં મેહુલો રિસાઈ ગયો હોય તેવું લાગ્યું હતું. ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો હતો. ત્યારે ઓગસ્ટ મહિનાને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોની ચિંતા ઘટાડી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલીઆગાહી મુજબ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. કોઈ જગ્યાઓ પર તો ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  



આ જગ્યાઓ માટે અપાયું છે રેડ એલર્ટ 

આજ માટે કરવામાં આવેલી આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ એટલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.