આજે Gujaratના આ જિલ્લાઓમાં જોવા મળશે મેઘમહેર.. જુઓ Jamawatનું Weather Analysis


  • Published By :
  • Published Date : 2023-09-18 09:08:03

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદની રિ-એન્ટ્રી થતાં જગતના તાતની ચિંતા ઓછી થઈ ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સપ્ટેમ્બર મહિનાને લઈ આગાહી કરવામાં આવી હતી કે આ મહિનામાં અતિભારે વરસાદ  વરસી શકે છે જેને કારણે અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હવામાનની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગ પણ વરસાદને લઈ આગાહી અપડેટ કરતું રહે છે. રાજ્યમાં ફરી જામેલા વરસાદી માહોલને જોતા હવામાન વિભાગ દ્વારા અનેક જગ્યાઓ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવાર માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.


    


સપ્ટેમ્બર મહિનાએ ઘટાડી ખેડૂતોની ચિંતા 

જ્યારથી ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે ત્યારથી વરસાદ વરસી રહ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં મેહુલો રિસાઈ ગયો હોય તેવું લાગ્યું હતું. ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો હતો. ત્યારે ઓગસ્ટ મહિનાને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોની ચિંતા ઘટાડી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલીઆગાહી મુજબ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. કોઈ જગ્યાઓ પર તો ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  



આ જગ્યાઓ માટે અપાયું છે રેડ એલર્ટ 

આજ માટે કરવામાં આવેલી આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ એટલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.