આજે Gujaratના આ જિલ્લાઓમાં જોવા મળશે મેઘમહેર.. જુઓ Jamawatનું Weather Analysis


  • Published By :
  • Published Date : 2023-09-18 09:08:03

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદની રિ-એન્ટ્રી થતાં જગતના તાતની ચિંતા ઓછી થઈ ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સપ્ટેમ્બર મહિનાને લઈ આગાહી કરવામાં આવી હતી કે આ મહિનામાં અતિભારે વરસાદ  વરસી શકે છે જેને કારણે અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હવામાનની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગ પણ વરસાદને લઈ આગાહી અપડેટ કરતું રહે છે. રાજ્યમાં ફરી જામેલા વરસાદી માહોલને જોતા હવામાન વિભાગ દ્વારા અનેક જગ્યાઓ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવાર માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.


    


સપ્ટેમ્બર મહિનાએ ઘટાડી ખેડૂતોની ચિંતા 

જ્યારથી ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે ત્યારથી વરસાદ વરસી રહ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં મેહુલો રિસાઈ ગયો હોય તેવું લાગ્યું હતું. ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો હતો. ત્યારે ઓગસ્ટ મહિનાને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોની ચિંતા ઘટાડી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલીઆગાહી મુજબ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. કોઈ જગ્યાઓ પર તો ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  



આ જગ્યાઓ માટે અપાયું છે રેડ એલર્ટ 

આજ માટે કરવામાં આવેલી આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ એટલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.