મહેસાણા: ડ્રાઇવિંગ લાયસન્સમાં સુધારો કરવા ખેડૂતના દોઢ વર્ષથી RTO કચેરીના ધરમ ધક્કા


  • Published By :
  • Published Date : 2023-12-13 22:42:33

આપણા ટેક્ષના પૈસામાંથી તગડો પગાર લેનારા સરકારી અધિકારીઓ સરકારી કચેરીઓમાં સામાન્ય માણસોને ધક્કા ખવડાવતા હોય છે અને આ વાત હવે આપણા માટે સામાન્ય થઇ ગઈ છે. કારણ કે કોઈ પણ કચેરીમાં જાઓ અરજદારોની આ ફરિયાદો હોય જ છે. આવી જ એક ફરિયાદ સામે આવી છે જેમાં એક ખેડૂત કાકા છેલ્લા દોઢ વર્ષથી પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ માટે ધક્કા ખાઈ રહ્યા છે


ડ્રાઇવિંગ લાયસન્સમાં ફોટો બદલાયો


મહેસાણા જિલ્લાના દેદીયાસણ ગામે રહેતા એક ખેડૂત જોઈતાજી તલાજી ઠાકોરે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ કચેરીમાં રીન્યુ કરવા માટે આપ્યું હતું પરંતુ આ લાયસન્સ રીન્યુ થઈને આવતા તેમણે જોયું તે ચોંકી ગયા કારણે આ લાયસન્સમાં અન્ય વ્યક્તિનો ફોટો અને નામ હતું. જેને લઈ અરજદારે રજુઆત કરતા મહેસાણા અને પાલનપુર RTO કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી ધક્કા ખાતા અરજદારનું લાયસન્સ રીન્યુ ન થતા તેઓ પરેશાન બન્યા છે. 


પાલનપુર RTOમા કરી અરજી


જોકે તેમને પોતાના લાયસન્સના નામ અને ફોટોનો સુધારો કરવા મહેસાણા RTO કચેરી અરજી કરતા તેમને પાલનપુર RTOમા  મોકલવામાં આવ્યા હતા. જ્યાં ખેડૂત અરજદાર પોતાના લાયસન્સમા નામ અને ફોટોની વિગતો સુધારવા પાલનપુર RTOમા પણ અરજી કરી હતી.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .