મહેસાણા: ડ્રાઇવિંગ લાયસન્સમાં સુધારો કરવા ખેડૂતના દોઢ વર્ષથી RTO કચેરીના ધરમ ધક્કા


  • Published By :
  • Published Date : 2023-12-13 22:42:33

આપણા ટેક્ષના પૈસામાંથી તગડો પગાર લેનારા સરકારી અધિકારીઓ સરકારી કચેરીઓમાં સામાન્ય માણસોને ધક્કા ખવડાવતા હોય છે અને આ વાત હવે આપણા માટે સામાન્ય થઇ ગઈ છે. કારણ કે કોઈ પણ કચેરીમાં જાઓ અરજદારોની આ ફરિયાદો હોય જ છે. આવી જ એક ફરિયાદ સામે આવી છે જેમાં એક ખેડૂત કાકા છેલ્લા દોઢ વર્ષથી પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ માટે ધક્કા ખાઈ રહ્યા છે


ડ્રાઇવિંગ લાયસન્સમાં ફોટો બદલાયો


મહેસાણા જિલ્લાના દેદીયાસણ ગામે રહેતા એક ખેડૂત જોઈતાજી તલાજી ઠાકોરે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ કચેરીમાં રીન્યુ કરવા માટે આપ્યું હતું પરંતુ આ લાયસન્સ રીન્યુ થઈને આવતા તેમણે જોયું તે ચોંકી ગયા કારણે આ લાયસન્સમાં અન્ય વ્યક્તિનો ફોટો અને નામ હતું. જેને લઈ અરજદારે રજુઆત કરતા મહેસાણા અને પાલનપુર RTO કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી ધક્કા ખાતા અરજદારનું લાયસન્સ રીન્યુ ન થતા તેઓ પરેશાન બન્યા છે. 


પાલનપુર RTOમા કરી અરજી


જોકે તેમને પોતાના લાયસન્સના નામ અને ફોટોનો સુધારો કરવા મહેસાણા RTO કચેરી અરજી કરતા તેમને પાલનપુર RTOમા  મોકલવામાં આવ્યા હતા. જ્યાં ખેડૂત અરજદાર પોતાના લાયસન્સમા નામ અને ફોટોની વિગતો સુધારવા પાલનપુર RTOમા પણ અરજી કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.