Mehsana : Gujarat Policeની સરાહનીય કામગીરી! તંત્રનું કામ પોલીસે જાતે કર્યું, રસ્તા પર પડેલા ખાડાને પોલીસે પૂર્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-01 12:13:10

સારા રસ્તાની જરૂરિયાત દરેક જગ્યા પર હોય છે. પરંતુ અનેક વખત આપણને ખરાબ રસ્તા વધારે દેખાતા હોય છે, સારા રસ્તા કરતા. અનેક વખત ખરાબ રોડ રસ્તાને લઈ સમાચાર બતાવતા હોઈએ છીએ, તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે કે સારા રસ્તા બનાવવામાં આવે. રજૂઆત કરવા છતાંય અનેક વખત તંત્ર સુધી એ અવાજ નથી પહોંચતો. અનેક ઉદાહરણો આપણી સામે હોય છે કે ખરાબ રસ્તાને કારણે સ્થાનિકો કંટાળીને રસ્તામાં પડેલો ખાડો પૂરી દેતા હોય છે તો આ વખતે આ કાર્ય પોલીસ કર્મી દ્વારા કરવામાં આવ્યું છે.    

સ્થાનિકો કંટાળીને જાતે ખાડાને પૂરી દેતા હોય છે!

ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા હશે જ્યાં રસ્તા ખરાબ હશે. રસ્તા પર ડામ્મર દેખાતો હશે અથવા તો ખાડા હશે. જેમ આપણે કહીએ છીએ કે ગુજરાત વિકાસનો પર્યાય છે તેવી રીતે જો આપણે કહીએ કે ખરાબ રોડ રસ્તા પણ ગુજરાતના વિકાસનો પર્યાય બની ગયું છે તો અતિશયોક્તિ નહીં કહેવાય. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ એવા રસ્તા જોવા મળતા હશે જેમાં ખાડાનું સામ્રાજ્ય હોય છે. ખરાબ રસ્તાને કારણે સ્થાનિકોને અનેક મુશ્કેલી પડતી હોય છે. તંત્રને અનેક વખત રજૂઆત પણ કરતા હોય છે પરંતુ તે બાદ પણ કોઈ પરિવર્તન આવતું નથી પરિસ્થિતિમાં. કંટાળીને સ્થાનિકો અનેક વખત જે કામ તંત્રને કરવાનું હોય તે માટે પોતે કરી લેતા હોય છે. પરંતુ આ વખતે ખાડા પૂરવાનું કામ તંત્રએ નહીં, સ્થાનિકોએ નહીં પરંતુ પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું છે.


જે કામ તંત્રને કરવાનું હતું તે કામ પોલીસકર્મી કરી રહ્યા છે... !

પોલીસની ખરાબ કામગીરી અંગેની વાતો અનેક વખત કરવામાં આવી છે. પોલીસનો નેગેટિવ ચહેરો અનેક વખત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ પોલીસનો એક એવો ચહેરો પણ છે જે પણ તમારા સુધી પહોંચાડવો જરૂરી હોય છે. પોલીસ વિભાગમાં ખરાબ કર્મીઓ હોય છે તેની ના નથી પરંતુ તે જ વિભાગમાં એવા કર્મીઓ પણ હોય છે જે વિભાગનો એવો સુંદર ચહેરો લોકો સુધી પહોંચાડે છે અને લોકોમાં વિશ્વાસ બેસાડે છે કે આ વિભાગમાં સારા કર્મીઓ પણ છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસકર્મી ખાડો પૂરી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તે મહેસાણાનો હોવાનું અનુમાન છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.