Mehsana : Gujarat Policeની સરાહનીય કામગીરી! તંત્રનું કામ પોલીસે જાતે કર્યું, રસ્તા પર પડેલા ખાડાને પોલીસે પૂર્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-01 12:13:10

સારા રસ્તાની જરૂરિયાત દરેક જગ્યા પર હોય છે. પરંતુ અનેક વખત આપણને ખરાબ રસ્તા વધારે દેખાતા હોય છે, સારા રસ્તા કરતા. અનેક વખત ખરાબ રોડ રસ્તાને લઈ સમાચાર બતાવતા હોઈએ છીએ, તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે કે સારા રસ્તા બનાવવામાં આવે. રજૂઆત કરવા છતાંય અનેક વખત તંત્ર સુધી એ અવાજ નથી પહોંચતો. અનેક ઉદાહરણો આપણી સામે હોય છે કે ખરાબ રસ્તાને કારણે સ્થાનિકો કંટાળીને રસ્તામાં પડેલો ખાડો પૂરી દેતા હોય છે તો આ વખતે આ કાર્ય પોલીસ કર્મી દ્વારા કરવામાં આવ્યું છે.    

સ્થાનિકો કંટાળીને જાતે ખાડાને પૂરી દેતા હોય છે!

ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા હશે જ્યાં રસ્તા ખરાબ હશે. રસ્તા પર ડામ્મર દેખાતો હશે અથવા તો ખાડા હશે. જેમ આપણે કહીએ છીએ કે ગુજરાત વિકાસનો પર્યાય છે તેવી રીતે જો આપણે કહીએ કે ખરાબ રોડ રસ્તા પણ ગુજરાતના વિકાસનો પર્યાય બની ગયું છે તો અતિશયોક્તિ નહીં કહેવાય. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ એવા રસ્તા જોવા મળતા હશે જેમાં ખાડાનું સામ્રાજ્ય હોય છે. ખરાબ રસ્તાને કારણે સ્થાનિકોને અનેક મુશ્કેલી પડતી હોય છે. તંત્રને અનેક વખત રજૂઆત પણ કરતા હોય છે પરંતુ તે બાદ પણ કોઈ પરિવર્તન આવતું નથી પરિસ્થિતિમાં. કંટાળીને સ્થાનિકો અનેક વખત જે કામ તંત્રને કરવાનું હોય તે માટે પોતે કરી લેતા હોય છે. પરંતુ આ વખતે ખાડા પૂરવાનું કામ તંત્રએ નહીં, સ્થાનિકોએ નહીં પરંતુ પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું છે.


જે કામ તંત્રને કરવાનું હતું તે કામ પોલીસકર્મી કરી રહ્યા છે... !

પોલીસની ખરાબ કામગીરી અંગેની વાતો અનેક વખત કરવામાં આવી છે. પોલીસનો નેગેટિવ ચહેરો અનેક વખત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ પોલીસનો એક એવો ચહેરો પણ છે જે પણ તમારા સુધી પહોંચાડવો જરૂરી હોય છે. પોલીસ વિભાગમાં ખરાબ કર્મીઓ હોય છે તેની ના નથી પરંતુ તે જ વિભાગમાં એવા કર્મીઓ પણ હોય છે જે વિભાગનો એવો સુંદર ચહેરો લોકો સુધી પહોંચાડે છે અને લોકોમાં વિશ્વાસ બેસાડે છે કે આ વિભાગમાં સારા કર્મીઓ પણ છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસકર્મી ખાડો પૂરી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તે મહેસાણાનો હોવાનું અનુમાન છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.