Mehsana : Gujarat Policeની સરાહનીય કામગીરી! તંત્રનું કામ પોલીસે જાતે કર્યું, રસ્તા પર પડેલા ખાડાને પોલીસે પૂર્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-01 12:13:10

સારા રસ્તાની જરૂરિયાત દરેક જગ્યા પર હોય છે. પરંતુ અનેક વખત આપણને ખરાબ રસ્તા વધારે દેખાતા હોય છે, સારા રસ્તા કરતા. અનેક વખત ખરાબ રોડ રસ્તાને લઈ સમાચાર બતાવતા હોઈએ છીએ, તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે કે સારા રસ્તા બનાવવામાં આવે. રજૂઆત કરવા છતાંય અનેક વખત તંત્ર સુધી એ અવાજ નથી પહોંચતો. અનેક ઉદાહરણો આપણી સામે હોય છે કે ખરાબ રસ્તાને કારણે સ્થાનિકો કંટાળીને રસ્તામાં પડેલો ખાડો પૂરી દેતા હોય છે તો આ વખતે આ કાર્ય પોલીસ કર્મી દ્વારા કરવામાં આવ્યું છે.    

સ્થાનિકો કંટાળીને જાતે ખાડાને પૂરી દેતા હોય છે!

ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા હશે જ્યાં રસ્તા ખરાબ હશે. રસ્તા પર ડામ્મર દેખાતો હશે અથવા તો ખાડા હશે. જેમ આપણે કહીએ છીએ કે ગુજરાત વિકાસનો પર્યાય છે તેવી રીતે જો આપણે કહીએ કે ખરાબ રોડ રસ્તા પણ ગુજરાતના વિકાસનો પર્યાય બની ગયું છે તો અતિશયોક્તિ નહીં કહેવાય. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ એવા રસ્તા જોવા મળતા હશે જેમાં ખાડાનું સામ્રાજ્ય હોય છે. ખરાબ રસ્તાને કારણે સ્થાનિકોને અનેક મુશ્કેલી પડતી હોય છે. તંત્રને અનેક વખત રજૂઆત પણ કરતા હોય છે પરંતુ તે બાદ પણ કોઈ પરિવર્તન આવતું નથી પરિસ્થિતિમાં. કંટાળીને સ્થાનિકો અનેક વખત જે કામ તંત્રને કરવાનું હોય તે માટે પોતે કરી લેતા હોય છે. પરંતુ આ વખતે ખાડા પૂરવાનું કામ તંત્રએ નહીં, સ્થાનિકોએ નહીં પરંતુ પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું છે.


જે કામ તંત્રને કરવાનું હતું તે કામ પોલીસકર્મી કરી રહ્યા છે... !

પોલીસની ખરાબ કામગીરી અંગેની વાતો અનેક વખત કરવામાં આવી છે. પોલીસનો નેગેટિવ ચહેરો અનેક વખત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ પોલીસનો એક એવો ચહેરો પણ છે જે પણ તમારા સુધી પહોંચાડવો જરૂરી હોય છે. પોલીસ વિભાગમાં ખરાબ કર્મીઓ હોય છે તેની ના નથી પરંતુ તે જ વિભાગમાં એવા કર્મીઓ પણ હોય છે જે વિભાગનો એવો સુંદર ચહેરો લોકો સુધી પહોંચાડે છે અને લોકોમાં વિશ્વાસ બેસાડે છે કે આ વિભાગમાં સારા કર્મીઓ પણ છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસકર્મી ખાડો પૂરી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તે મહેસાણાનો હોવાનું અનુમાન છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.