Mehsana : 10 દિવસ પહેલા જ ભાજપના નેતાના પુત્રની એજન્સી દ્વારા બનાવેલી કેનાલ તૂટી અને ખેડૂતોના ખેતરો તળાવ બન્યા!


  • Published By :
  • Published Date : 2023-11-14 13:40:01

10 દિવસ પહેલા બનેલી નવી જ કેનાલમાં ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું પડ્યું અને કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ઘુસ્યું...અને ખેડૂતોને તહેવાર ટાણે રોવાનો વારો આવ્યો છે એવું કહેવાય રહ્યું છે કે આ કેનાલ ભાજપના નેતાના કોન્ટ્રાકટર પુત્રની એજન્સી દ્વારા 10 દિવસ પહેલા જ બનાવવામાં આવી હતી.


ભ્રષ્ટાચારનું 20 ફુટનું મસમોટુ ગાબડું!

મહેસાણાના બહુચરાજીનું ચદ્રોડા ગામ..જ્યાં કેનાલમાં પડ્યુ ભ્રષ્ટાચારનું 20 ફુટનું મસમોટુ ગાબડું.. સૂરજ માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીથી આસપાસની 25 વીધા જમીનમાં એરંડાના વાવેતરમાં પાણી ફરી વળ્યુ. મધરાત્રે પડેલા ગાબડાં બાદ કેટલાય સમય સુધી કેનાલમાં પાણી પણ બંધ નહીં કરાયુ.. હજુ તો સમારકામ થયુને મહિનો પણ નથી થયો.. એવામાં ગાબડું પડતા ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. 


દસ દિવસ પહેલા બનાવેલી કેનાલમાં પડ્યું ગાબડું!

બહુચરાજીના સૂરજ ગામ નજીક ખેતરોમાં જાણે કે તળાવ બની ગયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે સવાલ ઉઠવા સ્વાભાવિક છે કે દસ દિવસ પહેલા બનાવેલી કેનાલમાં આ ગાબડું કેમ પડ્યું? બેદરકારી માટે જવાબદાર કોણ? કેમ કેનાલની ગુણવત્તા તપાસવામાં ન આવી? અત્યારે કેનાલ બનાવનાર કોન્ટ્રાકટર એજન્સી પર પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચારની આશંકા દેખાઈ રહી છે જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ ફેલાયેલો છે 


કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોને આવે છે રડવાનો વારો 

ઉત્તર ગુજરાતની કેનાલોમાં ગાબડાઓ પડવાનો સિલસિલો કેટલાય વર્ષોથી ચાલતો આવે છે જેના કારણે કેટલાય ખેડૂતના ખેતરો બેટમાં ફેરવાઈ જતા હોય છે મહેસાણા હોય પાટણ હોય કે બનાસકાંઠાની કેનાલો આખાય માણસો સમાઈ જાય તેવા ગાબડાઓ આ કેનાલોમાં પડતા જોવા મળતા હોય છે મુખ્યત્વે બનાસકાંઠા જેવા જિલ્લાઓ કે જ્યાં લોકો ખેતી પર નિર્ભર હોય છે સરકારે ખેડૂતો સુધી પાણી પહોંચે તે માટે નર્મદા યોજના અને અન્ય યોજનાઓ હેઠળ વ્યવસ્થા કરી આપી છે પણ આ વ્યવસ્થાઓમાં જયારે ભ્રષ્ટાચાર ઘર કરી જાય છે ત્યારે હેરાન થવાનો વારો તો ખેડૂતોને જ આવે છે. 


જમાવટની ટીમે જ્યારે બનાસકાંઠાની વિઝીટ લીધી હતી ત્યારે...

થોડાક સમય પહેલા જયારે અમે બનાસકાંઠા ઈલેક્શન યાત્રા પર ગયા હતા ત્યારે અમે વિઝિટ કરી હતી થરાદના એક એવા ગામની કે જે આખું ગામ કેનાલના કારણે પાણીમાં છે. કેનાલનું પાણી ગામમાં ભરાઈ જવાના કારણે આખું ગામ તળાવ બની ગયું છે જેના કારણે લોકોને ગામ છોડી બહાર રહેવું મજબુર બનવું પડ્યું છે. કેનાલોમાં સમારકામ તો થાય છે પણ એવા સમારકામ અને ખર્ચાઓ અને ધાંધિયાઓ શું કામના જયારે તમારું સમારકામ માત્ર તમે ચોપડે નોંધવા જ કર્યું હોય..આશા છે કે ભવિષ્યમાં સરકાર ખેડૂતોના વ્હારે આવી કેનાલના સમાર કામમાં થતા ભ્રષ્ટાચારને રોકે..!



દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.