Mehsana : 10 દિવસ પહેલા જ ભાજપના નેતાના પુત્રની એજન્સી દ્વારા બનાવેલી કેનાલ તૂટી અને ખેડૂતોના ખેતરો તળાવ બન્યા!


  • Published By :
  • Published Date : 2023-11-14 13:40:01

10 દિવસ પહેલા બનેલી નવી જ કેનાલમાં ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું પડ્યું અને કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ઘુસ્યું...અને ખેડૂતોને તહેવાર ટાણે રોવાનો વારો આવ્યો છે એવું કહેવાય રહ્યું છે કે આ કેનાલ ભાજપના નેતાના કોન્ટ્રાકટર પુત્રની એજન્સી દ્વારા 10 દિવસ પહેલા જ બનાવવામાં આવી હતી.


ભ્રષ્ટાચારનું 20 ફુટનું મસમોટુ ગાબડું!

મહેસાણાના બહુચરાજીનું ચદ્રોડા ગામ..જ્યાં કેનાલમાં પડ્યુ ભ્રષ્ટાચારનું 20 ફુટનું મસમોટુ ગાબડું.. સૂરજ માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીથી આસપાસની 25 વીધા જમીનમાં એરંડાના વાવેતરમાં પાણી ફરી વળ્યુ. મધરાત્રે પડેલા ગાબડાં બાદ કેટલાય સમય સુધી કેનાલમાં પાણી પણ બંધ નહીં કરાયુ.. હજુ તો સમારકામ થયુને મહિનો પણ નથી થયો.. એવામાં ગાબડું પડતા ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. 


દસ દિવસ પહેલા બનાવેલી કેનાલમાં પડ્યું ગાબડું!

બહુચરાજીના સૂરજ ગામ નજીક ખેતરોમાં જાણે કે તળાવ બની ગયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે સવાલ ઉઠવા સ્વાભાવિક છે કે દસ દિવસ પહેલા બનાવેલી કેનાલમાં આ ગાબડું કેમ પડ્યું? બેદરકારી માટે જવાબદાર કોણ? કેમ કેનાલની ગુણવત્તા તપાસવામાં ન આવી? અત્યારે કેનાલ બનાવનાર કોન્ટ્રાકટર એજન્સી પર પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચારની આશંકા દેખાઈ રહી છે જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ ફેલાયેલો છે 


કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોને આવે છે રડવાનો વારો 

ઉત્તર ગુજરાતની કેનાલોમાં ગાબડાઓ પડવાનો સિલસિલો કેટલાય વર્ષોથી ચાલતો આવે છે જેના કારણે કેટલાય ખેડૂતના ખેતરો બેટમાં ફેરવાઈ જતા હોય છે મહેસાણા હોય પાટણ હોય કે બનાસકાંઠાની કેનાલો આખાય માણસો સમાઈ જાય તેવા ગાબડાઓ આ કેનાલોમાં પડતા જોવા મળતા હોય છે મુખ્યત્વે બનાસકાંઠા જેવા જિલ્લાઓ કે જ્યાં લોકો ખેતી પર નિર્ભર હોય છે સરકારે ખેડૂતો સુધી પાણી પહોંચે તે માટે નર્મદા યોજના અને અન્ય યોજનાઓ હેઠળ વ્યવસ્થા કરી આપી છે પણ આ વ્યવસ્થાઓમાં જયારે ભ્રષ્ટાચાર ઘર કરી જાય છે ત્યારે હેરાન થવાનો વારો તો ખેડૂતોને જ આવે છે. 


જમાવટની ટીમે જ્યારે બનાસકાંઠાની વિઝીટ લીધી હતી ત્યારે...

થોડાક સમય પહેલા જયારે અમે બનાસકાંઠા ઈલેક્શન યાત્રા પર ગયા હતા ત્યારે અમે વિઝિટ કરી હતી થરાદના એક એવા ગામની કે જે આખું ગામ કેનાલના કારણે પાણીમાં છે. કેનાલનું પાણી ગામમાં ભરાઈ જવાના કારણે આખું ગામ તળાવ બની ગયું છે જેના કારણે લોકોને ગામ છોડી બહાર રહેવું મજબુર બનવું પડ્યું છે. કેનાલોમાં સમારકામ તો થાય છે પણ એવા સમારકામ અને ખર્ચાઓ અને ધાંધિયાઓ શું કામના જયારે તમારું સમારકામ માત્ર તમે ચોપડે નોંધવા જ કર્યું હોય..આશા છે કે ભવિષ્યમાં સરકાર ખેડૂતોના વ્હારે આવી કેનાલના સમાર કામમાં થતા ભ્રષ્ટાચારને રોકે..!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.