Mehsana : કડીના ધારાસભ્ય Karshan Solanki દારૂ બંધ કરાવવાની ફરિયાદ લઈને પહોંચ્યા પોલીસ સ્ટેશન, પ્રશ્ન થાય કે ગુજરાતમાં તો દારૂબંધી છે...


  • Published By :
  • Published Date : 2024-05-22 12:41:17

ગુજરાતમાં નામ પૂરતી દારૂબંધી છે તેવું અનેક વખત તમે સાંભળ્યું હશે. મીડિયામાં પણ અનેક વખત બતાવામાં આવે છે કે અનેક જગ્યાઓ ગુજરાતમાં એવી છે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે.. વિપક્ષના નેતાઓ પણ દારૂબંધીને લઈ સવાલો ઉઠાવતા હોય છે.. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તે બધા જાણે છે તો પણ સરકાર જાણે દંભમાં જીવતી હોય તેવું લાગે છે.. ભાજપના જ ધારાસભ્ય જો એમ કહે કે મારા વિસ્તારમાં દારૂના ભઠ્ઠા ચાલે છે તો? આ વાક્ય વાંચીને નવાઈ લાગીને? આ વાત ભાજપના ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા કહેવામાં આવી છે.. 

કડીના પૂર્વ ધારાસભ્ય પર પણ કર્યા છે પ્રહાર! 

આમ તો ગુજરાતમાં દારૂ નથી મળતો, પણ ધારાસભ્ય જાતે એવુ કહે કે મારા વિસ્તારમાં દારુના ભઠ્ઠા ચાલે છે તો શું કરવાનું... આ વાત કડીના ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા કરવામાં આવી છે.. કરશન સોલંકી જો કે પહેલીવાર ચર્ચામાં નથી, આ પહેલા કડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ડે સીએમ નીતિનભાઈ પટેલ પર પણ કરશનભાઈએ આકરા પ્રહારો કર્યા હતા, ત્યારે પણ કારણ આંતરીક હોવાનું સામે આવ્યુ હતુ, આ વખતે પણ સ્થિતિ દેખાય એટલી સરળ તો નથી જ...


બુટલેગરો એટલા બધા બેફામ થઈ ગયા છે કે... 

ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે તે બતાવવા માટે જમાવટની ટીમે પણ મહેસાણાથી લઈ અમદાવાદના અનેક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ પર લાઈવ રેડ કરી હતી.. બુટલેગરો એટલા બેફામ હોય છે કે એ સીધા જ પત્રકારો પર હુમલો કરે છે, પોલીસ ત્યારે કોઈ એક્શન નથી લેતી પણ આ જ બુટલેગરો ઘણી વાર પોલીસ પર પણ હુમલો કરે છે અને ત્યારે પોલીસને અહેસાસ થાય છે કે જે બદીનું એ પોષણ કરી રહ્યા છે એ જ બદી એક દિવસ એમને ખાઈ જવાની છે...! 


હકીકત નથી બદલાઈ જતી કે દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો છે..  

આમાં એક એન્ગલ એ પણ છે કે અહીંયા દારૂ કંઈ આજે જ મળતો થઈ ગયો હોય એવું નથી, પણ કડી પોલીસ સ્ટેશનમાં જે વહિવટદાર હપ્તા ઉઘરાવતો એને સાઈડ લાઈન કરીને બીજાને કામ સોંપ્યું તો આંતરીક હિતો જોખમાયાનું એક પાસુ છે.... જો કે ધારાસભ્ય પોતાના ફાયદા માટે ગયા હોય કે સત્ય ઉજાગર કરવા, હકિકત એનાથી પલટાઈ નથી જતી.... દારૂ ખુલ્લેઆમ વેચાય અને આપણે સતત ઢોંગ કરીએ એ કેવી રીતે ઉપાય હોઈ શકે... ગુજરાતમાં સતત દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.