Mehsana : કડીના ધારાસભ્ય Karshan Solanki દારૂ બંધ કરાવવાની ફરિયાદ લઈને પહોંચ્યા પોલીસ સ્ટેશન, પ્રશ્ન થાય કે ગુજરાતમાં તો દારૂબંધી છે...


  • Published By :
  • Published Date : 2024-05-22 12:41:17

ગુજરાતમાં નામ પૂરતી દારૂબંધી છે તેવું અનેક વખત તમે સાંભળ્યું હશે. મીડિયામાં પણ અનેક વખત બતાવામાં આવે છે કે અનેક જગ્યાઓ ગુજરાતમાં એવી છે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે.. વિપક્ષના નેતાઓ પણ દારૂબંધીને લઈ સવાલો ઉઠાવતા હોય છે.. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તે બધા જાણે છે તો પણ સરકાર જાણે દંભમાં જીવતી હોય તેવું લાગે છે.. ભાજપના જ ધારાસભ્ય જો એમ કહે કે મારા વિસ્તારમાં દારૂના ભઠ્ઠા ચાલે છે તો? આ વાક્ય વાંચીને નવાઈ લાગીને? આ વાત ભાજપના ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા કહેવામાં આવી છે.. 

કડીના પૂર્વ ધારાસભ્ય પર પણ કર્યા છે પ્રહાર! 

આમ તો ગુજરાતમાં દારૂ નથી મળતો, પણ ધારાસભ્ય જાતે એવુ કહે કે મારા વિસ્તારમાં દારુના ભઠ્ઠા ચાલે છે તો શું કરવાનું... આ વાત કડીના ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા કરવામાં આવી છે.. કરશન સોલંકી જો કે પહેલીવાર ચર્ચામાં નથી, આ પહેલા કડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ડે સીએમ નીતિનભાઈ પટેલ પર પણ કરશનભાઈએ આકરા પ્રહારો કર્યા હતા, ત્યારે પણ કારણ આંતરીક હોવાનું સામે આવ્યુ હતુ, આ વખતે પણ સ્થિતિ દેખાય એટલી સરળ તો નથી જ...


બુટલેગરો એટલા બધા બેફામ થઈ ગયા છે કે... 

ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે તે બતાવવા માટે જમાવટની ટીમે પણ મહેસાણાથી લઈ અમદાવાદના અનેક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ પર લાઈવ રેડ કરી હતી.. બુટલેગરો એટલા બેફામ હોય છે કે એ સીધા જ પત્રકારો પર હુમલો કરે છે, પોલીસ ત્યારે કોઈ એક્શન નથી લેતી પણ આ જ બુટલેગરો ઘણી વાર પોલીસ પર પણ હુમલો કરે છે અને ત્યારે પોલીસને અહેસાસ થાય છે કે જે બદીનું એ પોષણ કરી રહ્યા છે એ જ બદી એક દિવસ એમને ખાઈ જવાની છે...! 


હકીકત નથી બદલાઈ જતી કે દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો છે..  

આમાં એક એન્ગલ એ પણ છે કે અહીંયા દારૂ કંઈ આજે જ મળતો થઈ ગયો હોય એવું નથી, પણ કડી પોલીસ સ્ટેશનમાં જે વહિવટદાર હપ્તા ઉઘરાવતો એને સાઈડ લાઈન કરીને બીજાને કામ સોંપ્યું તો આંતરીક હિતો જોખમાયાનું એક પાસુ છે.... જો કે ધારાસભ્ય પોતાના ફાયદા માટે ગયા હોય કે સત્ય ઉજાગર કરવા, હકિકત એનાથી પલટાઈ નથી જતી.... દારૂ ખુલ્લેઆમ વેચાય અને આપણે સતત ઢોંગ કરીએ એ કેવી રીતે ઉપાય હોઈ શકે... ગુજરાતમાં સતત દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.