મહેસાણાના શિક્ષકે ભાંડો ફોડ્યો, શાળાઓમાં પેપર ફૂટ્યા !


  • Published By :
  • Published Date : 2023-10-16 22:15:42

મહેસાણાની શાળાઓમાં પેપર ફૂટ્યાનો ભાંડફોડ એક શિક્ષકે કર્યો છે. મહેસાણામાં ધોરણ 6, 7, 8 ના પેપર ફૂટી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ અને એક્ઝોટીકા સ્કૂલના પેપર ફૂટ્યા હોવાનો દાવો કરાયો મહેસાણાના શિક્ષક અલ્કેશ પટેલ દ્વારા કલેકટર અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

બન્ને શાળાના 13 પ્રશ્નપત્રો એક સમાન પણ તારીખો અલગ અલગ હોવાનું જણાવ્યું પણ ખુલાસો કર્યો છે. શાળાનું પરિણામ ઉંચુ બતાવવા એક જેવા પેપર અલગ અલગ તારીખે લેવાયાનો આક્ષેપ હાલમાં કરવામાં આવી રહ્યો છે.ત્યારે ધો.6,7,8 ની પ્રથમ સત્રાંત પરીક્ષા 3 ઓકટો.થી 13 ઓકટો.સુધી લેવાઈ હતી જેમાં કુલ 13 પ્રશ્નપત્રો ફૂટી ગયા હોવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.પ્રથમ સત્રાંત પરીક્ષાના આધારે વાર્ષિક પરીક્ષાનું પરિણામ બનતું હોય છે.ત્યારે વાર્ષિક પરીક્ષાનું પરિણામ ઉંચુ લાવવા પ્રથમ સત્રાંતથી જ ગપલો કરવામાં આવતો હોવાનો દાવો હાલમાં અલકેશ પટેલે દાવો કર્યો છે.


 શાળામાં શિક્ષક નોકરી કરે છે ત્યાં જ પેપર ફૂટ્યા !

મહેસાણાની કાવેરી સ્કૂલમાં જ શિક્ષક તરીકે નોકરી કરતા અલ્કેશ પટેલે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો આગાઉ પણ વિસનગરની એક શાળા વિરૂદ્ધ અલ્કેશ પટેલે ઉઠાવ્યો અવાજ ઉઠાવ્યો હતો. તેમજ કાવેરી સ્કૂલ સામે અવાજ ઉઠાવતા અલ્કેશ પટેલને નોકરીનું જોખમ તેમજ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય તે માટે નોકરીના જોખમ એ પણ અલ્કેશ પટેલે લેખિત રજૂઆત કરી છે.

ખુલાસો કરનાર શિક્ષકનું કહેવું છે તમામ પ્રશ્ન પત્રો મોટા ભાગના ફૂટી ગયેલા અમને માલુમ પડયા હતા.કેવી રીતે ફૂટી ગયા એનો અમે અભ્યાસ કર્યો અમે જાણવા મળ્યું રાધનપુર રોડ પર આવેલ એક્ઝોટીકા સ્કૂલ અને મોઢેરા રોડ પર આવેલ કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રશ્ન પત્રો ધોરણ 6 7 અને 8 ના મોટા ભાગના પ્રશ્ન પત્રો સમાન હતા. પરંતુ સમાન પ્રશ્ન પત્રોની તારીખ જુદી જુદી હતી પરિણામે એક શાળાના પ્રશ્ન પત્ર પુરા થાય એટલે એ પેપર સોશિયલ મીડિયા મારફતે વાઇરલ થઈ બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે પહોંચી જતું હોય છે.એક્ઝોટીક સ્કૂલનું પ્રશ્ન પત્ર પુરૂ થાય એટલે એ પ્રશ્ન પત્ર કાવેરી સ્કૂલમાં સોશીયલ મીડિયા મારફતે આવતું પરિણામે સમગ્ર પ્રશ્ન પત્ર ફૂટી જતું હતું.બાળકોએ એ પ્રશ્ન પત્ર ઉપયોગ કરી પરીક્ષા આપી હતી.જેથી આ પરીક્ષા રદ થવી જોઇએ તેવી માંગ સાથે આ શિક્ષક મેદાનમાં આવ્યા છે.



દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.