મહેસાણાના શિક્ષકે ભાંડો ફોડ્યો, શાળાઓમાં પેપર ફૂટ્યા !


  • Published By :
  • Published Date : 2023-10-16 22:15:42

મહેસાણાની શાળાઓમાં પેપર ફૂટ્યાનો ભાંડફોડ એક શિક્ષકે કર્યો છે. મહેસાણામાં ધોરણ 6, 7, 8 ના પેપર ફૂટી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ અને એક્ઝોટીકા સ્કૂલના પેપર ફૂટ્યા હોવાનો દાવો કરાયો મહેસાણાના શિક્ષક અલ્કેશ પટેલ દ્વારા કલેકટર અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

બન્ને શાળાના 13 પ્રશ્નપત્રો એક સમાન પણ તારીખો અલગ અલગ હોવાનું જણાવ્યું પણ ખુલાસો કર્યો છે. શાળાનું પરિણામ ઉંચુ બતાવવા એક જેવા પેપર અલગ અલગ તારીખે લેવાયાનો આક્ષેપ હાલમાં કરવામાં આવી રહ્યો છે.ત્યારે ધો.6,7,8 ની પ્રથમ સત્રાંત પરીક્ષા 3 ઓકટો.થી 13 ઓકટો.સુધી લેવાઈ હતી જેમાં કુલ 13 પ્રશ્નપત્રો ફૂટી ગયા હોવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.પ્રથમ સત્રાંત પરીક્ષાના આધારે વાર્ષિક પરીક્ષાનું પરિણામ બનતું હોય છે.ત્યારે વાર્ષિક પરીક્ષાનું પરિણામ ઉંચુ લાવવા પ્રથમ સત્રાંતથી જ ગપલો કરવામાં આવતો હોવાનો દાવો હાલમાં અલકેશ પટેલે દાવો કર્યો છે.


 શાળામાં શિક્ષક નોકરી કરે છે ત્યાં જ પેપર ફૂટ્યા !

મહેસાણાની કાવેરી સ્કૂલમાં જ શિક્ષક તરીકે નોકરી કરતા અલ્કેશ પટેલે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો આગાઉ પણ વિસનગરની એક શાળા વિરૂદ્ધ અલ્કેશ પટેલે ઉઠાવ્યો અવાજ ઉઠાવ્યો હતો. તેમજ કાવેરી સ્કૂલ સામે અવાજ ઉઠાવતા અલ્કેશ પટેલને નોકરીનું જોખમ તેમજ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય તે માટે નોકરીના જોખમ એ પણ અલ્કેશ પટેલે લેખિત રજૂઆત કરી છે.

ખુલાસો કરનાર શિક્ષકનું કહેવું છે તમામ પ્રશ્ન પત્રો મોટા ભાગના ફૂટી ગયેલા અમને માલુમ પડયા હતા.કેવી રીતે ફૂટી ગયા એનો અમે અભ્યાસ કર્યો અમે જાણવા મળ્યું રાધનપુર રોડ પર આવેલ એક્ઝોટીકા સ્કૂલ અને મોઢેરા રોડ પર આવેલ કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રશ્ન પત્રો ધોરણ 6 7 અને 8 ના મોટા ભાગના પ્રશ્ન પત્રો સમાન હતા. પરંતુ સમાન પ્રશ્ન પત્રોની તારીખ જુદી જુદી હતી પરિણામે એક શાળાના પ્રશ્ન પત્ર પુરા થાય એટલે એ પેપર સોશિયલ મીડિયા મારફતે વાઇરલ થઈ બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે પહોંચી જતું હોય છે.એક્ઝોટીક સ્કૂલનું પ્રશ્ન પત્ર પુરૂ થાય એટલે એ પ્રશ્ન પત્ર કાવેરી સ્કૂલમાં સોશીયલ મીડિયા મારફતે આવતું પરિણામે સમગ્ર પ્રશ્ન પત્ર ફૂટી જતું હતું.બાળકોએ એ પ્રશ્ન પત્ર ઉપયોગ કરી પરીક્ષા આપી હતી.જેથી આ પરીક્ષા રદ થવી જોઇએ તેવી માંગ સાથે આ શિક્ષક મેદાનમાં આવ્યા છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.