મહેસાણાની 50થી વધુ સોસાયટીઓએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:50:08

વિધાનસભાની ચૂંટણી આવતા જ લોકોમાં રાજકિય પક્ષો સામેનો આક્રોશ ખુલીને બહાર આવી રહ્યો છે. મહેસાણાના માનવ આશ્રમ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓએ કોઈપણ રાજકીય નેતાઓને ચૂંટણી પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સોસાયટીઓના રહિશો છેલ્લા ચાર વર્ષથી તેમના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાવવા સરકાર અને કોર્ટના દ્વાર ખખડાવી ચૂક્યા છે. જેથી હવે આ સોસાયટીઓના રહિશોએ એક જૂથ બની નેતાઓને પાઠ ભણાવવા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.


અશાંતધારાનો અમલ ન થતાં સ્થાનિકોમાં રોષ


મહેસાણાના માનવ આશ્રમ વિસ્તાર તેમજ ધોબીઘાટ વિસ્તારમાં આવેલી 50 જેટલી સોસાયટીઓ અશાંતધારાના અમલીકરણ માટે છેલ્લા ચાર વર્ષથી લડી રહી છે. માનવ આશ્રમ વિસ્તાર તેમજ ધોબી ઘાટના નેળીયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લઘુમતી કોમના લોકોના વસવાટને લઈને વિરોધ ઉઠ્યો હતો. આ સંબંધે વકીલ વિક્રમભાઈ વ્યાસે વર્ષ 2018માં મહેસાણા સિવિલ કોર્ટમાં અત્રેના સોસાયટી વિસ્તારમાં અશાંતધારાનો અમલ કરવા માંગણી કરી હતી. જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. સરકાર દ્વારા પણ આ સંબંધે કોઈ નિર્ણય ન લેવાતા આખરે સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. 


ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા


અશાંત ધારાનો અમલ નહીં થતાં રોષે ભરાયેલા 50થી વધુ સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીની બહાર ‘અશાંતધારાનો અમલ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર’ તેવા બેનરો લગાવતા રાજકારણ ગરમાયું છે. આ બેનરોમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં. સોસાયટીના રહીશોનું એક જ કહેવું છે કે "આ વિસ્તારમાં લઘુમતીઓ રહેવા આવી જવાને કારણે લવ જેહાદનો ડર હંમેશા સતાવતો રહે છે. દીકરીઓને બહાર મોકલવાનું તો ઠીક ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે. રોજબરોજ માંસ-મટન ખાઈને બહાર ગંદકી નાખવા સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અશાંતધારાની માંગણી સંબંધે સરકાર જ્યાં સુધી નિર્ણય નહીં લે ત્યાં સુધી તમામ સોસાયટીના રહીશો આંદોલન ચાલુ રાખશે. અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારા વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ મતદાન નહીં કરે."



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.