મહેસાણાની 50થી વધુ સોસાયટીઓએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:50:08

વિધાનસભાની ચૂંટણી આવતા જ લોકોમાં રાજકિય પક્ષો સામેનો આક્રોશ ખુલીને બહાર આવી રહ્યો છે. મહેસાણાના માનવ આશ્રમ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓએ કોઈપણ રાજકીય નેતાઓને ચૂંટણી પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સોસાયટીઓના રહિશો છેલ્લા ચાર વર્ષથી તેમના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરાવવા સરકાર અને કોર્ટના દ્વાર ખખડાવી ચૂક્યા છે. જેથી હવે આ સોસાયટીઓના રહિશોએ એક જૂથ બની નેતાઓને પાઠ ભણાવવા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.


અશાંતધારાનો અમલ ન થતાં સ્થાનિકોમાં રોષ


મહેસાણાના માનવ આશ્રમ વિસ્તાર તેમજ ધોબીઘાટ વિસ્તારમાં આવેલી 50 જેટલી સોસાયટીઓ અશાંતધારાના અમલીકરણ માટે છેલ્લા ચાર વર્ષથી લડી રહી છે. માનવ આશ્રમ વિસ્તાર તેમજ ધોબી ઘાટના નેળીયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લઘુમતી કોમના લોકોના વસવાટને લઈને વિરોધ ઉઠ્યો હતો. આ સંબંધે વકીલ વિક્રમભાઈ વ્યાસે વર્ષ 2018માં મહેસાણા સિવિલ કોર્ટમાં અત્રેના સોસાયટી વિસ્તારમાં અશાંતધારાનો અમલ કરવા માંગણી કરી હતી. જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. સરકાર દ્વારા પણ આ સંબંધે કોઈ નિર્ણય ન લેવાતા આખરે સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. 


ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા


અશાંત ધારાનો અમલ નહીં થતાં રોષે ભરાયેલા 50થી વધુ સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીની બહાર ‘અશાંતધારાનો અમલ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર’ તેવા બેનરો લગાવતા રાજકારણ ગરમાયું છે. આ બેનરોમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં. સોસાયટીના રહીશોનું એક જ કહેવું છે કે "આ વિસ્તારમાં લઘુમતીઓ રહેવા આવી જવાને કારણે લવ જેહાદનો ડર હંમેશા સતાવતો રહે છે. દીકરીઓને બહાર મોકલવાનું તો ઠીક ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે. રોજબરોજ માંસ-મટન ખાઈને બહાર ગંદકી નાખવા સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અશાંતધારાની માંગણી સંબંધે સરકાર જ્યાં સુધી નિર્ણય નહીં લે ત્યાં સુધી તમામ સોસાયટીના રહીશો આંદોલન ચાલુ રાખશે. અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારા વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ મતદાન નહીં કરે."



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.