મેહુલ બોઘરાએ ટ્રાફિક પોલીસને ઘચકાવ્યા! ટ્વિટ કરી જણાવ્યું ટીઆરબી જવાનની કેટલી છે સત્તા, વાંચો


  • Published By :
  • Published Date : 2023-07-05 12:58:44

વાહન ચલાવતી વખતે અનેક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે જે મુજબ આપણને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, વાહનનું પીયુસી રાખવું જેવા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસને પણ રાખવામાં આવે છે. આપણે રસ્તા પર અનેક વાર એવું જોઈએ છે કોઈ ટ્રાફિક પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે લાઇસન્સ,  PUCએ બધા માટે રકજક થતી હોય છે. ક્યારેક ટ્રાફિક પોલીસ પોતાની સતાનો દુરૂપયોગ કરતી પણ જોવા મળે છે ત્યારે મેહુલ બોઘરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં  આવી જ ઘટના દર્શાવવામાં આવી છે.

  

વાહન રોકી ટીઆરબી જવાને લાઈસન્સની માગણી કરી!

વિડીયો શેર કરતા વકીલ મેહુલ બોઘરાએ આખી ઘટના વર્ણવી છે અને લખ્યું છે કે "ગઈકાલે રવિવાર તારીખ  02/07/2023ના રોજ બપોરે 1:30 કલાકે અમદાવાદના વિશાલા સર્કલ પાસે ટી.આર.બી. દ્વારા વાહન રોકી અને લાયસન્સની માંગણી કરવામાં આવે જે બાબતે વકીલ મિત્રએ વાંધો ઉઠાવતા; હેડ કોન્સ્ટેબલ  બી.પી. ઠાકોર નાઓ દ્વારા એમના પિતા અને વકીલ મિત્રને અંદર લઈ જવામાં આવ્યા જ્યાં ચૂંટણીની અંદર એક અન્ય ટીઆરબી બેસેલ હોય જેણે મોબાઈલ ઝૂંટવી લઈ, ત્યારબાદ રેકોર્ડિંગ બંધ થતા તમામે ભેગા મળી ગાળા ગાળી કરી અને માર મારી અને વિડીયો ડીલીટ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક રૂપિયો પણ દંડ લીધા વગર કે મેમો ફાડયા વગર બળજબરી થી સમાધાન કરી જવા દેવામાં આવ્યા હતા. જો બધું કાયદેસર જ હતું તો પછી દંડ કેમ વસુલ કરવામાં ના આવ્યો એ પણ એક પ્રશ્નાર્થ ચિન્હ છે.  મોબાઈલમાં થી વિડીયો રિકવર કરવામાં આવ્યો..જો એક વકિલ સાથે આ લોકો આટલું ખરાબ વર્તન કરી શકતા હોય તો સમાન્ય જનતા ની શું હાલત કરતા હશે એ સમજી શકાય."


ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે હોય છે TRB જવાન 

મેહુલ બોઘરાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે ટીઆરબી જેમને માત્રને માત્ર ટ્રાફિક નિયમનનું કામ કરવાનું હોય છે, જે લાયસન્સ પણ માંગતા હોય છે મેમો પણ બનાવતા હોય છે અને ચલણ પણ ફાડતા હોય છે  અને ટીઆરબી ઘણા બેઈમાન પોલીસના એજન્ટો બની અને પૈસા વસૂલીનો ધંધો કરતા હોય છે. જે અત્યંત દુઃખદ અને નીંદનીય છે. ઉલ્લેખનિય છે આવી ઘટનાઓ થતાં આપણે અનેક વખત જોઈ હશે, આપણામાંથી અનેક લોકો સાથે કદાચ આવી ઘટનાઓ બની પણ હશે. આપણે અનેક વાર જોઈએ જ છીએ કે પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ અમુક લોકો પોતાની વરદીનો બેફામ ઉપયોગ કરી લોકોને દબાવતા હોય છે 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.