મેહુલ બોઘરાએ ટ્રાફિક પોલીસને ઘચકાવ્યા! ટ્વિટ કરી જણાવ્યું ટીઆરબી જવાનની કેટલી છે સત્તા, વાંચો


  • Published By :
  • Published Date : 2023-07-05 12:58:44

વાહન ચલાવતી વખતે અનેક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે જે મુજબ આપણને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, વાહનનું પીયુસી રાખવું જેવા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસને પણ રાખવામાં આવે છે. આપણે રસ્તા પર અનેક વાર એવું જોઈએ છે કોઈ ટ્રાફિક પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે લાઇસન્સ,  PUCએ બધા માટે રકજક થતી હોય છે. ક્યારેક ટ્રાફિક પોલીસ પોતાની સતાનો દુરૂપયોગ કરતી પણ જોવા મળે છે ત્યારે મેહુલ બોઘરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં  આવી જ ઘટના દર્શાવવામાં આવી છે.

  

વાહન રોકી ટીઆરબી જવાને લાઈસન્સની માગણી કરી!

વિડીયો શેર કરતા વકીલ મેહુલ બોઘરાએ આખી ઘટના વર્ણવી છે અને લખ્યું છે કે "ગઈકાલે રવિવાર તારીખ  02/07/2023ના રોજ બપોરે 1:30 કલાકે અમદાવાદના વિશાલા સર્કલ પાસે ટી.આર.બી. દ્વારા વાહન રોકી અને લાયસન્સની માંગણી કરવામાં આવે જે બાબતે વકીલ મિત્રએ વાંધો ઉઠાવતા; હેડ કોન્સ્ટેબલ  બી.પી. ઠાકોર નાઓ દ્વારા એમના પિતા અને વકીલ મિત્રને અંદર લઈ જવામાં આવ્યા જ્યાં ચૂંટણીની અંદર એક અન્ય ટીઆરબી બેસેલ હોય જેણે મોબાઈલ ઝૂંટવી લઈ, ત્યારબાદ રેકોર્ડિંગ બંધ થતા તમામે ભેગા મળી ગાળા ગાળી કરી અને માર મારી અને વિડીયો ડીલીટ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક રૂપિયો પણ દંડ લીધા વગર કે મેમો ફાડયા વગર બળજબરી થી સમાધાન કરી જવા દેવામાં આવ્યા હતા. જો બધું કાયદેસર જ હતું તો પછી દંડ કેમ વસુલ કરવામાં ના આવ્યો એ પણ એક પ્રશ્નાર્થ ચિન્હ છે.  મોબાઈલમાં થી વિડીયો રિકવર કરવામાં આવ્યો..જો એક વકિલ સાથે આ લોકો આટલું ખરાબ વર્તન કરી શકતા હોય તો સમાન્ય જનતા ની શું હાલત કરતા હશે એ સમજી શકાય."


ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે હોય છે TRB જવાન 

મેહુલ બોઘરાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે ટીઆરબી જેમને માત્રને માત્ર ટ્રાફિક નિયમનનું કામ કરવાનું હોય છે, જે લાયસન્સ પણ માંગતા હોય છે મેમો પણ બનાવતા હોય છે અને ચલણ પણ ફાડતા હોય છે  અને ટીઆરબી ઘણા બેઈમાન પોલીસના એજન્ટો બની અને પૈસા વસૂલીનો ધંધો કરતા હોય છે. જે અત્યંત દુઃખદ અને નીંદનીય છે. ઉલ્લેખનિય છે આવી ઘટનાઓ થતાં આપણે અનેક વખત જોઈ હશે, આપણામાંથી અનેક લોકો સાથે કદાચ આવી ઘટનાઓ બની પણ હશે. આપણે અનેક વાર જોઈએ જ છીએ કે પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ અમુક લોકો પોતાની વરદીનો બેફામ ઉપયોગ કરી લોકોને દબાવતા હોય છે 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.