મેહુલ બોઘરાએ ટ્રાફિક પોલીસને ઘચકાવ્યા! ટ્વિટ કરી જણાવ્યું ટીઆરબી જવાનની કેટલી છે સત્તા, વાંચો


  • Published By :
  • Published Date : 2023-07-05 12:58:44

વાહન ચલાવતી વખતે અનેક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે જે મુજબ આપણને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, વાહનનું પીયુસી રાખવું જેવા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસને પણ રાખવામાં આવે છે. આપણે રસ્તા પર અનેક વાર એવું જોઈએ છે કોઈ ટ્રાફિક પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે લાઇસન્સ,  PUCએ બધા માટે રકજક થતી હોય છે. ક્યારેક ટ્રાફિક પોલીસ પોતાની સતાનો દુરૂપયોગ કરતી પણ જોવા મળે છે ત્યારે મેહુલ બોઘરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં  આવી જ ઘટના દર્શાવવામાં આવી છે.

  

વાહન રોકી ટીઆરબી જવાને લાઈસન્સની માગણી કરી!

વિડીયો શેર કરતા વકીલ મેહુલ બોઘરાએ આખી ઘટના વર્ણવી છે અને લખ્યું છે કે "ગઈકાલે રવિવાર તારીખ  02/07/2023ના રોજ બપોરે 1:30 કલાકે અમદાવાદના વિશાલા સર્કલ પાસે ટી.આર.બી. દ્વારા વાહન રોકી અને લાયસન્સની માંગણી કરવામાં આવે જે બાબતે વકીલ મિત્રએ વાંધો ઉઠાવતા; હેડ કોન્સ્ટેબલ  બી.પી. ઠાકોર નાઓ દ્વારા એમના પિતા અને વકીલ મિત્રને અંદર લઈ જવામાં આવ્યા જ્યાં ચૂંટણીની અંદર એક અન્ય ટીઆરબી બેસેલ હોય જેણે મોબાઈલ ઝૂંટવી લઈ, ત્યારબાદ રેકોર્ડિંગ બંધ થતા તમામે ભેગા મળી ગાળા ગાળી કરી અને માર મારી અને વિડીયો ડીલીટ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક રૂપિયો પણ દંડ લીધા વગર કે મેમો ફાડયા વગર બળજબરી થી સમાધાન કરી જવા દેવામાં આવ્યા હતા. જો બધું કાયદેસર જ હતું તો પછી દંડ કેમ વસુલ કરવામાં ના આવ્યો એ પણ એક પ્રશ્નાર્થ ચિન્હ છે.  મોબાઈલમાં થી વિડીયો રિકવર કરવામાં આવ્યો..જો એક વકિલ સાથે આ લોકો આટલું ખરાબ વર્તન કરી શકતા હોય તો સમાન્ય જનતા ની શું હાલત કરતા હશે એ સમજી શકાય."


ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે હોય છે TRB જવાન 

મેહુલ બોઘરાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે ટીઆરબી જેમને માત્રને માત્ર ટ્રાફિક નિયમનનું કામ કરવાનું હોય છે, જે લાયસન્સ પણ માંગતા હોય છે મેમો પણ બનાવતા હોય છે અને ચલણ પણ ફાડતા હોય છે  અને ટીઆરબી ઘણા બેઈમાન પોલીસના એજન્ટો બની અને પૈસા વસૂલીનો ધંધો કરતા હોય છે. જે અત્યંત દુઃખદ અને નીંદનીય છે. ઉલ્લેખનિય છે આવી ઘટનાઓ થતાં આપણે અનેક વખત જોઈ હશે, આપણામાંથી અનેક લોકો સાથે કદાચ આવી ઘટનાઓ બની પણ હશે. આપણે અનેક વાર જોઈએ જ છીએ કે પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ અમુક લોકો પોતાની વરદીનો બેફામ ઉપયોગ કરી લોકોને દબાવતા હોય છે 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.