મેહુલ બોઘરાએ ટ્રાફિક પોલીસને ઘચકાવ્યા! ટ્વિટ કરી જણાવ્યું ટીઆરબી જવાનની કેટલી છે સત્તા, વાંચો


  • Published By :
  • Published Date : 2023-07-05 12:58:44

વાહન ચલાવતી વખતે અનેક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે જે મુજબ આપણને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, વાહનનું પીયુસી રાખવું જેવા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસને પણ રાખવામાં આવે છે. આપણે રસ્તા પર અનેક વાર એવું જોઈએ છે કોઈ ટ્રાફિક પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે લાઇસન્સ,  PUCએ બધા માટે રકજક થતી હોય છે. ક્યારેક ટ્રાફિક પોલીસ પોતાની સતાનો દુરૂપયોગ કરતી પણ જોવા મળે છે ત્યારે મેહુલ બોઘરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં  આવી જ ઘટના દર્શાવવામાં આવી છે.

  

વાહન રોકી ટીઆરબી જવાને લાઈસન્સની માગણી કરી!

વિડીયો શેર કરતા વકીલ મેહુલ બોઘરાએ આખી ઘટના વર્ણવી છે અને લખ્યું છે કે "ગઈકાલે રવિવાર તારીખ  02/07/2023ના રોજ બપોરે 1:30 કલાકે અમદાવાદના વિશાલા સર્કલ પાસે ટી.આર.બી. દ્વારા વાહન રોકી અને લાયસન્સની માંગણી કરવામાં આવે જે બાબતે વકીલ મિત્રએ વાંધો ઉઠાવતા; હેડ કોન્સ્ટેબલ  બી.પી. ઠાકોર નાઓ દ્વારા એમના પિતા અને વકીલ મિત્રને અંદર લઈ જવામાં આવ્યા જ્યાં ચૂંટણીની અંદર એક અન્ય ટીઆરબી બેસેલ હોય જેણે મોબાઈલ ઝૂંટવી લઈ, ત્યારબાદ રેકોર્ડિંગ બંધ થતા તમામે ભેગા મળી ગાળા ગાળી કરી અને માર મારી અને વિડીયો ડીલીટ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક રૂપિયો પણ દંડ લીધા વગર કે મેમો ફાડયા વગર બળજબરી થી સમાધાન કરી જવા દેવામાં આવ્યા હતા. જો બધું કાયદેસર જ હતું તો પછી દંડ કેમ વસુલ કરવામાં ના આવ્યો એ પણ એક પ્રશ્નાર્થ ચિન્હ છે.  મોબાઈલમાં થી વિડીયો રિકવર કરવામાં આવ્યો..જો એક વકિલ સાથે આ લોકો આટલું ખરાબ વર્તન કરી શકતા હોય તો સમાન્ય જનતા ની શું હાલત કરતા હશે એ સમજી શકાય."


ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે હોય છે TRB જવાન 

મેહુલ બોઘરાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે ટીઆરબી જેમને માત્રને માત્ર ટ્રાફિક નિયમનનું કામ કરવાનું હોય છે, જે લાયસન્સ પણ માંગતા હોય છે મેમો પણ બનાવતા હોય છે અને ચલણ પણ ફાડતા હોય છે  અને ટીઆરબી ઘણા બેઈમાન પોલીસના એજન્ટો બની અને પૈસા વસૂલીનો ધંધો કરતા હોય છે. જે અત્યંત દુઃખદ અને નીંદનીય છે. ઉલ્લેખનિય છે આવી ઘટનાઓ થતાં આપણે અનેક વખત જોઈ હશે, આપણામાંથી અનેક લોકો સાથે કદાચ આવી ઘટનાઓ બની પણ હશે. આપણે અનેક વાર જોઈએ જ છીએ કે પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ અમુક લોકો પોતાની વરદીનો બેફામ ઉપયોગ કરી લોકોને દબાવતા હોય છે 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.