Social Media પર ટ્રેન્ડ થયું Melodi, Italy પીએમ મેલોની અને PM મોદી સારા મિત્ર!


  • Published By :
  • Published Date : 2023-12-02 14:45:30

ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક # ટ્રેન્ડ થઈ રહ્યું છે મેલોડી... આ # સાથે ભારતના પીએમ મોદી અને ઈટાલીના પીએમ મેલોનીની તસવીર છે.  આ # સાથે ઈટાલીના પીએમએ આ તસવીરને શેર કરી હતી.  આ તસવીર ગઈકાલ રાતથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આને લઈ અનેક લોકોએ ટ્વિટ કરી છે.  

ઈટાલીના પીએમએ પીએમ મોદીનો ફોટો કર્યો શેર અને લખ્યું...

આ તસવીર વધારે એટલે વાયરલ થઈ રહી છે કારણ કે આ સેલ્ફી ઈટાલીના પીએમ મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે સીઓપી28માં ગુડ ફ્રેન્ડ્સ અને #melodi અને આ # મેલોડી ગઈ કાલથી ટ્વિટર અને બીજા બધા સોશિયલ મીડિયા પર  બધે ટ્રેન્ડ થઈ રહ્યું છે આ ફોટો વાઇરલ થવા પાછળનું બીજું કારણ એ પણ છે કે આ પહેલા સીઓપી28 સમિટમાં ભાગ લેનારા વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની અલગ દોસ્તી દેખાઈ હતી. બન્નેની એક સાથે હસતી અને વાતચીત કરતી તસવીર વાયરલ થઇ રહી છે. 


સમિટ દરમિયાન અલગ અલગ નેતાઓને મળ્યા પીએમ મોદી  

પીએમ મોદીએ મેલોની ઉપરાંત  બ્રિટનના કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. ક્લાઈમેટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના હાલમાં નિયુક્ત રાષ્ટ્રપતિ મુહમ્મદ મુઈઝ્ઝૂને પણ મળ્યા હતા. કલાઈમેટ સમિટમાં પીએમ મોદીએ કહ્યું- ગઈ સદીમાં થયેલી ભૂલોને સુધારવા માટે આપણી પાસે વધુ સમય નથી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.