Social Media પર ટ્રેન્ડ થયું Melodi, Italy પીએમ મેલોની અને PM મોદી સારા મિત્ર!


  • Published By :
  • Published Date : 2023-12-02 14:45:30

ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક # ટ્રેન્ડ થઈ રહ્યું છે મેલોડી... આ # સાથે ભારતના પીએમ મોદી અને ઈટાલીના પીએમ મેલોનીની તસવીર છે.  આ # સાથે ઈટાલીના પીએમએ આ તસવીરને શેર કરી હતી.  આ તસવીર ગઈકાલ રાતથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આને લઈ અનેક લોકોએ ટ્વિટ કરી છે.  

ઈટાલીના પીએમએ પીએમ મોદીનો ફોટો કર્યો શેર અને લખ્યું...

આ તસવીર વધારે એટલે વાયરલ થઈ રહી છે કારણ કે આ સેલ્ફી ઈટાલીના પીએમ મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે સીઓપી28માં ગુડ ફ્રેન્ડ્સ અને #melodi અને આ # મેલોડી ગઈ કાલથી ટ્વિટર અને બીજા બધા સોશિયલ મીડિયા પર  બધે ટ્રેન્ડ થઈ રહ્યું છે આ ફોટો વાઇરલ થવા પાછળનું બીજું કારણ એ પણ છે કે આ પહેલા સીઓપી28 સમિટમાં ભાગ લેનારા વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની અલગ દોસ્તી દેખાઈ હતી. બન્નેની એક સાથે હસતી અને વાતચીત કરતી તસવીર વાયરલ થઇ રહી છે. 


સમિટ દરમિયાન અલગ અલગ નેતાઓને મળ્યા પીએમ મોદી  

પીએમ મોદીએ મેલોની ઉપરાંત  બ્રિટનના કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. ક્લાઈમેટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના હાલમાં નિયુક્ત રાષ્ટ્રપતિ મુહમ્મદ મુઈઝ્ઝૂને પણ મળ્યા હતા. કલાઈમેટ સમિટમાં પીએમ મોદીએ કહ્યું- ગઈ સદીમાં થયેલી ભૂલોને સુધારવા માટે આપણી પાસે વધુ સમય નથી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે