Social Media પર ટ્રેન્ડ થયું Melodi, Italy પીએમ મેલોની અને PM મોદી સારા મિત્ર!


  • Published By :
  • Published Date : 2023-12-02 14:45:30

ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક # ટ્રેન્ડ થઈ રહ્યું છે મેલોડી... આ # સાથે ભારતના પીએમ મોદી અને ઈટાલીના પીએમ મેલોનીની તસવીર છે.  આ # સાથે ઈટાલીના પીએમએ આ તસવીરને શેર કરી હતી.  આ તસવીર ગઈકાલ રાતથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આને લઈ અનેક લોકોએ ટ્વિટ કરી છે.  

ઈટાલીના પીએમએ પીએમ મોદીનો ફોટો કર્યો શેર અને લખ્યું...

આ તસવીર વધારે એટલે વાયરલ થઈ રહી છે કારણ કે આ સેલ્ફી ઈટાલીના પીએમ મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે સીઓપી28માં ગુડ ફ્રેન્ડ્સ અને #melodi અને આ # મેલોડી ગઈ કાલથી ટ્વિટર અને બીજા બધા સોશિયલ મીડિયા પર  બધે ટ્રેન્ડ થઈ રહ્યું છે આ ફોટો વાઇરલ થવા પાછળનું બીજું કારણ એ પણ છે કે આ પહેલા સીઓપી28 સમિટમાં ભાગ લેનારા વૈશ્વિક નેતાઓના ફોટોશૂટમાં પણ પીએમ મોદી અને મેલોનીની અલગ દોસ્તી દેખાઈ હતી. બન્નેની એક સાથે હસતી અને વાતચીત કરતી તસવીર વાયરલ થઇ રહી છે. 


સમિટ દરમિયાન અલગ અલગ નેતાઓને મળ્યા પીએમ મોદી  

પીએમ મોદીએ મેલોની ઉપરાંત  બ્રિટનના કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. ક્લાઈમેટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના હાલમાં નિયુક્ત રાષ્ટ્રપતિ મુહમ્મદ મુઈઝ્ઝૂને પણ મળ્યા હતા. કલાઈમેટ સમિટમાં પીએમ મોદીએ કહ્યું- ગઈ સદીમાં થયેલી ભૂલોને સુધારવા માટે આપણી પાસે વધુ સમય નથી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.