પાંચ વર્ષથી સાંકળ વડે બાંધી રાખેલ દાહોદની માનસિક અસંતુલિત મહિલાને અંતે મળી મુક્તિ


  • Published By :
  • Published Date : 2023-04-14 15:09:13

દાહોદ જિલ્લાના બાવકા ગામની માનસિક રીતે અસંતુલિત મહિલાનો પાંચ વર્ષે મુક્ત કરવામાં આવી છે. સંગીતા બામણિયા નામની આ મહિલાને પરિવારજનો દ્વારા સાંકળ વડે બાંધી રાખવામાં આવતી હતી. આ બાબતની જાણ સામાજિક કાર્યકરને થતાં તેને બંધન માંથી મુક્ત કરાવી હતી. સંગીતાને નગ્ન અવસ્થામાં બાંધેલી જોઈને સ્વૈચ્છિક સંસ્થા અને પોલીસનું પણ હૃદય દ્રવી ઉઠ્યુ હતું. 


કઈ રીતે મહિલાને મળી મુક્તિ?


ઘર પાસેના ઢાળિયામાં સાંકળથી બાંધી નર્કાગાર પરિસ્થિતિમાં જીવતી મહિલા વિશે પાડોશીઓએ દાહોદની એક વ્યવસાયે શિક્ષિકા અને સમાજસેવાનું કાર્ય કરતી સંધ્યાબેન ભુરીયાનો સંપર્ક કરતા સામાજિક કાર્યકરે ઘર ની મુલાકાત લઈ તેના પિતાને તેની સારવાર અને જાળવણી માટે આશ્રમમાં લઇ જવા માટે સંમત કરી અરવલ્લી જિલ્લામાં બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના સંચાલકો સાથે સંકલન કર્યું હતું. ત્યાર બાદ આશ્રમની ટીમે પોલીસ સાથે મળી યુવતીને બંધન મુક્ત કરાવી આશ્રમ ખાતે લઇ જવામાં આવી છે, મહિલાની સારવાર અને જાળવણી હવે આશ્રમ ખાતે થશે.


ભણવામાં હોશિયાર હતી સંગીતા


દાહોદ નજીક બાવકા ગામની સંગીતા બામણિયા હોશિયાર વિદ્યાર્થિની હતી. તેણે ધોરણ 10 પછી તેણે વિજ્ઞાન લીધુ. ધોરણ12માં તેના 68 ટકા આવ્યા હતાં. કુંટુબની એક દીકરી નર્સિંગ કરતી હતી જેથી તેની ઈચ્છા પણ નર્સિંગમાં એડમિશન લેવાની હતી. કરમની કઠણાઈ કહો કે ગમે તે પણ ફોર્મ જમા કરાવવાના આગલા દિવસે જ તેનું મગજ અસ્થિર થઇ ગયું હતું. દિવસે-દિવસે  તેની માનસિક સ્થિતિ બગડતાં અંતે પિતાએ પાંચ વર્ષ પહેલાં તેને ઘર પાસેના ઢાળિયામાં સાંકળથી બાંધી દીધી હતી. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.