પાંચ વર્ષથી સાંકળ વડે બાંધી રાખેલ દાહોદની માનસિક અસંતુલિત મહિલાને અંતે મળી મુક્તિ


  • Published By :
  • Published Date : 2023-04-14 15:09:13

દાહોદ જિલ્લાના બાવકા ગામની માનસિક રીતે અસંતુલિત મહિલાનો પાંચ વર્ષે મુક્ત કરવામાં આવી છે. સંગીતા બામણિયા નામની આ મહિલાને પરિવારજનો દ્વારા સાંકળ વડે બાંધી રાખવામાં આવતી હતી. આ બાબતની જાણ સામાજિક કાર્યકરને થતાં તેને બંધન માંથી મુક્ત કરાવી હતી. સંગીતાને નગ્ન અવસ્થામાં બાંધેલી જોઈને સ્વૈચ્છિક સંસ્થા અને પોલીસનું પણ હૃદય દ્રવી ઉઠ્યુ હતું. 


કઈ રીતે મહિલાને મળી મુક્તિ?


ઘર પાસેના ઢાળિયામાં સાંકળથી બાંધી નર્કાગાર પરિસ્થિતિમાં જીવતી મહિલા વિશે પાડોશીઓએ દાહોદની એક વ્યવસાયે શિક્ષિકા અને સમાજસેવાનું કાર્ય કરતી સંધ્યાબેન ભુરીયાનો સંપર્ક કરતા સામાજિક કાર્યકરે ઘર ની મુલાકાત લઈ તેના પિતાને તેની સારવાર અને જાળવણી માટે આશ્રમમાં લઇ જવા માટે સંમત કરી અરવલ્લી જિલ્લામાં બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના સંચાલકો સાથે સંકલન કર્યું હતું. ત્યાર બાદ આશ્રમની ટીમે પોલીસ સાથે મળી યુવતીને બંધન મુક્ત કરાવી આશ્રમ ખાતે લઇ જવામાં આવી છે, મહિલાની સારવાર અને જાળવણી હવે આશ્રમ ખાતે થશે.


ભણવામાં હોશિયાર હતી સંગીતા


દાહોદ નજીક બાવકા ગામની સંગીતા બામણિયા હોશિયાર વિદ્યાર્થિની હતી. તેણે ધોરણ 10 પછી તેણે વિજ્ઞાન લીધુ. ધોરણ12માં તેના 68 ટકા આવ્યા હતાં. કુંટુબની એક દીકરી નર્સિંગ કરતી હતી જેથી તેની ઈચ્છા પણ નર્સિંગમાં એડમિશન લેવાની હતી. કરમની કઠણાઈ કહો કે ગમે તે પણ ફોર્મ જમા કરાવવાના આગલા દિવસે જ તેનું મગજ અસ્થિર થઇ ગયું હતું. દિવસે-દિવસે  તેની માનસિક સ્થિતિ બગડતાં અંતે પિતાએ પાંચ વર્ષ પહેલાં તેને ઘર પાસેના ઢાળિયામાં સાંકળથી બાંધી દીધી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.