પાંચ વર્ષથી સાંકળ વડે બાંધી રાખેલ દાહોદની માનસિક અસંતુલિત મહિલાને અંતે મળી મુક્તિ


  • Published By :
  • Published Date : 2023-04-14 15:09:13

દાહોદ જિલ્લાના બાવકા ગામની માનસિક રીતે અસંતુલિત મહિલાનો પાંચ વર્ષે મુક્ત કરવામાં આવી છે. સંગીતા બામણિયા નામની આ મહિલાને પરિવારજનો દ્વારા સાંકળ વડે બાંધી રાખવામાં આવતી હતી. આ બાબતની જાણ સામાજિક કાર્યકરને થતાં તેને બંધન માંથી મુક્ત કરાવી હતી. સંગીતાને નગ્ન અવસ્થામાં બાંધેલી જોઈને સ્વૈચ્છિક સંસ્થા અને પોલીસનું પણ હૃદય દ્રવી ઉઠ્યુ હતું. 


કઈ રીતે મહિલાને મળી મુક્તિ?


ઘર પાસેના ઢાળિયામાં સાંકળથી બાંધી નર્કાગાર પરિસ્થિતિમાં જીવતી મહિલા વિશે પાડોશીઓએ દાહોદની એક વ્યવસાયે શિક્ષિકા અને સમાજસેવાનું કાર્ય કરતી સંધ્યાબેન ભુરીયાનો સંપર્ક કરતા સામાજિક કાર્યકરે ઘર ની મુલાકાત લઈ તેના પિતાને તેની સારવાર અને જાળવણી માટે આશ્રમમાં લઇ જવા માટે સંમત કરી અરવલ્લી જિલ્લામાં બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના સંચાલકો સાથે સંકલન કર્યું હતું. ત્યાર બાદ આશ્રમની ટીમે પોલીસ સાથે મળી યુવતીને બંધન મુક્ત કરાવી આશ્રમ ખાતે લઇ જવામાં આવી છે, મહિલાની સારવાર અને જાળવણી હવે આશ્રમ ખાતે થશે.


ભણવામાં હોશિયાર હતી સંગીતા


દાહોદ નજીક બાવકા ગામની સંગીતા બામણિયા હોશિયાર વિદ્યાર્થિની હતી. તેણે ધોરણ 10 પછી તેણે વિજ્ઞાન લીધુ. ધોરણ12માં તેના 68 ટકા આવ્યા હતાં. કુંટુબની એક દીકરી નર્સિંગ કરતી હતી જેથી તેની ઈચ્છા પણ નર્સિંગમાં એડમિશન લેવાની હતી. કરમની કઠણાઈ કહો કે ગમે તે પણ ફોર્મ જમા કરાવવાના આગલા દિવસે જ તેનું મગજ અસ્થિર થઇ ગયું હતું. દિવસે-દિવસે  તેની માનસિક સ્થિતિ બગડતાં અંતે પિતાએ પાંચ વર્ષ પહેલાં તેને ઘર પાસેના ઢાળિયામાં સાંકળથી બાંધી દીધી હતી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.