ગુજરાત ATSએ વડોદરામાં રૂ. 121.40 કરોડની કિંમતનાં મેફેડ્રોનનો જથ્થો પકડ્યો


  • Published By :
  • Published Date : 2022-12-07 21:01:30

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ વડોદરા શહેરમાં એક કેમિસ્ટના ઘરેથી રૂ. 121.40 કરોડની કિંમતનો 24.28 કિલો મેફેડ્રોન અથવા MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. વડોદરા શહેરની હદમાં આવેલા એક મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી રૂ. 478 કરોડની કિંમતનો મેફેડ્રોન અને તેનો કાચો માલ જપ્ત કર્યાના દિવસો બાદ મંગળવારે આ રિકવરી આવી છે. વડોદરા જિલ્લાના સિંધરોટ ગામની એક ફેક્ટરીમાં 29 નવેમ્બરની રાત્રે દરોડા દરમિયાન પકડાયેલા પાંચ વ્યક્તિઓમાંના શૈલેષ કટારિયાના ઘરેથી એટીએસ દ્વારા નશાકારક ડ્રગનો નવીનતમ સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો.


પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો પકડાયો


ATS અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન, ડ્રગના વેપારીઓ દ્વારા ભાડે રાખવામાં આવેલા અને વ્યવસાયે કેમિસ્ટ કટારિયાએ પોલીસને માહિતી આપી હતી કે તેણે એમડી ડ્રગ્સનો મોટો જથ્થો રાખ્યો હતો, જે તેણે વડોદરા શહેરમાં તેના નિવાસસ્થાને સિંધરોટ સ્થિત ફેક્ટરીમાં તૈયાર કર્યું હતું. ATSની એક ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી અને 121.40 કરોડ રૂપિયાની કિંમતનો 24.28 કિલો પ્રતિબંધિત પદાર્થ રિકવર કર્યું હતું. મેફેડ્રોન, જેને 'મ્યાઉ મ્યાઉ' અથવા MD તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કૃત્રિમ ઉત્તેજક ટ્રવ્ય છે જે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.