ગુજરાત ATSએ વડોદરામાં રૂ. 121.40 કરોડની કિંમતનાં મેફેડ્રોનનો જથ્થો પકડ્યો


  • Published By :
  • Published Date : 2022-12-07 21:01:30

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ વડોદરા શહેરમાં એક કેમિસ્ટના ઘરેથી રૂ. 121.40 કરોડની કિંમતનો 24.28 કિલો મેફેડ્રોન અથવા MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. વડોદરા શહેરની હદમાં આવેલા એક મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી રૂ. 478 કરોડની કિંમતનો મેફેડ્રોન અને તેનો કાચો માલ જપ્ત કર્યાના દિવસો બાદ મંગળવારે આ રિકવરી આવી છે. વડોદરા જિલ્લાના સિંધરોટ ગામની એક ફેક્ટરીમાં 29 નવેમ્બરની રાત્રે દરોડા દરમિયાન પકડાયેલા પાંચ વ્યક્તિઓમાંના શૈલેષ કટારિયાના ઘરેથી એટીએસ દ્વારા નશાકારક ડ્રગનો નવીનતમ સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો.


પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો પકડાયો


ATS અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન, ડ્રગના વેપારીઓ દ્વારા ભાડે રાખવામાં આવેલા અને વ્યવસાયે કેમિસ્ટ કટારિયાએ પોલીસને માહિતી આપી હતી કે તેણે એમડી ડ્રગ્સનો મોટો જથ્થો રાખ્યો હતો, જે તેણે વડોદરા શહેરમાં તેના નિવાસસ્થાને સિંધરોટ સ્થિત ફેક્ટરીમાં તૈયાર કર્યું હતું. ATSની એક ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી અને 121.40 કરોડ રૂપિયાની કિંમતનો 24.28 કિલો પ્રતિબંધિત પદાર્થ રિકવર કર્યું હતું. મેફેડ્રોન, જેને 'મ્યાઉ મ્યાઉ' અથવા MD તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કૃત્રિમ ઉત્તેજક ટ્રવ્ય છે જે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.