ગુજરાત ATSએ વડોદરામાં રૂ. 121.40 કરોડની કિંમતનાં મેફેડ્રોનનો જથ્થો પકડ્યો


  • Published By :
  • Published Date : 2022-12-07 21:01:30

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ વડોદરા શહેરમાં એક કેમિસ્ટના ઘરેથી રૂ. 121.40 કરોડની કિંમતનો 24.28 કિલો મેફેડ્રોન અથવા MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. વડોદરા શહેરની હદમાં આવેલા એક મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી રૂ. 478 કરોડની કિંમતનો મેફેડ્રોન અને તેનો કાચો માલ જપ્ત કર્યાના દિવસો બાદ મંગળવારે આ રિકવરી આવી છે. વડોદરા જિલ્લાના સિંધરોટ ગામની એક ફેક્ટરીમાં 29 નવેમ્બરની રાત્રે દરોડા દરમિયાન પકડાયેલા પાંચ વ્યક્તિઓમાંના શૈલેષ કટારિયાના ઘરેથી એટીએસ દ્વારા નશાકારક ડ્રગનો નવીનતમ સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો.


પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો પકડાયો


ATS અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન, ડ્રગના વેપારીઓ દ્વારા ભાડે રાખવામાં આવેલા અને વ્યવસાયે કેમિસ્ટ કટારિયાએ પોલીસને માહિતી આપી હતી કે તેણે એમડી ડ્રગ્સનો મોટો જથ્થો રાખ્યો હતો, જે તેણે વડોદરા શહેરમાં તેના નિવાસસ્થાને સિંધરોટ સ્થિત ફેક્ટરીમાં તૈયાર કર્યું હતું. ATSની એક ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી અને 121.40 કરોડ રૂપિયાની કિંમતનો 24.28 કિલો પ્રતિબંધિત પદાર્થ રિકવર કર્યું હતું. મેફેડ્રોન, જેને 'મ્યાઉ મ્યાઉ' અથવા MD તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કૃત્રિમ ઉત્તેજક ટ્રવ્ય છે જે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે