રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 200થી વધારે તાલુકામાં મેઘરાજાએ કરી જમાવટ, અમદાવાદમાં જળબંબાકાર


  • Published By :
  • Published Date : 2023-06-30 23:14:41

રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 200થી વધારે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 થી વધુ તાલુકામાં બે કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પણ જમાવટ કરી છે. આજે મોડી સાંજે તૂટી પડેલા ધોધમાર વરસાદે આખા અમદાવાદને ઘમરોળી નાખ્યું હતુ. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ઈસ્કોન, સેટેલાઈટ, બોપલ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.Image


અમદાવાદના આ વિસ્તારો જળબંબાકાર 


આજે અમદાવાદના જોધપુર વિસ્તારમાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરના બોડકદેવમાં 4 ઈંચ, બોપલ અને સાયન્સ સિટીમમાં 4.5, મક્તમપુરા, ઉસ્માનપુરા, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં 3 ઈંચ, તો રાણીપ અને ખમાસા વિસ્તામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના પગલે શહેરની શાન ગણાતા SG હાઈવે પર ઈસ્કોન બ્રિજથી લાંબા ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઉપરાંત વરસાદી પાણી ભરાઈ જવાથી શહેરના ઉસ્માનપુરા, પરિમલ ગાર્ડન, મકરબા અને અખબારનગર સહિતના અન્ડર પાસ બંધ કરવાની ફરજ પડી છે.નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તો વાહનો બંધ થઈ જવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ તાલુકાઓમાં થઈ મેઘ મહેર


રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે, દક્ષિણ ગુજરાતના વલસાડમાં માત્ર બે કલાકમાં જ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ધરમપુરમાં છેલ્લા બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. નવસારીના ખેરગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વધ્યો છે. ગીરસોમનાથના કોડિનારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ છે. જૂનાગઢના માણાવદર અને ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે. તાપીના ત્રણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદ છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.