રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 200થી વધારે તાલુકામાં મેઘરાજાએ કરી જમાવટ, અમદાવાદમાં જળબંબાકાર


  • Published By :
  • Published Date : 2023-06-30 23:14:41

રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 200થી વધારે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 થી વધુ તાલુકામાં બે કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પણ જમાવટ કરી છે. આજે મોડી સાંજે તૂટી પડેલા ધોધમાર વરસાદે આખા અમદાવાદને ઘમરોળી નાખ્યું હતુ. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ઈસ્કોન, સેટેલાઈટ, બોપલ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.Image


અમદાવાદના આ વિસ્તારો જળબંબાકાર 


આજે અમદાવાદના જોધપુર વિસ્તારમાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરના બોડકદેવમાં 4 ઈંચ, બોપલ અને સાયન્સ સિટીમમાં 4.5, મક્તમપુરા, ઉસ્માનપુરા, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં 3 ઈંચ, તો રાણીપ અને ખમાસા વિસ્તામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના પગલે શહેરની શાન ગણાતા SG હાઈવે પર ઈસ્કોન બ્રિજથી લાંબા ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઉપરાંત વરસાદી પાણી ભરાઈ જવાથી શહેરના ઉસ્માનપુરા, પરિમલ ગાર્ડન, મકરબા અને અખબારનગર સહિતના અન્ડર પાસ બંધ કરવાની ફરજ પડી છે.નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તો વાહનો બંધ થઈ જવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ તાલુકાઓમાં થઈ મેઘ મહેર


રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે, દક્ષિણ ગુજરાતના વલસાડમાં માત્ર બે કલાકમાં જ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ધરમપુરમાં છેલ્લા બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. નવસારીના ખેરગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વધ્યો છે. ગીરસોમનાથના કોડિનારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ છે. જૂનાગઢના માણાવદર અને ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે. તાપીના ત્રણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદ છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.