રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 200થી વધારે તાલુકામાં મેઘરાજાએ કરી જમાવટ, અમદાવાદમાં જળબંબાકાર


  • Published By :
  • Published Date : 2023-06-30 23:14:41

રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 200થી વધારે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 50 થી વધુ તાલુકામાં બે કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પણ જમાવટ કરી છે. આજે મોડી સાંજે તૂટી પડેલા ધોધમાર વરસાદે આખા અમદાવાદને ઘમરોળી નાખ્યું હતુ. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ઈસ્કોન, સેટેલાઈટ, બોપલ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.Image


અમદાવાદના આ વિસ્તારો જળબંબાકાર 


આજે અમદાવાદના જોધપુર વિસ્તારમાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરના બોડકદેવમાં 4 ઈંચ, બોપલ અને સાયન્સ સિટીમમાં 4.5, મક્તમપુરા, ઉસ્માનપુરા, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં 3 ઈંચ, તો રાણીપ અને ખમાસા વિસ્તામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના પગલે શહેરની શાન ગણાતા SG હાઈવે પર ઈસ્કોન બ્રિજથી લાંબા ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઉપરાંત વરસાદી પાણી ભરાઈ જવાથી શહેરના ઉસ્માનપુરા, પરિમલ ગાર્ડન, મકરબા અને અખબારનગર સહિતના અન્ડર પાસ બંધ કરવાની ફરજ પડી છે.નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તો વાહનો બંધ થઈ જવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ તાલુકાઓમાં થઈ મેઘ મહેર


રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે, દક્ષિણ ગુજરાતના વલસાડમાં માત્ર બે કલાકમાં જ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ધરમપુરમાં છેલ્લા બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. નવસારીના ખેરગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વધ્યો છે. ગીરસોમનાથના કોડિનારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ છે. જૂનાગઢના માણાવદર અને ગીરગઢડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે. તાપીના ત્રણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદ છે. સુરતના મહુવા તાલુકામાં સાડા 7 ઈંચ વરસાદ છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.