હવામાન વિભાગે માવઠાની આગાહી કરી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જગતનો તાત દુ:ખી


  • Published By :
  • Published Date : 2023-01-27 20:23:30

રાજ્યમાં કાતિલ ઠંડીથી ઠુંઠવાતા લોકો માટે માઠા સમાચાર છે. ગાત્રો થીજાવતી ઠંડી બાદ હવે માવઠા માટે પણ તૈયાર રાખો. રાજ્યના હવામાન વિભાગે આગામી  48 કલાકમાં સામાન્ય કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદને આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે.   


આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ


રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ 28 જાન્યુઆરીએ વાતાવરણમાં પલટો આવી શકે છે અને કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આજે મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં પવનની ગતી ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.


માવઠાથી જગતનો તાત ચિંતિંત


માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હાલની સ્થિતિએ કેટલાક પાકોની કાપણી થઇ રહી છે તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરોમાં ઉભા છે જેને લઈ જો કમોસમી માવઠું આવે તો પાટણ જિલ્લામાં ખેડૂતો એ વાવેલ બે લાખ કરતા વધુ હેકટરમાં વિવિધ રવિ પાકો પર માઠી અસર થઇ શકે છે અને ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાઈ શકે છે જેને લઈ પાટણ જિલ્લાના ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યો છે.


આ ઉભા પાકને થશે નુકસાન


કમોસમી માવઠાની આગાહીએ મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફરી વળે તેવી શક્યતા છે. પાટણ જિલ્લામાં રાયડો, સવા, ઈસબગુલ, જીરું, વરિયાળી, ચણા. ઘઉં  સહિત  2 લાખથી વધુ  હેકટરમાં રવિ પાકોનું વાવેતર કરેલ છે  જેમાં રાયડો અને એરંડાના પાકોની તો કેટલાક વિસ્તારમાં કાપણી થઇ રહી છે તો કેટલાક વિસ્તારોમાં તો ઉભો પાક સાફ થઈ જાય તેવી આશંકા છે. અને જો વાતાવરણ રવિપાકો ઉપરાંત શાકભાજીના વાવેતરને મોટા પાયે નુકશાન થવાની શક્યતા છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે