રાજ્યમાં આગામી 2 દિવસ ઠંડીનું જોર વધશે, 15થી 20 કિ.મીની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-30 17:44:04

રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. માવઠાના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પણ લોકોને બેવડી ઋતુની અનુભૂતી થઈ રહી છે. રાજ્યના હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી હતી. કમોસમી વરસાદ થતાં ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 


હવામાન વિભાગે ફરી કરી આગાહી


રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈ ફરી આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. આગામી બે દિવસ ઠંડીનું જોર વધી શકે છે. ઠંડા પવનોને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાથી ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી બે દિવસ એટલે 31 અને પહેલી તારીખે ઠંડા પવનો ફૂંકાવવાને કારણે ઠંડીમાં પણ વધારો થશે. આ બે દિવસ 15થી 20 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા છે.


અનેક પાકોને ભારે નુકશાન 


રાજ્યમાં કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને ઘઉં, જીરૂ જેવા પાકોમાં ભારે નુકસાની સહન કરવી પડી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવો હાલ થવા પામ્યો છે. કરા સાથે કમોસમી વરસાદ પડવાથી જીરૂ સહિતના અનેક પાકોને ભારે નુકશાન પહોંચ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.