Unseasonal Rainને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો ક્યાં પડશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-02 11:10:15

શિયાળાની શરૂઆત થતાં જ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. અલગ અલગ સ્થળોથી ખેતરમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. માવઠાને કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે જેને કારણે જગતના તાતની સ્થિતિ દુખદાયક બની ગઈ છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ થયો હતો જેને કારણે ખેડૂત પાયમાલ બની ગયો છે. આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે તેવી આશા નથી. માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. 

બે દિવસમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય, ભારે વરસાદની આગાહી

ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ

આ વખતનું ચોમાસુ એકદમ અનિયમિત રહ્યું હતું. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી અતિશય વરસાદ થયો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ચોમાસાની સિઝનમાં તો અનિયમિત્તા દેખાઈ પરંતુ હવે તો પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે શિયાળામાં પણ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. આસમાની આફતને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. એવી માનવામાં આવતું હતું કે વરસાદ નહીં આવે પરંતુ હવામાન વિભાગે ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉપરાંત અનેક ભાગોમાં માવઠું આવવાની શક્યતા છે. 

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી

આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, પંચમહાલ, લીમખેડામાં આજે હળવો વરસાદ થઇ શકે છે.ગાજવીજ તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવાની સંભાવના નથી પરંતુ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસો દરમિયાન વડોદરા અને ભરૂચમાં વરસાદની સંભાવના છે. વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં આજે વરસાદ થઈ શકે છે. આવતીકાલે પંચમહાલ, વડોદરા, ભરૂચમાં માવઠું થઈ શકે છે. મહત્વનું છે કે આગામી સમયમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી વાત મનોરમા મોહંતી દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.