Unseasonal Rainને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો ક્યાં પડશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-02 11:10:15

શિયાળાની શરૂઆત થતાં જ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. અલગ અલગ સ્થળોથી ખેતરમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. માવઠાને કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે જેને કારણે જગતના તાતની સ્થિતિ દુખદાયક બની ગઈ છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ થયો હતો જેને કારણે ખેડૂત પાયમાલ બની ગયો છે. આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે તેવી આશા નથી. માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. 

બે દિવસમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય, ભારે વરસાદની આગાહી

ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ

આ વખતનું ચોમાસુ એકદમ અનિયમિત રહ્યું હતું. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી અતિશય વરસાદ થયો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ચોમાસાની સિઝનમાં તો અનિયમિત્તા દેખાઈ પરંતુ હવે તો પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે શિયાળામાં પણ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. આસમાની આફતને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. એવી માનવામાં આવતું હતું કે વરસાદ નહીં આવે પરંતુ હવામાન વિભાગે ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉપરાંત અનેક ભાગોમાં માવઠું આવવાની શક્યતા છે. 

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી

આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, પંચમહાલ, લીમખેડામાં આજે હળવો વરસાદ થઇ શકે છે.ગાજવીજ તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવાની સંભાવના નથી પરંતુ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસો દરમિયાન વડોદરા અને ભરૂચમાં વરસાદની સંભાવના છે. વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં આજે વરસાદ થઈ શકે છે. આવતીકાલે પંચમહાલ, વડોદરા, ભરૂચમાં માવઠું થઈ શકે છે. મહત્વનું છે કે આગામી સમયમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી વાત મનોરમા મોહંતી દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."