Unseasonal Rainને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી, જાણો ક્યાં પડશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-02 11:10:15

શિયાળાની શરૂઆત થતાં જ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. અલગ અલગ સ્થળોથી ખેતરમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. માવઠાને કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે જેને કારણે જગતના તાતની સ્થિતિ દુખદાયક બની ગઈ છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ થયો હતો જેને કારણે ખેડૂત પાયમાલ બની ગયો છે. આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે તેવી આશા નથી. માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. 

બે દિવસમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય, ભારે વરસાદની આગાહી

ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ

આ વખતનું ચોમાસુ એકદમ અનિયમિત રહ્યું હતું. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી અતિશય વરસાદ થયો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ચોમાસાની સિઝનમાં તો અનિયમિત્તા દેખાઈ પરંતુ હવે તો પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે શિયાળામાં પણ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. આસમાની આફતને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. એવી માનવામાં આવતું હતું કે વરસાદ નહીં આવે પરંતુ હવામાન વિભાગે ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉપરાંત અનેક ભાગોમાં માવઠું આવવાની શક્યતા છે. 

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી

આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, પંચમહાલ, લીમખેડામાં આજે હળવો વરસાદ થઇ શકે છે.ગાજવીજ તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવાની સંભાવના નથી પરંતુ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસો દરમિયાન વડોદરા અને ભરૂચમાં વરસાદની સંભાવના છે. વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં આજે વરસાદ થઈ શકે છે. આવતીકાલે પંચમહાલ, વડોદરા, ભરૂચમાં માવઠું થઈ શકે છે. મહત્વનું છે કે આગામી સમયમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી વાત મનોરમા મોહંતી દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.