જગતના તાતને ફરી સહન કરવો પડશે કુદરતનો માર! ફરી એક વાર માવઠાની આગાહી કરી હવામાન વિભાગે


  • Published By :
  • Published Date : 2023-03-09 15:54:53

ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત માવઠું વરસવાની આગાહી કરી છે. કમોસમી વરસાદની સાથે સાથે હવામાન વિભાગે ગરમીને લઈને પણ આગાહી કરી છે. જે મુજબ આવનાર બે-ત્રણ દિવસ તાપમાનનો પારો ઊંચો જશે. અને 13 માર્ચની આસપાસ ફરી એક વખત કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


13 માર્ચ બાદ ફરી કરવામાં આવી છે માવઠાની આગાહી 

થોડા દિવસોથી રાજ્યના હવામાનમાં એકાએક ફેરફાર જોવા મળી રહ્યો છે. આ વખતે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો તો કાળઝાળ ગરમી પડવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. પડયા પર પાટું પડવાની જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સોમવારે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. મંગળવારે તેમજ બુધવારે પણ માવઠું યથાવત જોવા મળ્યું હતુ. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે 13 માર્ચથી ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ વરસવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


કચ્છ માટે હિટવેવની કરવામાં આવી છે આગાહી 

કમોસમી વરસાદની આગાહી તો કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે ગરમીની આગાહી પણ કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસ તાપમાનનો પારો ઉંચો રહેશે. મહત્તમ તાપમાનમાં નોધપાત્ર વધારો જોવા મળશે. કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાને ફેબ્રુઆરીમાં જ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા હતા. અનેક વર્ષો બાદ ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે આવનાર એક બે દિવસમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે.      




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.