જગતના તાતને ફરી સહન કરવો પડશે કુદરતનો માર! ફરી એક વાર માવઠાની આગાહી કરી હવામાન વિભાગે


  • Published By :
  • Published Date : 2023-03-09 15:54:53

ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત માવઠું વરસવાની આગાહી કરી છે. કમોસમી વરસાદની સાથે સાથે હવામાન વિભાગે ગરમીને લઈને પણ આગાહી કરી છે. જે મુજબ આવનાર બે-ત્રણ દિવસ તાપમાનનો પારો ઊંચો જશે. અને 13 માર્ચની આસપાસ ફરી એક વખત કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


13 માર્ચ બાદ ફરી કરવામાં આવી છે માવઠાની આગાહી 

થોડા દિવસોથી રાજ્યના હવામાનમાં એકાએક ફેરફાર જોવા મળી રહ્યો છે. આ વખતે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો તો કાળઝાળ ગરમી પડવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. પડયા પર પાટું પડવાની જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સોમવારે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. મંગળવારે તેમજ બુધવારે પણ માવઠું યથાવત જોવા મળ્યું હતુ. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે 13 માર્ચથી ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ વરસવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


કચ્છ માટે હિટવેવની કરવામાં આવી છે આગાહી 

કમોસમી વરસાદની આગાહી તો કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે ગરમીની આગાહી પણ કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસ તાપમાનનો પારો ઉંચો રહેશે. મહત્તમ તાપમાનમાં નોધપાત્ર વધારો જોવા મળશે. કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાને ફેબ્રુઆરીમાં જ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા હતા. અનેક વર્ષો બાદ ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે આવનાર એક બે દિવસમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.