જગતના તાતને ફરી સહન કરવો પડશે કુદરતનો માર! ફરી એક વાર માવઠાની આગાહી કરી હવામાન વિભાગે


  • Published By :
  • Published Date : 2023-03-09 15:54:53

ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત માવઠું વરસવાની આગાહી કરી છે. કમોસમી વરસાદની સાથે સાથે હવામાન વિભાગે ગરમીને લઈને પણ આગાહી કરી છે. જે મુજબ આવનાર બે-ત્રણ દિવસ તાપમાનનો પારો ઊંચો જશે. અને 13 માર્ચની આસપાસ ફરી એક વખત કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


13 માર્ચ બાદ ફરી કરવામાં આવી છે માવઠાની આગાહી 

થોડા દિવસોથી રાજ્યના હવામાનમાં એકાએક ફેરફાર જોવા મળી રહ્યો છે. આ વખતે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો તો કાળઝાળ ગરમી પડવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. પડયા પર પાટું પડવાની જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સોમવારે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. મંગળવારે તેમજ બુધવારે પણ માવઠું યથાવત જોવા મળ્યું હતુ. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે 13 માર્ચથી ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ વરસવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


કચ્છ માટે હિટવેવની કરવામાં આવી છે આગાહી 

કમોસમી વરસાદની આગાહી તો કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે ગરમીની આગાહી પણ કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસ તાપમાનનો પારો ઉંચો રહેશે. મહત્તમ તાપમાનમાં નોધપાત્ર વધારો જોવા મળશે. કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાને ફેબ્રુઆરીમાં જ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા હતા. અનેક વર્ષો બાદ ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે આવનાર એક બે દિવસમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે.      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.