દેશમાં ચોમાસાના વિધિવત્ત આગમનને મોડું થશે, જાણો હવામાન વિભાગે શું કારણ આપ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-05 20:00:17

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાના આગમનની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોએ થોડા દિવસ રાહ જોવી પડશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં ચોમાસાની એન્ટ્રીને હજુ પણ ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે. દેશમાં આ વર્ષે નૈઋત્યના ચોમાસાના વિધિવત્ત આગમનને મોડું થશે. ચોમાસાની આગળ વધવાની તાજી સ્થિતિ ચોમાસુ કેરળમાં ક્યારે બેસશે તે અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી અને આગામી બે-ત્રણ દિવસમાં સાચો રિપોર્ટ મળી જશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 


દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર વાદળછાયું વાતાવરણ


હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અને તે વાદળછાયું છે. ખૂબ જ ટૂંક સમયમાં મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેરળના કિનારા તરફ ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. જો કે, હવામાન વિભાગે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે કે ચોમાસું કેરળમાં ક્યારે આગમન કરશે.


કેરળમાં 7 જૂને થઈ શકે ચોમાસાની એન્ટ્રી 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં 7 જૂને નૈઋત્યનું ચોમાસું દસ્તક આપશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું એક અઠવાડિયાના વિલંબ સાથે આવશે, જે સામાન્ય રીતે 1 જૂને જ આવતું હતું. હવામાન વિભાગે થોડા દિવસો પહેલા આગાહી કરી હતી કે ચોમાસું 4 જૂને કેરળના દરિયાકાંઠે વેસી જશે, પરંતુ તેમ થયુ નથી. આનું કારણ આપતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્રમાં પશ્ચિમી પવનો સરેરાશ દરિયાઈ સપાટીથી 2.1 કિમી સુધી ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ચોમાસાને આગળ વધવામાં અસર થઈ શકે છે.


દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ ખેંચાશે 


કેરળમાં ચોમાસાના વિલંબના કારણે, દેશના અન્ય ભાગોમાં પણ ચોમસાને બેસવાને વિલંબ થવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ નથી જણાવી, પરંતુ કહ્યું કે ચોમાસું અન્ય સ્થળોએ પણ મોડું થાય તે જરૂરી નથી, એકવાર કેરળમાં ચોમાસાનું આગમન થાય ત્યાર બાદ, દેશના અન્ય ભાગમાં આગળ વધવા અંગે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.