દેશમાં ચોમાસાના વિધિવત્ત આગમનને મોડું થશે, જાણો હવામાન વિભાગે શું કારણ આપ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-05 20:00:17

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાના આગમનની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોએ થોડા દિવસ રાહ જોવી પડશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં ચોમાસાની એન્ટ્રીને હજુ પણ ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે. દેશમાં આ વર્ષે નૈઋત્યના ચોમાસાના વિધિવત્ત આગમનને મોડું થશે. ચોમાસાની આગળ વધવાની તાજી સ્થિતિ ચોમાસુ કેરળમાં ક્યારે બેસશે તે અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી અને આગામી બે-ત્રણ દિવસમાં સાચો રિપોર્ટ મળી જશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 


દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર વાદળછાયું વાતાવરણ


હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અને તે વાદળછાયું છે. ખૂબ જ ટૂંક સમયમાં મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેરળના કિનારા તરફ ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. જો કે, હવામાન વિભાગે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે કે ચોમાસું કેરળમાં ક્યારે આગમન કરશે.


કેરળમાં 7 જૂને થઈ શકે ચોમાસાની એન્ટ્રી 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં 7 જૂને નૈઋત્યનું ચોમાસું દસ્તક આપશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું એક અઠવાડિયાના વિલંબ સાથે આવશે, જે સામાન્ય રીતે 1 જૂને જ આવતું હતું. હવામાન વિભાગે થોડા દિવસો પહેલા આગાહી કરી હતી કે ચોમાસું 4 જૂને કેરળના દરિયાકાંઠે વેસી જશે, પરંતુ તેમ થયુ નથી. આનું કારણ આપતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્રમાં પશ્ચિમી પવનો સરેરાશ દરિયાઈ સપાટીથી 2.1 કિમી સુધી ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ચોમાસાને આગળ વધવામાં અસર થઈ શકે છે.


દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ ખેંચાશે 


કેરળમાં ચોમાસાના વિલંબના કારણે, દેશના અન્ય ભાગોમાં પણ ચોમસાને બેસવાને વિલંબ થવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ નથી જણાવી, પરંતુ કહ્યું કે ચોમાસું અન્ય સ્થળોએ પણ મોડું થાય તે જરૂરી નથી, એકવાર કેરળમાં ચોમાસાનું આગમન થાય ત્યાર બાદ, દેશના અન્ય ભાગમાં આગળ વધવા અંગે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.