દેશમાં ચોમાસાના વિધિવત્ત આગમનને મોડું થશે, જાણો હવામાન વિભાગે શું કારણ આપ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-05 20:00:17

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાના આગમનની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોએ થોડા દિવસ રાહ જોવી પડશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં ચોમાસાની એન્ટ્રીને હજુ પણ ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે. દેશમાં આ વર્ષે નૈઋત્યના ચોમાસાના વિધિવત્ત આગમનને મોડું થશે. ચોમાસાની આગળ વધવાની તાજી સ્થિતિ ચોમાસુ કેરળમાં ક્યારે બેસશે તે અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી અને આગામી બે-ત્રણ દિવસમાં સાચો રિપોર્ટ મળી જશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 


દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર વાદળછાયું વાતાવરણ


હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અને તે વાદળછાયું છે. ખૂબ જ ટૂંક સમયમાં મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેરળના કિનારા તરફ ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. જો કે, હવામાન વિભાગે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે કે ચોમાસું કેરળમાં ક્યારે આગમન કરશે.


કેરળમાં 7 જૂને થઈ શકે ચોમાસાની એન્ટ્રી 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં 7 જૂને નૈઋત્યનું ચોમાસું દસ્તક આપશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું એક અઠવાડિયાના વિલંબ સાથે આવશે, જે સામાન્ય રીતે 1 જૂને જ આવતું હતું. હવામાન વિભાગે થોડા દિવસો પહેલા આગાહી કરી હતી કે ચોમાસું 4 જૂને કેરળના દરિયાકાંઠે વેસી જશે, પરંતુ તેમ થયુ નથી. આનું કારણ આપતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્રમાં પશ્ચિમી પવનો સરેરાશ દરિયાઈ સપાટીથી 2.1 કિમી સુધી ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ચોમાસાને આગળ વધવામાં અસર થઈ શકે છે.


દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ ખેંચાશે 


કેરળમાં ચોમાસાના વિલંબના કારણે, દેશના અન્ય ભાગોમાં પણ ચોમસાને બેસવાને વિલંબ થવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ નથી જણાવી, પરંતુ કહ્યું કે ચોમાસું અન્ય સ્થળોએ પણ મોડું થાય તે જરૂરી નથી, એકવાર કેરળમાં ચોમાસાનું આગમન થાય ત્યાર બાદ, દેશના અન્ય ભાગમાં આગળ વધવા અંગે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.