વરસાદનો ચોથો રાઉન્ડ કેવો રહેશે? હવામાન વિભાગે કરી આ આગાહી, અત્યાર સુધીમાં 79.83 ટકા વરસાદ


  • Published By :
  • Published Date : 2023-08-07 19:38:09

રાજ્યમાં સતત થઈ રહેલા વરસાદથી ખેડૂતોથી લઈને શહેરીજનો પણ મેઘરાજા પણ ખમૈયા કરે તેવું ઈચ્છી રહ્યા છે. આ દરમિયાન હવે હવામાન વિભાગે પણ વરસાદ અંગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીમાં જાણવા મળ્યું છે કે, રાજ્યમાં હાલ વરસાદની કોઇ સિસ્ટમ એક્ટિવ નથી. જોકે, માછીમારોને પાંચ દિવસ સુધી માછીમારી ન કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. મોટાભાગે રાજ્યમાં હળવો વરસાદ રહેવાની આગાહી છે. એકાદ જગ્યાએ સામાન્ય વરસાદ થવાની આગાહી છે. ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે પરંતુ ભારે વરસાદની શક્યતા નથી. 


દરિયાકાંઠામાં ભારે પવન ફૂંકાશે


રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે. ચોમાસુ 30 સપ્ટેમ્બર સુધી રહેશે, જેથી છૂટોછવાયો વરસાદ પડશે. નવી વરસાદી સિસ્ટમ બનશે તો ભારે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.


ત્રણ રાઉન્ડમાં 79.83 ટકા વરસાદ


રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડની વાત કરીએ તો અત્યાર સુધીમાં 79.83 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.


207 જળાશયોમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ 


રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડમાં રાજ્યના નદી નાળા છલકાઈ ગયા છે અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. રાજ્યના 207 જળાશયોમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 251184 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે જે કુલ જળસંગ્રહ શક્તિના 75.19 ટકા જેટલો થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70 ટકા જળસંગ્રહ થયો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.