હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, Gujaratમાં આ તારીખો દરમિયાન માવઠાની કરાઈ આગાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-21 11:22:29

ગુજરાતમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લોકો શિયાળા માટેની તૈયારી કરી રહ્યા છે તો ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 26-27 નવેમ્બર વચ્ચે માવઠું આવી શકે છે.  માવઠાની આગાહી થતા ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થશે તેનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. 


26 અને 27 નવેમ્બરે ગુજરાતમાં વરસી શકે છે વરસાદ! 

ખેડૂતોની ચિંતા ત્યારે વધતી હોય છે જ્યારે સિઝન હોવાં છતાંય વરસાદ નથી આવતો, કોઈ વખત આવે છે તો એટલો બધો આવે છે કે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ચોમાસાની સિઝનમાં વરસાદ ખેડૂતોની ચિંતા વધારતો હોય છે પરંતુ તે ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોળી બનતી હોય છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેને કારણે ખેડતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. પાકને મોટા પાયે નુકસાન થશે તેવી ભીતિ ખેડૂતોને પરેશાન કરી રહી છે. ગુજરાતમાં 26-27 નવેમ્બર વચ્ચે માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.   


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ! 

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 26 નવેમ્બરે દમણ-દાદરા નગર હવેલીમાં,દાહોદ,પંચમહાલ,અમરેલી,ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે. જુનાગઢ,પોરબંદર,રાજકોટમાં જ્યારે 27 નવેમ્બરના દમણ-દાદરા નગર હવેલી,અમદાવાદ,આણંદ,અરવલ્લી, ગાંધીનગર,ખેડા,મહીસાગર,મહેસાણા, અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠાને કારણે પાકને ભારે નુકસાન થશે તેવો ડર ખેડૂતોને લાગી રહ્યો છે. 


માવઠાની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા 

કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ છઠ્ઠા અને સાતમા દિવસે રાજ્યના અનેક ભાગોમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થાય છે કે પછી...!      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.