હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, Gujaratમાં આ તારીખો દરમિયાન માવઠાની કરાઈ આગાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-21 11:22:29

ગુજરાતમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લોકો શિયાળા માટેની તૈયારી કરી રહ્યા છે તો ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 26-27 નવેમ્બર વચ્ચે માવઠું આવી શકે છે.  માવઠાની આગાહી થતા ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થશે તેનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. 


26 અને 27 નવેમ્બરે ગુજરાતમાં વરસી શકે છે વરસાદ! 

ખેડૂતોની ચિંતા ત્યારે વધતી હોય છે જ્યારે સિઝન હોવાં છતાંય વરસાદ નથી આવતો, કોઈ વખત આવે છે તો એટલો બધો આવે છે કે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ચોમાસાની સિઝનમાં વરસાદ ખેડૂતોની ચિંતા વધારતો હોય છે પરંતુ તે ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોળી બનતી હોય છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેને કારણે ખેડતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. પાકને મોટા પાયે નુકસાન થશે તેવી ભીતિ ખેડૂતોને પરેશાન કરી રહી છે. ગુજરાતમાં 26-27 નવેમ્બર વચ્ચે માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.   


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ! 

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 26 નવેમ્બરે દમણ-દાદરા નગર હવેલીમાં,દાહોદ,પંચમહાલ,અમરેલી,ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે. જુનાગઢ,પોરબંદર,રાજકોટમાં જ્યારે 27 નવેમ્બરના દમણ-દાદરા નગર હવેલી,અમદાવાદ,આણંદ,અરવલ્લી, ગાંધીનગર,ખેડા,મહીસાગર,મહેસાણા, અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠાને કારણે પાકને ભારે નુકસાન થશે તેવો ડર ખેડૂતોને લાગી રહ્યો છે. 


માવઠાની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા 

કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ છઠ્ઠા અને સાતમા દિવસે રાજ્યના અનેક ભાગોમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થાય છે કે પછી...!      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.