કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી વરસાદની આગાહી, આ તારીખ દરમિયાન આવી શકે ધોધમાર વરસાદ!


  • Published By :
  • Published Date : 2024-05-22 16:27:46

વરસાદને લઈ જાણે જાણવું હોય ત્યારે બે આગાહીઓ પર ધ્યાન સામાન્ય રીતે લોકો આપતા હોય છે.. એક હવામાન વિભાગની આગાહી અને બીજી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી... ત્યારે વરસાદને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે 26મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.. આ સમય દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે આ સમય દરમિયાન.. તે ઉપરાંત 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે...


26 તારીખ સુધી કરવી પડશે કાળઝાળ ગરમી સહન

કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.. વરસાદની રાહ લોકો કાગડોળે જોઈ રહ્યા છે... વરસાદ ક્યારે આવે અને ક્યારે આ ગરમીમાંથી મુક્તિ મળે તેની લોકોને આતુરતા છે. 26 તારીખ બાદ રાજયના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે... 26 મે સુધી આવી કાળઝાળ ગરમી સહન કરવી પડશે.. આકરી ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી વાત તેમણે કરી હતી. તેમની આગાહી અનુસાર 46 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી શકે છે. 


આ તારીખ બાદ ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી

વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે બંગાળના ઉપસાગરમાં એક નહીં બે બે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે. ભારે પવન પણ વહી શકે છે તેવી આગાહી તેમણે કરી છે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું પ્રવેશી શકે છે તેવી વાત તેમના દ્વારા કરાઈ છે. ગુજરાતમાં 7થી 14 જૂનની વચ્ચે ચોમાસું બેસી છે તેવું અનુમાન તેમણે લગાવ્યું છે. મહત્વનું છે કે હાલ અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રી પર પહોંચી ગયું છે.. અનેક શહેરો એવા હતા જ્યાં આ આંકડો પાર થઈ ગયો છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે