કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી વરસાદની આગાહી, આ તારીખ દરમિયાન આવી શકે ધોધમાર વરસાદ!


  • Published By :
  • Published Date : 2024-05-22 16:27:46

વરસાદને લઈ જાણે જાણવું હોય ત્યારે બે આગાહીઓ પર ધ્યાન સામાન્ય રીતે લોકો આપતા હોય છે.. એક હવામાન વિભાગની આગાહી અને બીજી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી... ત્યારે વરસાદને લઈ અંબાલાલ કાકાએ આગાહી કરી છે 26મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.. આ સમય દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે આ સમય દરમિયાન.. તે ઉપરાંત 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે...


26 તારીખ સુધી કરવી પડશે કાળઝાળ ગરમી સહન

કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.. વરસાદની રાહ લોકો કાગડોળે જોઈ રહ્યા છે... વરસાદ ક્યારે આવે અને ક્યારે આ ગરમીમાંથી મુક્તિ મળે તેની લોકોને આતુરતા છે. 26 તારીખ બાદ રાજયના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે... 26 મે સુધી આવી કાળઝાળ ગરમી સહન કરવી પડશે.. આકરી ગરમીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી વાત તેમણે કરી હતી. તેમની આગાહી અનુસાર 46 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી શકે છે. 


આ તારીખ બાદ ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી

વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે બંગાળના ઉપસાગરમાં એક નહીં બે બે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે. ભારે પવન પણ વહી શકે છે તેવી આગાહી તેમણે કરી છે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું પ્રવેશી શકે છે તેવી વાત તેમના દ્વારા કરાઈ છે. ગુજરાતમાં 7થી 14 જૂનની વચ્ચે ચોમાસું બેસી છે તેવું અનુમાન તેમણે લગાવ્યું છે. મહત્વનું છે કે હાલ અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રી પર પહોંચી ગયું છે.. અનેક શહેરો એવા હતા જ્યાં આ આંકડો પાર થઈ ગયો છે.     



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.