બાંગ્લાદેશમાં શરૂ થઈ મેટ્રો ટ્રેનની સુવિધા


  • Published By :
  • Published Date : 2022-12-30 12:36:37

બાંગ્લાદેશમાં આજથી મેટ્રો ટ્રેનનો પ્રારંભ થયો છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન દિયાબારી અને અગરગાંવ સ્ટેશનની વચ્ચે દોડશે. પીએમએ ઢાંકાથી ટ્રેનને લીલી ઝંડી બતાવી છે ઉપરાંત ટ્રેનની સફર પણ કરી હતી. મળતી માહિતી અનુસાર જાપાનના સહયોગથી બાંગ્લાદેશમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. 

Image


Image


Image


પોતાની બહેન સાથે મેટ્રોમાં કરી સફર

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાંકાથી પ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવી છે. આ ટ્રેન દિયાબારી અને અગરગાંવ સ્ટેશન વચ્ચે દોડવાની છે. હસીનાની રાજકીય પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશે ઈલેક્ટ્રિક ટ્રેનના યુગમાં પ્રવેશ કરી દીધો છે. શેખ હસીનાએ પ્રથમ મેટ્રો ટ્રેનનો શુભારંભ કર્યો છે. પીએમએ પોતાની બહેન શેખ રહેના સાથે મેટ્રોમાં મુસાફરી કરી છે. 2016માં આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.        




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.