બાંગ્લાદેશમાં શરૂ થઈ મેટ્રો ટ્રેનની સુવિધા


  • Published By :
  • Published Date : 2022-12-30 12:36:37

બાંગ્લાદેશમાં આજથી મેટ્રો ટ્રેનનો પ્રારંભ થયો છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન દિયાબારી અને અગરગાંવ સ્ટેશનની વચ્ચે દોડશે. પીએમએ ઢાંકાથી ટ્રેનને લીલી ઝંડી બતાવી છે ઉપરાંત ટ્રેનની સફર પણ કરી હતી. મળતી માહિતી અનુસાર જાપાનના સહયોગથી બાંગ્લાદેશમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. 

Image


Image


Image


પોતાની બહેન સાથે મેટ્રોમાં કરી સફર

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાંકાથી પ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવી છે. આ ટ્રેન દિયાબારી અને અગરગાંવ સ્ટેશન વચ્ચે દોડવાની છે. હસીનાની રાજકીય પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશે ઈલેક્ટ્રિક ટ્રેનના યુગમાં પ્રવેશ કરી દીધો છે. શેખ હસીનાએ પ્રથમ મેટ્રો ટ્રેનનો શુભારંભ કર્યો છે. પીએમએ પોતાની બહેન શેખ રહેના સાથે મેટ્રોમાં મુસાફરી કરી છે. 2016માં આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.        




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.