માઇક્રોસોફ્ટ સર્વર કલાકોથી ઠપ, દુનિયામાં ભરમાં હડકંપ, દેશ અને દુનિયાભરના એરપોર્ટ પર હાહાકાર


  • Published By :
  • Published Date : 2024-07-19 15:40:54

આજના જમાનામાં આધુનિકતાએ સમગ્ર દુનિયાને ખુબ કનેક્ટ કરી નાખી છે . આધુનિકતાએ આપણા જીવનના દરેક પાસામાં પ્રવેશી ચુકી છે . એક નાનું disruption એટલે કે સર્વર ઠપ્પ થઈ જાય તો સમસ્યા સમગ્ર દુનિયા ઠપ્પ થઈ જાય છે. માઇક્રોસોફ્ટની જે કલાઉડ સર્વિસ છે તેના સર્વર ઠપ્પ થતા સમગ્ર દુનિયામાં કમ્પ્યુટર્સ અને વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. 

માઇક્રોસોફ્ટ ક્લાઉડમાં ખરાબી આવતા અનેક સેવાઓ પ્રભાવિત થઈ!

માઇક્રોસોફ્ટ કે જે અમેરિકન મલ્ટિનેશનલ કંપની છે , તે તેની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને સર્વર માટે જાણીતી છે . હવે સમાચાર સામે આવી રહ્યા છે કે , માઇક્રોસોફ્ટ ક્લાઉડમાં ખરાબી આવતા , સમગ્ર દુનિયામાં વિમાન સેવાના સર્વર ઠપ્પ થઈ ગયા છે અને જેનાથી મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર અટવાઈ ગયા છે . ભારતમાં પણ વિમાનસેવાઓ પ્રભાવિત થયી છે. અકાસા એરલાઇનએ તો જાહેરાત કરી દીધી છે કે , કેટલીક તેની online સર્વિસ થોડાક સમય માટે મુંબઈ અને દિલ્હી એરપોર્ટ માટે unavailable રહેશે . આ માઈક્રોસોફ્ટના ક્લાઉડ સર્વિસના ઠપ થવાથી એરલાઇન્સની બુકિંગ અને ચેક ઈન સેવાઓ પ્રભાવિત થયી છે . 



Windowsએ એક ઓપેરાઇટિન્ગ સિસ્ટમ છે

માઈક્રોસોફ્ટ સર્વર ઠપ્પ થવુંએ 2024નું સૌથી મોટું આઈટી સંકટ કહેવામાં આવે છે. આનાથી કમ્પ્યુટર સિસ્ટમોએ કામ કરવાનું બંધ કરી દીધું છે . Windowsએ એક ઓપેરાઇટિન્ગ સિસ્ટમ છે કે જેનાથી દુનિયાના મોટા ભાગના કોમ્પ્યુટર્સ અને લેપટોપ ચાલતા હોય છે. મોટા મોટા બેંક અને મીડિયા સંસ્થાનોમાં આ તકલીફ અનુભવાઈ રહી છે. જ્યારે પણ આ કમ્પ્યુટર્સ કે લેપટોપ ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે સ્ક્રીન પર એક વાદળી રંગની સ્ક્રીન દેખાય છે જેમાં કહેવામાં આવ્યું છે કે રિકવરી. ખુબ મોટું નુકશાન આનાથી લોકોને થઈ રહ્યું છે. 



થોડા સમયની અંદર Microsoftનો આ પ્રોબ્લેમ થઈ જશે સોલ્વ 

અમેરિકાના કેટલાય રાજ્યોમાં ઇમર્જન્સી માટેની 911 જેટલી સેવાઓ પણ આનાથી પ્રભાવિત થઈ છે. આ ઘટનાઓ આવનારા સમયમાં વધુમાં વધુ જોવા મળી શકે છે, આપણા લોકોની જે નિર્ભરતા છે તે આ બધા ઓપરેટિંગ સિસ્ટમ પર ખુબ વધી રહી છે. આમાં એક પણ રીતનું આઉટરેજ થાય તો તમારા સમગ્ર વેપારને નુકશાન પહોંચી શકે છે. નિષ્ણતો આ ઘટનાને Cyber Terrorનું એક નવું પ્રતીક માની રહ્યા છે. કેમ કે તેનાથી આખી દુનિયામાં હડકંપ મચી જાય છે. જોકે આ Microsoft ક્લાઉડની સેવા પહેલા જેવી યથાવત તો થઈ જશે પણ થોડા કલાકોનો  સમય લાગી શકે છે .    



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.