માઇક્રોસોફ્ટ સર્વર કલાકોથી ઠપ, દુનિયામાં ભરમાં હડકંપ, દેશ અને દુનિયાભરના એરપોર્ટ પર હાહાકાર


  • Published By :
  • Published Date : 2024-07-19 15:40:54

આજના જમાનામાં આધુનિકતાએ સમગ્ર દુનિયાને ખુબ કનેક્ટ કરી નાખી છે . આધુનિકતાએ આપણા જીવનના દરેક પાસામાં પ્રવેશી ચુકી છે . એક નાનું disruption એટલે કે સર્વર ઠપ્પ થઈ જાય તો સમસ્યા સમગ્ર દુનિયા ઠપ્પ થઈ જાય છે. માઇક્રોસોફ્ટની જે કલાઉડ સર્વિસ છે તેના સર્વર ઠપ્પ થતા સમગ્ર દુનિયામાં કમ્પ્યુટર્સ અને વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. 

માઇક્રોસોફ્ટ ક્લાઉડમાં ખરાબી આવતા અનેક સેવાઓ પ્રભાવિત થઈ!

માઇક્રોસોફ્ટ કે જે અમેરિકન મલ્ટિનેશનલ કંપની છે , તે તેની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને સર્વર માટે જાણીતી છે . હવે સમાચાર સામે આવી રહ્યા છે કે , માઇક્રોસોફ્ટ ક્લાઉડમાં ખરાબી આવતા , સમગ્ર દુનિયામાં વિમાન સેવાના સર્વર ઠપ્પ થઈ ગયા છે અને જેનાથી મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર અટવાઈ ગયા છે . ભારતમાં પણ વિમાનસેવાઓ પ્રભાવિત થયી છે. અકાસા એરલાઇનએ તો જાહેરાત કરી દીધી છે કે , કેટલીક તેની online સર્વિસ થોડાક સમય માટે મુંબઈ અને દિલ્હી એરપોર્ટ માટે unavailable રહેશે . આ માઈક્રોસોફ્ટના ક્લાઉડ સર્વિસના ઠપ થવાથી એરલાઇન્સની બુકિંગ અને ચેક ઈન સેવાઓ પ્રભાવિત થયી છે . 



Windowsએ એક ઓપેરાઇટિન્ગ સિસ્ટમ છે

માઈક્રોસોફ્ટ સર્વર ઠપ્પ થવુંએ 2024નું સૌથી મોટું આઈટી સંકટ કહેવામાં આવે છે. આનાથી કમ્પ્યુટર સિસ્ટમોએ કામ કરવાનું બંધ કરી દીધું છે . Windowsએ એક ઓપેરાઇટિન્ગ સિસ્ટમ છે કે જેનાથી દુનિયાના મોટા ભાગના કોમ્પ્યુટર્સ અને લેપટોપ ચાલતા હોય છે. મોટા મોટા બેંક અને મીડિયા સંસ્થાનોમાં આ તકલીફ અનુભવાઈ રહી છે. જ્યારે પણ આ કમ્પ્યુટર્સ કે લેપટોપ ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે સ્ક્રીન પર એક વાદળી રંગની સ્ક્રીન દેખાય છે જેમાં કહેવામાં આવ્યું છે કે રિકવરી. ખુબ મોટું નુકશાન આનાથી લોકોને થઈ રહ્યું છે. 



થોડા સમયની અંદર Microsoftનો આ પ્રોબ્લેમ થઈ જશે સોલ્વ 

અમેરિકાના કેટલાય રાજ્યોમાં ઇમર્જન્સી માટેની 911 જેટલી સેવાઓ પણ આનાથી પ્રભાવિત થઈ છે. આ ઘટનાઓ આવનારા સમયમાં વધુમાં વધુ જોવા મળી શકે છે, આપણા લોકોની જે નિર્ભરતા છે તે આ બધા ઓપરેટિંગ સિસ્ટમ પર ખુબ વધી રહી છે. આમાં એક પણ રીતનું આઉટરેજ થાય તો તમારા સમગ્ર વેપારને નુકશાન પહોંચી શકે છે. નિષ્ણતો આ ઘટનાને Cyber Terrorનું એક નવું પ્રતીક માની રહ્યા છે. કેમ કે તેનાથી આખી દુનિયામાં હડકંપ મચી જાય છે. જોકે આ Microsoft ક્લાઉડની સેવા પહેલા જેવી યથાવત તો થઈ જશે પણ થોડા કલાકોનો  સમય લાગી શકે છે .    



ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.