માઇક્રોસોફ્ટ સર્વર કલાકોથી ઠપ, દુનિયામાં ભરમાં હડકંપ, દેશ અને દુનિયાભરના એરપોર્ટ પર હાહાકાર


  • Published By :
  • Published Date : 2024-07-19 15:40:54

આજના જમાનામાં આધુનિકતાએ સમગ્ર દુનિયાને ખુબ કનેક્ટ કરી નાખી છે . આધુનિકતાએ આપણા જીવનના દરેક પાસામાં પ્રવેશી ચુકી છે . એક નાનું disruption એટલે કે સર્વર ઠપ્પ થઈ જાય તો સમસ્યા સમગ્ર દુનિયા ઠપ્પ થઈ જાય છે. માઇક્રોસોફ્ટની જે કલાઉડ સર્વિસ છે તેના સર્વર ઠપ્પ થતા સમગ્ર દુનિયામાં કમ્પ્યુટર્સ અને વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. 

માઇક્રોસોફ્ટ ક્લાઉડમાં ખરાબી આવતા અનેક સેવાઓ પ્રભાવિત થઈ!

માઇક્રોસોફ્ટ કે જે અમેરિકન મલ્ટિનેશનલ કંપની છે , તે તેની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અને સર્વર માટે જાણીતી છે . હવે સમાચાર સામે આવી રહ્યા છે કે , માઇક્રોસોફ્ટ ક્લાઉડમાં ખરાબી આવતા , સમગ્ર દુનિયામાં વિમાન સેવાના સર્વર ઠપ્પ થઈ ગયા છે અને જેનાથી મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર અટવાઈ ગયા છે . ભારતમાં પણ વિમાનસેવાઓ પ્રભાવિત થયી છે. અકાસા એરલાઇનએ તો જાહેરાત કરી દીધી છે કે , કેટલીક તેની online સર્વિસ થોડાક સમય માટે મુંબઈ અને દિલ્હી એરપોર્ટ માટે unavailable રહેશે . આ માઈક્રોસોફ્ટના ક્લાઉડ સર્વિસના ઠપ થવાથી એરલાઇન્સની બુકિંગ અને ચેક ઈન સેવાઓ પ્રભાવિત થયી છે . 



Windowsએ એક ઓપેરાઇટિન્ગ સિસ્ટમ છે

માઈક્રોસોફ્ટ સર્વર ઠપ્પ થવુંએ 2024નું સૌથી મોટું આઈટી સંકટ કહેવામાં આવે છે. આનાથી કમ્પ્યુટર સિસ્ટમોએ કામ કરવાનું બંધ કરી દીધું છે . Windowsએ એક ઓપેરાઇટિન્ગ સિસ્ટમ છે કે જેનાથી દુનિયાના મોટા ભાગના કોમ્પ્યુટર્સ અને લેપટોપ ચાલતા હોય છે. મોટા મોટા બેંક અને મીડિયા સંસ્થાનોમાં આ તકલીફ અનુભવાઈ રહી છે. જ્યારે પણ આ કમ્પ્યુટર્સ કે લેપટોપ ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે સ્ક્રીન પર એક વાદળી રંગની સ્ક્રીન દેખાય છે જેમાં કહેવામાં આવ્યું છે કે રિકવરી. ખુબ મોટું નુકશાન આનાથી લોકોને થઈ રહ્યું છે. 



થોડા સમયની અંદર Microsoftનો આ પ્રોબ્લેમ થઈ જશે સોલ્વ 

અમેરિકાના કેટલાય રાજ્યોમાં ઇમર્જન્સી માટેની 911 જેટલી સેવાઓ પણ આનાથી પ્રભાવિત થઈ છે. આ ઘટનાઓ આવનારા સમયમાં વધુમાં વધુ જોવા મળી શકે છે, આપણા લોકોની જે નિર્ભરતા છે તે આ બધા ઓપરેટિંગ સિસ્ટમ પર ખુબ વધી રહી છે. આમાં એક પણ રીતનું આઉટરેજ થાય તો તમારા સમગ્ર વેપારને નુકશાન પહોંચી શકે છે. નિષ્ણતો આ ઘટનાને Cyber Terrorનું એક નવું પ્રતીક માની રહ્યા છે. કેમ કે તેનાથી આખી દુનિયામાં હડકંપ મચી જાય છે. જોકે આ Microsoft ક્લાઉડની સેવા પહેલા જેવી યથાવત તો થઈ જશે પણ થોડા કલાકોનો  સમય લાગી શકે છે .    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.