નવસારીના પીપલ ગભાણ ગામની શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાંથી ગરોળી નિકળતા ખળભળાટ, નાયક ફાઉન્ડેશને તૈયાર કર્યું હતું મીડ-ડે મીલ


  • Published By :
  • Published Date : 2023-06-09 20:19:56

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ચાલતી મધ્યાહન ભોજન યોજના ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ માટે વરદાન સ્વરૂપ છે. જો કે આ યોજના હેઠળ આપવામાં આવતા ભોજનને લઈ અનેક વખત સવાલો ઉઠ્યા છે. મધ્યાહન ભોજન યોજના અન્વયે વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં સ્વચ્છતાનો અભાવ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. જેમ કે નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મીડ ડે મીલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. બાળકોને પીરસવામાં આવતી દાળની અંદરથી ગરોળી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત હાલતમાં ગરોળી નીકળી હતી, તે પછી પીરસાયેલા ભોજન સામે અને સવાલો ઉભા થયા હતા. ઘટના બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


નાયક ફાઉન્ડેશને તૈયાર કર્યું હતું મધ્યાહન ભોજન

 

મળતી વિગતો મુજબ ચીખલીના પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં રોજની જેમ આજે પણ મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળામાં બાળકો જમવા બેઠા હતા. બાળકોને ભાત પર દાળ રેડવામાં આવી ત્યારે થાળીમાં ગરોળી દેખાઈ હતી. પીપલગભણ ગામ સહિત નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ ખાનગી સંસ્થા ‘નાયક ફાઉન્ડેશન’ને આપવામાં આવ્યો છે. પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં અપાતા મીડ-ડે મિલનું ભોજન પણ ‘નાયક ફાઉન્ડેશન’ને જ  તૈયાર કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે નાયક ફાઉન્ડેશનને નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે પણ તેની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.


અનંત પટેલે પણ નાયક ફાઉન્ડેશનનો કર્યો હતો વિરોધ


નાયક ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે આ અગાાઉ 2017માં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ અવાજ ઉઠાવ્યો હતો. અગાઉ પણ ઘણી વખત શાળામાં ભોજનમાંથી જીવડા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. આજે ફરી એકવાર દાળની અંદર ગરોળી હોવાનું સામે આવતા તેની માહિતી માહિતી પ્રાથમિક શિક્ષણ વિભાગને આપવામાં આવી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.