નવસારીના પીપલ ગભાણ ગામની શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાંથી ગરોળી નિકળતા ખળભળાટ, નાયક ફાઉન્ડેશને તૈયાર કર્યું હતું મીડ-ડે મીલ


  • Published By :
  • Published Date : 2023-06-09 20:19:56

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ચાલતી મધ્યાહન ભોજન યોજના ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ માટે વરદાન સ્વરૂપ છે. જો કે આ યોજના હેઠળ આપવામાં આવતા ભોજનને લઈ અનેક વખત સવાલો ઉઠ્યા છે. મધ્યાહન ભોજન યોજના અન્વયે વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં સ્વચ્છતાનો અભાવ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. જેમ કે નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મીડ ડે મીલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. બાળકોને પીરસવામાં આવતી દાળની અંદરથી ગરોળી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત હાલતમાં ગરોળી નીકળી હતી, તે પછી પીરસાયેલા ભોજન સામે અને સવાલો ઉભા થયા હતા. ઘટના બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


નાયક ફાઉન્ડેશને તૈયાર કર્યું હતું મધ્યાહન ભોજન

 

મળતી વિગતો મુજબ ચીખલીના પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં રોજની જેમ આજે પણ મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળામાં બાળકો જમવા બેઠા હતા. બાળકોને ભાત પર દાળ રેડવામાં આવી ત્યારે થાળીમાં ગરોળી દેખાઈ હતી. પીપલગભણ ગામ સહિત નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ ખાનગી સંસ્થા ‘નાયક ફાઉન્ડેશન’ને આપવામાં આવ્યો છે. પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં અપાતા મીડ-ડે મિલનું ભોજન પણ ‘નાયક ફાઉન્ડેશન’ને જ  તૈયાર કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે નાયક ફાઉન્ડેશનને નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે પણ તેની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.


અનંત પટેલે પણ નાયક ફાઉન્ડેશનનો કર્યો હતો વિરોધ


નાયક ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે આ અગાાઉ 2017માં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ અવાજ ઉઠાવ્યો હતો. અગાઉ પણ ઘણી વખત શાળામાં ભોજનમાંથી જીવડા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. આજે ફરી એકવાર દાળની અંદર ગરોળી હોવાનું સામે આવતા તેની માહિતી માહિતી પ્રાથમિક શિક્ષણ વિભાગને આપવામાં આવી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.