મંત્રી બચુ ખાબડની કેબિનેટમાંથી વિકેટ પાક્કી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-16 19:51:25

દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે.  ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

Bachubhai Khabad added a new photo —... - Bachubhai Khabad

દાહોદનું ખુબ ગાજેલું ૭૧ કરોડનું મનરેગા કૌભાંડ , જેમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી . ત્યારે હવે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. આજે પણ ગુજરાતમાં સરકારની કેબિનેટની મિટિંગ યોજાઈ હતી , જેમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા . છેલ્લે ૨૩મી એપ્રિલે યોજાયેલી કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી . ૩૦મી એપ્રિલથી ૧૬મી જુલાઈ દરમ્યાનની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. મેં , ૨૦૨૫માં ચાર કેબિનેટની બેઠક યોજાઈ હતી , જૂન ૨૦૨૫માં યોજાયેલી ત્રણ કેબિનેટની બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા . આ પછી જુલાઈ મહિનાની અત્યારસુધીની ત્રણ કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા . આમ જ્યારથી , મંત્રી બચુ ખાબડ પર મનરેગા કૌભાંડના આરોપો લાગેલા છે ત્યારથી , મંત્રી બચુ ખાબડ ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગમાં આવ્યા જ નથી .  વાત કરીએ , અત્યારસુધીમાં , ૩૦મી એપ્રિલ , ૭મી મેં , ૧૪મી મેં અને ૨૧મી મેંની કેબિનેટની બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા. ત્યારબાદ ૨૮મી મેં , ૧૩મી જૂન , ૧૮મી જૂન , ૨૪મી જૂનના રોજ મળેલી કેબિનેટની મિટિંગમાં પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. જુલાઈ મહિનાની આજે ત્રીજી મળેલી કેબિનેટની મિટિંગમાં પણ પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. આમ અત્યારસુધી સતત ૧૧ કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. આ પાછળનું કારણ એ બહાર આવ્યું છે કે, સરકારે સૂચના આપી છે કે, મંત્રી બચુ ખાબડે સચિવાલયમાં કે પછી ગાંધીનગરમાં ના આવવું . જોકે હજુ પણ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા નથી . સાથે જ તેમની પાસે જે પણ વિભાગો છે તે હજુ પણ તેમની પાસેથી લેવામાં આવ્યા નથી . 

Gujarat Chief Minister Bhupendra Patel Allots Portfolios To Team After  Grand Oath Ceremony

જોકે આગામી સમયમાં ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ છે ત્યારે , મંત્રી બચુ ખાબડની વિકેટ પડી શકે છે. વાત કરીએ દાહોદના મનરેગા કૌભાંડની , તો  દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી. આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દિકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી . આ કૌભાંડમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. થોડાક સમય પેહલા મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડને જામીન મળ્યા છે. દાહોદ સિવાય ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે . જેમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા સહીત તેમના દીકરા દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.