મંત્રી બચુ ખાબડની કેબિનેટમાંથી વિકેટ પાક્કી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-16 19:51:25

દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે.  ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

Bachubhai Khabad added a new photo —... - Bachubhai Khabad

દાહોદનું ખુબ ગાજેલું ૭૧ કરોડનું મનરેગા કૌભાંડ , જેમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી . ત્યારે હવે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. આજે પણ ગુજરાતમાં સરકારની કેબિનેટની મિટિંગ યોજાઈ હતી , જેમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા . છેલ્લે ૨૩મી એપ્રિલે યોજાયેલી કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી . ૩૦મી એપ્રિલથી ૧૬મી જુલાઈ દરમ્યાનની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. મેં , ૨૦૨૫માં ચાર કેબિનેટની બેઠક યોજાઈ હતી , જૂન ૨૦૨૫માં યોજાયેલી ત્રણ કેબિનેટની બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા . આ પછી જુલાઈ મહિનાની અત્યારસુધીની ત્રણ કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા . આમ જ્યારથી , મંત્રી બચુ ખાબડ પર મનરેગા કૌભાંડના આરોપો લાગેલા છે ત્યારથી , મંત્રી બચુ ખાબડ ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગમાં આવ્યા જ નથી .  વાત કરીએ , અત્યારસુધીમાં , ૩૦મી એપ્રિલ , ૭મી મેં , ૧૪મી મેં અને ૨૧મી મેંની કેબિનેટની બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા. ત્યારબાદ ૨૮મી મેં , ૧૩મી જૂન , ૧૮મી જૂન , ૨૪મી જૂનના રોજ મળેલી કેબિનેટની મિટિંગમાં પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. જુલાઈ મહિનાની આજે ત્રીજી મળેલી કેબિનેટની મિટિંગમાં પણ પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. આમ અત્યારસુધી સતત ૧૧ કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. આ પાછળનું કારણ એ બહાર આવ્યું છે કે, સરકારે સૂચના આપી છે કે, મંત્રી બચુ ખાબડે સચિવાલયમાં કે પછી ગાંધીનગરમાં ના આવવું . જોકે હજુ પણ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા નથી . સાથે જ તેમની પાસે જે પણ વિભાગો છે તે હજુ પણ તેમની પાસેથી લેવામાં આવ્યા નથી . 

Gujarat Chief Minister Bhupendra Patel Allots Portfolios To Team After  Grand Oath Ceremony

જોકે આગામી સમયમાં ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ છે ત્યારે , મંત્રી બચુ ખાબડની વિકેટ પડી શકે છે. વાત કરીએ દાહોદના મનરેગા કૌભાંડની , તો  દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી. આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દિકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી . આ કૌભાંડમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. થોડાક સમય પેહલા મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડને જામીન મળ્યા છે. દાહોદ સિવાય ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે . જેમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા સહીત તેમના દીકરા દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.