મંત્રી બચુ ખાબડની કેબિનેટમાંથી વિકેટ પાક્કી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-16 19:51:25

દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે.  ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

Bachubhai Khabad added a new photo —... - Bachubhai Khabad

દાહોદનું ખુબ ગાજેલું ૭૧ કરોડનું મનરેગા કૌભાંડ , જેમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી . ત્યારે હવે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. આજે પણ ગુજરાતમાં સરકારની કેબિનેટની મિટિંગ યોજાઈ હતી , જેમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા . છેલ્લે ૨૩મી એપ્રિલે યોજાયેલી કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી . ૩૦મી એપ્રિલથી ૧૬મી જુલાઈ દરમ્યાનની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. મેં , ૨૦૨૫માં ચાર કેબિનેટની બેઠક યોજાઈ હતી , જૂન ૨૦૨૫માં યોજાયેલી ત્રણ કેબિનેટની બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા . આ પછી જુલાઈ મહિનાની અત્યારસુધીની ત્રણ કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા . આમ જ્યારથી , મંત્રી બચુ ખાબડ પર મનરેગા કૌભાંડના આરોપો લાગેલા છે ત્યારથી , મંત્રી બચુ ખાબડ ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગમાં આવ્યા જ નથી .  વાત કરીએ , અત્યારસુધીમાં , ૩૦મી એપ્રિલ , ૭મી મેં , ૧૪મી મેં અને ૨૧મી મેંની કેબિનેટની બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા. ત્યારબાદ ૨૮મી મેં , ૧૩મી જૂન , ૧૮મી જૂન , ૨૪મી જૂનના રોજ મળેલી કેબિનેટની મિટિંગમાં પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. જુલાઈ મહિનાની આજે ત્રીજી મળેલી કેબિનેટની મિટિંગમાં પણ પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. આમ અત્યારસુધી સતત ૧૧ કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા છે. આ પાછળનું કારણ એ બહાર આવ્યું છે કે, સરકારે સૂચના આપી છે કે, મંત્રી બચુ ખાબડે સચિવાલયમાં કે પછી ગાંધીનગરમાં ના આવવું . જોકે હજુ પણ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા નથી . સાથે જ તેમની પાસે જે પણ વિભાગો છે તે હજુ પણ તેમની પાસેથી લેવામાં આવ્યા નથી . 

Gujarat Chief Minister Bhupendra Patel Allots Portfolios To Team After  Grand Oath Ceremony

જોકે આગામી સમયમાં ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ છે ત્યારે , મંત્રી બચુ ખાબડની વિકેટ પડી શકે છે. વાત કરીએ દાહોદના મનરેગા કૌભાંડની , તો  દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી. આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દિકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી . આ કૌભાંડમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. થોડાક સમય પેહલા મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડને જામીન મળ્યા છે. દાહોદ સિવાય ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે . જેમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા સહીત તેમના દીકરા દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.