Loksabha Electionના મતદાન પહેલા મંત્રી કનુ દેસાઈએ માગી કોળી સમાજની માફી, થોડા દિવસ પહેલા આપેલા નિવેદનને લઈ કરી આ સ્પષ્ટતા...


  • Published By :
  • Published Date : 2024-05-06 12:54:50

લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી અને જ્યારે જ્યારે આ ચૂંટણી આવે છે ત્યારે એ પોતાની સાથે અનેક મુદ્દાઓ લઈને આવે છે. પ્રચાર દરમિયાન નેતાઓ  નિવેદન આપતી વખતે  ના બોલવાનું બોલી જાય છે અને પછી ચૂંટણી નજીક આવતા માફી માંગતા દેખાય છે... તાજેતરમાં આપણી સામે એવા અનેક ઉદાહરણો છે. ત્યારે હવે કનુ દેસાઇએ પોતાના નિવેદન પર માફી માંગી છે. મંત્રીએ કોળી સમાજને લઈ નિવેદન આપ્યું હતું જે બાદ કોળી સમાજના લોકો રોષે ભરાયા હતા..  

પોતાના નિવેદન બદલ મંત્રી કનુ દેસાઈએ માગી માફી

રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો જ હતો ત્યાં હવે ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈની વિવાદિત ટિપ્પણી બાદ કોળી સમાજમાં આક્રોશ ભડક્યો હતો. જેને લઈને છેવટે કનુભાઈ દેસાઈએ માફી માગવી પડી હતી. કનુભાઈ દેસાઈએ કહ્યું કે મારો ઈરાદો કોળી સમાજની લાગણી દુભાવવાનો નહોતો. વીડિયો અને મારા નિવેદનને મારી મચડીને રજૂ કરવામાં આવ્યો છે. વલસાડની તડપદી ભાષામાં બોલવામાં આવેલી કહેવતને કાટ-છાંટ કરીને રજૂ કરવામાં આવી હતી. જો કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગુ છું.  



કોળી સમાજને લઈ કનુ દેસાઈએ આપ્યું હતું નિવેદન 

કનુ દેસાઈએ થોડા દિવસો પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય' આ નિવેદન બાદ કોળી સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. સમાજના આગેવાન મુન્ના બાવળિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 'અમે ખોબલે ખોબલે ભાજપને જ મત આપ્યા છતાં અમારું જ અપમાન કેમ કર્યું? કનુ દેસાઈએ જેમ જાહેર મંચથી અપમાન કર્યું એમ જ જાહેરમાં માફી માંગે. જાહેર મંચ પરથી તો નહીં પણ કાનુ દેસાઇએ માફી તો માંગી છે પણ કોળી સમાજ માફ કરે છે કે કેમ એ જોવાનું રહ્યું. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે