Loksabha Electionના મતદાન પહેલા મંત્રી કનુ દેસાઈએ માગી કોળી સમાજની માફી, થોડા દિવસ પહેલા આપેલા નિવેદનને લઈ કરી આ સ્પષ્ટતા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-06 12:54:50

લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી અને જ્યારે જ્યારે આ ચૂંટણી આવે છે ત્યારે એ પોતાની સાથે અનેક મુદ્દાઓ લઈને આવે છે. પ્રચાર દરમિયાન નેતાઓ  નિવેદન આપતી વખતે  ના બોલવાનું બોલી જાય છે અને પછી ચૂંટણી નજીક આવતા માફી માંગતા દેખાય છે... તાજેતરમાં આપણી સામે એવા અનેક ઉદાહરણો છે. ત્યારે હવે કનુ દેસાઇએ પોતાના નિવેદન પર માફી માંગી છે. મંત્રીએ કોળી સમાજને લઈ નિવેદન આપ્યું હતું જે બાદ કોળી સમાજના લોકો રોષે ભરાયા હતા..  

પોતાના નિવેદન બદલ મંત્રી કનુ દેસાઈએ માગી માફી

રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો જ હતો ત્યાં હવે ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈની વિવાદિત ટિપ્પણી બાદ કોળી સમાજમાં આક્રોશ ભડક્યો હતો. જેને લઈને છેવટે કનુભાઈ દેસાઈએ માફી માગવી પડી હતી. કનુભાઈ દેસાઈએ કહ્યું કે મારો ઈરાદો કોળી સમાજની લાગણી દુભાવવાનો નહોતો. વીડિયો અને મારા નિવેદનને મારી મચડીને રજૂ કરવામાં આવ્યો છે. વલસાડની તડપદી ભાષામાં બોલવામાં આવેલી કહેવતને કાટ-છાંટ કરીને રજૂ કરવામાં આવી હતી. જો કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગુ છું.  



કોળી સમાજને લઈ કનુ દેસાઈએ આપ્યું હતું નિવેદન 

કનુ દેસાઈએ થોડા દિવસો પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય' આ નિવેદન બાદ કોળી સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. સમાજના આગેવાન મુન્ના બાવળિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 'અમે ખોબલે ખોબલે ભાજપને જ મત આપ્યા છતાં અમારું જ અપમાન કેમ કર્યું? કનુ દેસાઈએ જેમ જાહેર મંચથી અપમાન કર્યું એમ જ જાહેરમાં માફી માંગે. જાહેર મંચ પરથી તો નહીં પણ કાનુ દેસાઇએ માફી તો માંગી છે પણ કોળી સમાજ માફ કરે છે કે કેમ એ જોવાનું રહ્યું. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે