મંત્રી પરશોત્તમ રૂપાલાનો નકલી PA ઝડપાતા હડકંપ, અમરેલી પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-12-04 21:19:10

રાજ્યમાં નકલી સરકારી અધિકારીઓ બનવાનો જાણે રાફડો ફાટ્યો છે. થોડા મહિના પહેલા નકલી PMO ઓફિસર કિરણ પટેલ ઝડપાતા હાહાકાર મચી ગયો હતો. PMO અધિકારી બની કિરણ પટેલે કાશ્મીરમાં VVIP સવલત મેળવી હતી. તેની પોલી ખુલી જતા અંતે તેની ધરપકડ કરાવામાં આવી હતી. તે જ પ્રકારે હવે નકલી કેન્દ્રીય મંત્રી પી.એ.ની ઓળખ આપીને ધાકધમકી આપનારા પણ સામે આવ્યા છે તેમાં અમરેલી જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના પી.એ.ની ખોટી ઓળખ આપીને પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી અને સેવક મનસુખભાઇ વસોયાને ધાકધમકી આપવાને મામલે પોલીસે કેન્દ્રીય મંત્રીના પી.એ.ની ઓળખ આપનારા શખ્સને પકડી પાડયો છે. પોલીસે આ નકલી પી.એ. સામે કાર્યવાહી હાથ ધરી છે.


શું છે સમગ્ર મામલો?


અમરેલી હનુમાનપરા શેરી નંબર 5માં રહેતા અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાનો અમરેલી ખાતે આવેલ કાર્યાલયનો વહીવટ સંભાળતાં હિરેન લાભુભાઈ વાળાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, અજાણ્યા શખ્સે ગત તારીખ 29 નવેમ્બરનાં રોજ સાવરકુંડલાના હાથસણી ગામે આવેલ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી મનસુખભાઈ વસોયાને ફોન કરી પોતાની ઓળખ પુરુષોત્તમ રૂપાલાના PA તરીકે ઓળખ આપી તમારા આશ્રમમાં માનસિક અસ્થિર વ્યક્તિને દાખલ કરવો છે તેમ કહ્યું હતું.આશ્રમના ટ્રસ્ટીએ મહિલા માનસિક અસ્થિર ને જ આશ્રમમાં રાખવામાં આવતાં હોવાનું જણાવી પુરૂષને આશ્રમમાં દાખલ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ થોડીવાર પછી અજાણ્યા શખ્સે ફોન કરી તમારી 11 લાખની ગ્રાંટ મંજુર થવાની હતી તે હું સરકારમાંથી મંજુર કરાવી દઈ પરંતુ હવે તમને આ ગ્રાંટ નહીં મળે તેમ કહી તેણે ફોન કાપી નાખ્યો હતો.


પોલીસે હાથ ધરી તપાસ


આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી,પોલીસે મોબાઈલ નંબર અંગે જાણકારી મેળવવા માટે અમરેલી એલ.સી.બીનો સંપર્ક કર્યો હતો. બાદમાં આ મોબાઈલ નંબર ટ્રેક પર રાખવામાં આવતા કોલ કરનાર આ શખ્સ ગારિયાધાર તાલુકાના પરવડી ગામનો ભાવેશ જગદીશ ગોયાણી હોવાનું સામે આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના પી.એ.ની ખોટી ઓળખ આપનારો ભાવેશ ગોયાણી હાલ પોલીસ મથકની હવા ખાઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના પી.એ.ના નામે ધાકધમકી આપવાના મામલે પોલીસે અન્ય કોઈને કેન્દ્રીય મંત્રી રૂપાલા ના પી.એ.ની ઓળખ આપીને અન્ય લોકોને ધાકધમકી આપવાનું કોઈ કૃત્ય કર્યું છે કે નહિ તેની પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું dysp હરેશ વોરાએ જણાવ્યું હતુ.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.