છેલ્લા બે વર્ષમાં અર્ધલશ્કરી દળોમાં માનસિક રોગથી પીડિત જવાનોના કેસમાં 38 ટકાનો વધારો: ગૃહ મંત્રાલય


  • Published By :
  • Published Date : 2023-08-04 20:20:12

 દેશના અર્ધ લશ્કરી દળોના જવાનોમાં મનોરોગનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો દ્વારા બેફામ ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. આ સ્થિતીમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં માહિતી આપી હતી કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં માનસિક દર્દીઓની કુલ સંખ્યા 2020માં 3,584 થી વધીને 2022 માં 4,940 થઈ ગઈ છે. સરકારના આંકડા દર્શાવે છે કે 2018 થી 2022 સુધીમાં 658 જવાનોએ આત્મહત્યા કરી છે. રાયના જણાવ્યા પ્રમાણે "ITBPમાં પાંચ મનોચિકિત્સકો છે, BSFમાં ચાર, CRPFમાં ત્રણ અને SSB અને ARમાં એક-એક મનોચિકિત્સક છે," 


અર્ધ લશ્કરી દળોમાં કેટલા માનસિક બીમાર જવાનો? 

 

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના જણાવ્યા અનુસાર, 2021 માં, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં માનસિક બીમારીના 3,864 કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે, '2020માં CRPFમાં કુલ 1,470, 2021માં 1,506 અને 2022માં 1,882 માનસિક રોગના કેસ નોંધાયા હતા. BSFમાં 2020માં 1,073, 2021માં 1,159 અને 2022માં 1,327 દર્દીઓ હતા, જ્યારે આસામ રાઈફલ્સમાં 2020માં 351, 2021માં 509 અને 2022માં 530 દર્દીઓ હતા. CISF માં 2020 માં 289, 2021 માં 244 અને 2022 માં 472 દર્દીઓ હતા. ITBPમાં 2020માં 215, 2021માં 300 અને 2022માં 417 દર્દીઓ હતા. SSB માં 2020 માં 186, 2021 માં 246 અને 2022 માં 312  માનસિક દર્દીઓ હતા.


2018 થી 2022 સુધીમાં 658 આત્મહત્યા


આત્મહત્યાની વિગતો આપતા રાયે જણાવ્યું કે CRPFમાં 230 જવાનો, BSFમાં 174 જવાનો, CISFમાં 91 જવાનો, SSBમાં 65 જવાનો, ITBPમાં 51 જવાનો અને ARમાં 47 જવાનોએ આત્મહત્યા કરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.