છેલ્લા બે વર્ષમાં અર્ધલશ્કરી દળોમાં માનસિક રોગથી પીડિત જવાનોના કેસમાં 38 ટકાનો વધારો: ગૃહ મંત્રાલય


  • Published By :
  • Published Date : 2023-08-04 20:20:12

 દેશના અર્ધ લશ્કરી દળોના જવાનોમાં મનોરોગનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો દ્વારા બેફામ ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. આ સ્થિતીમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં માહિતી આપી હતી કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં માનસિક દર્દીઓની કુલ સંખ્યા 2020માં 3,584 થી વધીને 2022 માં 4,940 થઈ ગઈ છે. સરકારના આંકડા દર્શાવે છે કે 2018 થી 2022 સુધીમાં 658 જવાનોએ આત્મહત્યા કરી છે. રાયના જણાવ્યા પ્રમાણે "ITBPમાં પાંચ મનોચિકિત્સકો છે, BSFમાં ચાર, CRPFમાં ત્રણ અને SSB અને ARમાં એક-એક મનોચિકિત્સક છે," 


અર્ધ લશ્કરી દળોમાં કેટલા માનસિક બીમાર જવાનો? 

 

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના જણાવ્યા અનુસાર, 2021 માં, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં માનસિક બીમારીના 3,864 કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે, '2020માં CRPFમાં કુલ 1,470, 2021માં 1,506 અને 2022માં 1,882 માનસિક રોગના કેસ નોંધાયા હતા. BSFમાં 2020માં 1,073, 2021માં 1,159 અને 2022માં 1,327 દર્દીઓ હતા, જ્યારે આસામ રાઈફલ્સમાં 2020માં 351, 2021માં 509 અને 2022માં 530 દર્દીઓ હતા. CISF માં 2020 માં 289, 2021 માં 244 અને 2022 માં 472 દર્દીઓ હતા. ITBPમાં 2020માં 215, 2021માં 300 અને 2022માં 417 દર્દીઓ હતા. SSB માં 2020 માં 186, 2021 માં 246 અને 2022 માં 312  માનસિક દર્દીઓ હતા.


2018 થી 2022 સુધીમાં 658 આત્મહત્યા


આત્મહત્યાની વિગતો આપતા રાયે જણાવ્યું કે CRPFમાં 230 જવાનો, BSFમાં 174 જવાનો, CISFમાં 91 જવાનો, SSBમાં 65 જવાનો, ITBPમાં 51 જવાનો અને ARમાં 47 જવાનોએ આત્મહત્યા કરી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .