છેલ્લા બે વર્ષમાં અર્ધલશ્કરી દળોમાં માનસિક રોગથી પીડિત જવાનોના કેસમાં 38 ટકાનો વધારો: ગૃહ મંત્રાલય


  • Published By :
  • Published Date : 2023-08-04 20:20:12

 દેશના અર્ધ લશ્કરી દળોના જવાનોમાં મનોરોગનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો દ્વારા બેફામ ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. આ સ્થિતીમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં માહિતી આપી હતી કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં માનસિક દર્દીઓની કુલ સંખ્યા 2020માં 3,584 થી વધીને 2022 માં 4,940 થઈ ગઈ છે. સરકારના આંકડા દર્શાવે છે કે 2018 થી 2022 સુધીમાં 658 જવાનોએ આત્મહત્યા કરી છે. રાયના જણાવ્યા પ્રમાણે "ITBPમાં પાંચ મનોચિકિત્સકો છે, BSFમાં ચાર, CRPFમાં ત્રણ અને SSB અને ARમાં એક-એક મનોચિકિત્સક છે," 


અર્ધ લશ્કરી દળોમાં કેટલા માનસિક બીમાર જવાનો? 

 

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના જણાવ્યા અનુસાર, 2021 માં, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં માનસિક બીમારીના 3,864 કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે, '2020માં CRPFમાં કુલ 1,470, 2021માં 1,506 અને 2022માં 1,882 માનસિક રોગના કેસ નોંધાયા હતા. BSFમાં 2020માં 1,073, 2021માં 1,159 અને 2022માં 1,327 દર્દીઓ હતા, જ્યારે આસામ રાઈફલ્સમાં 2020માં 351, 2021માં 509 અને 2022માં 530 દર્દીઓ હતા. CISF માં 2020 માં 289, 2021 માં 244 અને 2022 માં 472 દર્દીઓ હતા. ITBPમાં 2020માં 215, 2021માં 300 અને 2022માં 417 દર્દીઓ હતા. SSB માં 2020 માં 186, 2021 માં 246 અને 2022 માં 312  માનસિક દર્દીઓ હતા.


2018 થી 2022 સુધીમાં 658 આત્મહત્યા


આત્મહત્યાની વિગતો આપતા રાયે જણાવ્યું કે CRPFમાં 230 જવાનો, BSFમાં 174 જવાનો, CISFમાં 91 જવાનો, SSBમાં 65 જવાનો, ITBPમાં 51 જવાનો અને ARમાં 47 જવાનોએ આત્મહત્યા કરી છે.



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .